________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ આખું શરીર જમણી બાજુ સહેજ વળેલું છે. આ વર્ગમાં બીજી ત્રણ ભાતકાઓ પણ મળી આવેલી છે. તેમના કટિભાગ ઉપર બાળક તેડેલાં છે.
પ્લેટ ૨ ૪ શામળાજીના ડુંગરમાંથી મળી આવેલા ગણેશ. આશરે ૬ઠ્ઠી સદી ઈસ્વી. પુરાતત્વ સંગ્રહાલય હિંમતનગર.
ઊભેલા બાળગણેશની અસાધારણ સુંદર કારીગરીની અત્યંત વિરલ મૂર્તિ. ભુજાઓને, પેટને તથા વક્ષસ્થલને ગેળ ભરાવ સુંદર રીતે દર્શાવેલ છે અને આખી મૂર્તિમાં ગતિ અને જેમ છે. સુંઢની સ્થિતિ અને જાણે અવિરત ગતિમય એવા કાન વડે એ ખૂબ સજીવ લાગે છે. ગંડસ્થળનું સંવિધાન સુંદર છે. બે આંખોની વચ્ચે જરા ત્રાંસમાં ઉપર એને એક ત્રીજું ચક્ષુ છે. કણાવાળે નાગ, શેલું અને વસ્ત્રોનું વિધાન સુંદર છે. માદકનું પાત્ર ઊંચકી જતા એક અનુચર પર ગણેશે હાથ ટેકવેલો હોય એમ લાગે છે. ગંડસ્થળનાં આભૂષણેવિશિષ્ટ હસ્તિધાટનાં કુંડળ, કઠાભારણ અને ખાસ કરીને નૂપુર આખી આકૃતિને કોમળ અને બાળભાવથી ભરેલી દર્શાવે છે.
૫ શામળાજીના ડુંગરમાંથી મળી આવેલી શિવની-બહુધા વિરભદ્રની-એક અતીવ સુંદર આકૃતિ. આશરે ૬ઠ્ઠી સદી ઈવી. પુરાતત્ત્વ સંગ્રહાલય હિંમતનગર.
વસ્ત્રના ઉપર એણે વ્યાઘ્રચર્મ ઓઢેલું છે. ચર્મના છેડાઓની ગ્રન્થીઓ સ્પષ્ટપણે દેખાય છે. અટપટી રચનાવાળો એક શિરેમુકુટ, કઠાભરણ, હસ્તવલય, ભુજ બંધ વગેરે સ્પષ્ટ કોતરેલાં છે. નદીને પણ શિરેમેખલા અને ગળાની ઝાલર વડે શણગારેલો છે,
૫૦
For Private and Personal Use Only