________________
ધરી શકે ?
એવામાં દાસી ભૂપલાને થયું કે એની પાસે બહુમૂલો હાર છે. એના જીવનની સઘળી સંપત્તિ એમાં સમાયેલી છે. આ બહુમૂલો હાર પ્રભુચરણે ધરી દઉં.
મોટી ભીડને વીંધતી ભૂપલા આગળ આવી. પોતાનો બહુમૂલ હાર પ્રભુચરણે ધરી દીધો. જેવી આવી હતી તેવી પાછી ફરીને માનવ મહેરામણમાં સમાઈ ગઈ.
મંત્રીશ્વર વસ્તુપાળ અને તેજપાળ આ નારીની ભાવનાને જોઈ રહ્યા. અનુપમાદેવી અંતરમાં ઊંડા વિચારમાં ડૂબી ગયાં. સહુ વિચારવા લાગ્યા કે આપણે તો બહોળી સંપત્તિનો એક અંશ આપ્યો છે જ્યારે આ નારીએ સર્વસ્વ આપ્યું છે.
સાચી ભક્તિ સદાય સમર્પણ માગે છે. ધર્મને ધનની જરૂર નથી બલ્ક સેવાની જરૂર છે. વૈભવની જરૂર નથી પણ ભાવનાની જરૂર છે. બાહ્ય ઉત્સવો કરતાં આંતર મહોત્સવો જરૂરી છે.
૧૧
સર્વસ્વનું સમર્પણ
વિક્રમના તેરમા સૈકાની આ વાત છે. આ સમયે સૂર્ય અને ચંદ્રની જોડ જેવા ગુજરાતના બે મંત્રી વસ્તુપાળ અને તેજપાળની વીરતા અને ધર્મભાવના સર્વત્ર ગુંજતાં હતાં.
એક વાર મહાઅમાત્ય વસ્તુપાળ અને તેજપાળ શ્રી શત્રુંજય મહાતીર્થનો સંઘ કાઢીને નીકળ્યા. આ સંઘ ઠેર ઠેર આદર-સત્કાર પામતો આગળ વધતો હતો. એમાં સાધુસંતો હતા. ધનપતિઓ હતા. અમીરમાં અમીરથી માંડીને અંદનામાં અદના માનવીઓ હતા.
શ્રી શત્રુંજય મહાતીર્થના દેવાધિદેવ ભગવાન આદીશ્વરનાં સહુએ દર્શન કર્યા. પ્રભુચરણે સહુ ભેટ ધરવા લાગ્યા. વસ્તુપાળનો ભાઈ તેજપાળ પ્રભુને નમ્યો. અનુપમાદેવી અને લલિતાદેવીએ પ્રભુને મહામૂલી ભેટ ધરી. જાણે પ્રભુચરણે ભેટ ધરવાનો પ્રવાહ ન ચાલ્યો હોય !
આ સંઘમાં વસ્તુપાળની દાસી ભૂપલા પણ આવી હતી. એ દૂર ઊભી ઊભી દર્શન કરતી હતી. ભક્તિથી ભર્યું ભર્યું વાતાવરણ ભૂપલાના હૃદયમાં પણ ભાવ જગાવી ગયું. એને પણ પ્રભુચરણે ભેટ ધરવાનું મન થયું. | મનમાં વિચારે કે એક દાસી શું ભેટ આપી શકે ? જ્યાં ' અમૂલ્ય ભેટોનો વરસાદ વરસતો હોય ત્યાં પોતે પ્રભુને શું
1 શ્રી મહાવીર વાણી ! બીજા લોકો બંધન અને બંધ દ્વારા મારું દમન કરે છે, એની અપેક્ષાએ તે સારું છે કે હું સંયમ અને તપ દ્વારા પોતાના આત્માનું દમન કરું છું.
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર, ૧, ૧૩
ભાવમંજૂષા જે ૨૨
16
૨૩ 6 ભાવમંજૂષા