Book Title: Idar Samsthanna Ketlak Puratan Avshesho
Author(s): Pandharinath A Inamdar
Publisher: Department of Archeology

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણવાળાં ગણાય છે. આ કુંડનાં નીરોગી પાણી તથા ભાટીને લાભ મેળવવા દૂર દૂરથી લોકો અહીં આવે છે. સંવત ૧૭૦૬ (સને ૧૬૫૦)માં ભાલપુરના રાવજી જગતસિંહજીએ આ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો તે ફરીથી સંવત ૧૯૮૩ (સને ૧૯૨૭)માં બડોલીના જપી મગનલાલ દેવશંકરે સમરાવેલું છે. આ પ્રમાણે પહેલાં આ મંદિર ઘણી વખત સમરાવવામાં આવ્યું હોય એમ લાગે છે. આ કુંડને ઉલ્લેખ મંદિરના પ્રાંગણમાં આવેલા સૂર્યમંદિર(આજે રામજીમંદિર) માના સંવત ૧૩૫૪ (સને ૧૨૯૮)ના એક શિલાલેખમાં પણ કરવામાં આવેલો છે; અને તેના આધાર પ્રમાણે એ સૂર્યમંદિર ગુજરાતના રાજા કર્ણને સમયમાં ગાયના રક્ષણાર્થે વીરમૃત્યુ પામેલા એક યોદ્ધાના સ્મરણાર્થે બાંધવામાં આવેલું છે. આશરે પાંચ ફૂટની લંબાઈના ભૂખરિયા આરસપહાણને એક પિઠીઓ અહીં છે જે જૂના સમયના કેઈ વિશાળ મંદિરનો નંદી હોવાનો સંભવ છે. આ સૂર્યમંદિર ઉપરાંત શિવ અને અન્ય દેવદેવીઓનાં બીજાં અર્ધભગ્ન મંદિરો પણ આસ્થાનમાં છે. મંદિરની જમણી બાજુએ ચ્યવનઋષિનું એક તપ સ્થાન પણ બતાવવામાં આવે છે. ભિલેડા ભિલોડા પટ્ટાનું મુખ્ય ગામ ભિલોડા ભવનાથથી આશરે પાંચ માઈલના અંતરે આવેલું છે. ત્યાંના જૈન મંદિર અને કીતિસ્તંભ (લેટ ર૮, નં. ૫૪) ૧૫મી સદીના ઐતિહાસિક અવશેષો છે. ચિતેડમાંના મહારાણા કુંભના કીર્તિસ્તંભને મળતો આ કીર્તિસ્તંભને ઘાટ છે. જોકે આ કદમાં જરા માને છે અને એનો સમય,સંભવિત છે કે, ચિડના સ્તંભનો અથવા થડે મોડે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97