________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાયગઢથી પાંચ માઈલ દૂર શ્રવણ ગામથી દક્ષિણે કેવણમાં બારમી સદીનું એક શિવમંદિર છે; એક ટેકરીની ટોચે પત્થરના ઊંચા ચણતર પર બાંધેલું તે પંચાયતનનું મંદિર છે. પાસેનાં બીજાં ગામોમાં પણ એક કાળે નાશ પામેલા આ કેવણ શહેરનાં બીજ મંદિરોના અવશેષો છે.
પુરાતન સમયમાં આ કેવણ મેટું સ્થળ હતું એમ કહેવાય છે, અને એ સ્થળના વ્યાપારીઓ એટલા ધનિક હતા કે આ બાજુના હિંદુઓ આજે પણ નવા વર્ષના ચોપડા તૈયાર કરતાં એવી પ્રાર્થના કરે છે કે કેવણના વેપારીઓના જેટલી સમૃદ્ધિ તેમને મળે.
દાવહ હિંમતનગરથી ૧૫ માઈલ દૂર વાયવ્ય ખૂણામાં દાવડ ગામ છે. ૧રમી સદીમાં તે કાવડ કહેવાતું. લોકોકિત પ્રમાણે એથી પણ પ્રાચીન સમયમાં એનું નામ દિલીપપુર પાટણ હતું. વલ્લભીપુરના સમયમાં એને પણ નાશ થયો હશે એમ લાગે છે અને પાછળથી તે નવમી સદીમાં ફરીથી વસ્યું. ગુજરાતના રાજા સિદ્ધરાજના સમયમાં ફરીથી તે આબાદ સ્થિતિમાં હતું. તે પછી તેણે ફરી આક્રમણ સહન કર્યો છે. થોડા સમય પહેલાં મુસ્લીમ કેટના અવશેષોમાંથી ખંડિત મૂર્તિઓ વગેરે હાથ લાગી છે તે આ સ્થળની પ્રાચીનતાને પુરાવો આપે છે.
આંકેલ માતાની વાવ પાસે કેટલાક પાળિયા છે જેના ઉપર સંવત ૧૩૦૫ (સને ૧૨૪૯) આપેલી છે. આ લેખમાં દાવડ નામ આપેલું છે અને ગુજરાતના રાજા લુણધવલને તેમાં ઉલ્લેખ છે.
હંસલેશ્વર તળાવ જે સિદ્ધરાજની રાણી હંસલદેએ બંધાવેલું કહેવાય છે તેની ત્રણ બાજુએ છેક પાણીમાં જતી રેતી આ પત્થરનાં પગથિયાંની હાર છે. આ અને આંકેલ માતાની વાવ, જેના
For Private and Personal Use Only