________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવમંદિરની બહાર પડેલી કેટલીક મૂર્તિઓ તો ૧૫મી સદીથી પણ જૂની હોય તેમ લાગે છે.
ભૂખરા રંગના આરસ જેવા સ્થાનિક દંત્રાલના પત્થરને અહીં ઉપયોગ થયો છે. આ પત્થર ગ્રેનાઈટને મળતા છે અને તેના ઉપર પસારે આવે છે.
દેલવાડા સાબર અને વાકળના સંગમ ઉપર દેલવાડાથી એક માઈલ દૂર ચિત્રવિચિત્રેશ્વર મહાદેવનું મંદિર છે. શંતનુ રાજાના પુત્રો ચિત્રવિચિત્ર તેમની માતાના શિયળ પ્રત્યે શંકા લાવવાનું પાપ લાગવાથી પ્રાયશ્ચિત્ત અર્થે અહીં આવીને એક પિલા પીપળના ઝાડમાં જીવતા બળી મુએલા.
અહીં પ્રતિવર્ષે ફાગુની અમાસને દિવસે એક મેળો ભરાય છે અને તેમાં મોટા પ્રમાણમાં ભીલ લોકે આવે છે. તેમના નાતના કજીયાઓની પતાવટ, વેવિશાળો વગેરે તે સમયે નકકી કરવામાં આવે છે.
રેલ ખેડબ્રહ્માથી સાત માઈલ પૂર્વે દેલ ગામમાં થોડાં જૈન મંદિર, ખંડિત શિવમંદિર, રામજી મંદિર અને એક દેવીનું મંદિર છે.
હિંદુ મંદિરે ૧રમી સદીનાં છે,પણ જૈન મંદિરોનો સમય એથી મોડે છે. અહીંથી પિળો તરફ જતાં ઘણાંખરાં ગામોમાંનાં મંદિરે અને પોળો સ્ટેટમાં આવેલાં બારમી સદીનાં સુંદર હિંદુ અને જૈન મંદિરોના અવશેષો ઉપરથી અનુમાન થાય છે કે મેવાડ ઉપર મુસલમાનેએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે ત્યાંથી હઠી લોકો સરહદના વધારે ડુંગરાળ પ્રદેશમાં વસ્યા અને ત્યાંથી ઈડરના પ્રદેશમાં દાખલ થયા. તે સમયે પોળો સંસ્થાનઈડર રાજ્યને એક ભાગ હતું.
૩૦
For Private and Personal Use Only