________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારસેએ ઉત્તરોત્તર બસો વર્ષ સુધી રાજ્ય કર્યું, પણ ઈ. ૭૧૬માં ભીલ લોકોએ છેલ્લા રાજા નગાદિત્યને મારી નાખીને રાજ્ય પાછું લઈ લીધું. નગાદિત્યને પુત્ર બાપા રાવળ મેવાડ તરફ ચાલે ગયો અને હજી પણ તેના વંશજો ત્યાં રાજ્ય કરે છે.
કેટલાંક સૂર્યમંદિરનાં ખંડેરો અને કેટલીક શિલ્પમૂર્તિઓ આ સૂર્યપૂજક રાજ્યવંશના અવશેષ રૂપે ક્યાંક ક્યાંક મળી આવે છે.
આ રાજ્યવંશ પછી મારવાડના પરિહારો અહીં આવ્યા. આશરે ૩૦૦ વર્ષ સુધી તેમણે આ પ્રદેશ પર રાજ્ય કર્યું. આ વંશના છેલ્લા રાજા અમરસિંહે દિલ્હીના ચૌહાણરાજ પૃથ્વીરાજની સાથે રહીને શાહબુદ્દીન ઘોરી સામે સમરાંગણ ખેડેલો અને લડતાં લડતાં જ યુદ્ધભૂમિ પર પિતાના શરીર સામતે સાથે તેણે સને ૧૧૯૩માં પ્રાણ છેડેલા. આજે પણ ઈડરની બાજુમાં રાણઝાલાની ટેકરીઓ તરીકે જે બતાવવામાં આવે છે તે સ્થળેથી તેની રાણુઓ તેની પાછળ કુદી પડીને સતી થએલી એવી લોકકથા પ્રચલિત છે.
એ સદ્ગત રાજાના એક ભીલ સામંત હાથીડે આ પછી કેટલોક વખત અહીં રાજ્ય કર્યું. પણ તેના વંશજ સામળિયા સોડે તેના નાગર પ્રધાનની પુત્રી રૂપાળીબાના હાથની માગણી કરવાથી, કનાજના મહાવીર રાજા જયચંદના પૌત્ર રાવ સોનીંગની મદદથી તેને મારી નાખવામાં આવ્યો.
રાવ સોનીંગજીએ સન ૧૨૪૬માં ઈડરની ગાદી હાથ કરી અને તેના વંશજોએ આશરે ૫૦૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. રાવ રાજાઓ અત્યંત શુરવીર હતા અને તેમના સમયમાં રાજ્યની સીમા ખૂબ વિશાળ અને આજના કરતાં ઘણું વધારે હતી. આ વંશના રાજ્યકર્તાઓ તળા, કુંડે, વા, મંદિરે વગેરે
For Private and Personal Use Only