________________
વિના કંઈ ચાલવાનું છે ? ‘પેટ કરાવે વેઠ'ની માફક આ પેટને કારણે અમે લાચાર છીએ.”
શ્રીમદે કહ્યું, “તમારા પેટને અમે જવાબ દઈએ તો ? એનો ઉકેલ આપીએ તો ?”
આમ કહીને શ્રીમદે ઝવેરચંદ શેઠને કહ્યું, “આ પ્રાગજીભાઈને એમના ભોજન માટે તમે જે ભોજન કરતા હો તે બે ટંકનું ભોજન આપજો. પીવા માટે પાણીની એક માટલી આપજો, તેઓ ઉપાશ્રયના મેડા પર બેસીને નિરાંતે ભક્તિ કરે. પણ શરત એટલી કે નીચે કોઈનો વરઘોડો જતો હોય કે સ્ત્રીઓ ગીત ગાતી જતી હોય તો બહાર જોવા જવું નહિ. સંસારની વાતો કરવી નહિ. કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ એ સિવાય બીજી કોઈ વાત કરવી કે સાંભળવી
પર ભક્તિ અને ભૂખમરો
નહિ.”
અધ્યાત્મનાં ગહન રહસ્યો શ્રીમદ્ રાજચંદ્રના મુખેથી વહેતાં હતાં. જ્ઞાન અને ધ્યાનના નવનીત સમી એ નિચોડરૂપ વાણી ભાવિકોના હૃદયને ભીંજવતી હતી.
આમ તો એ સ્થળ કાવિઠા ગામની ઝવેર શેઠની મેડીનું હતું. પરંતુ એ દિવસે એ મેડીમાં અંતરને અજવાળતાં મોતી વેરાયાં હતાં. ભૌતિકતાથી ખદબદતા જગતમાં પરમ આધ્યાત્મિકતાનો ધર્મબોધ વહેતો હતો. શ્રીમદ્ બહારની બાજુએ અને બાહ્ય રૂપે થતી ક્રિયાઓને બદલે આંતર પરિવર્તનની ઓળખ આપતા હતા. અપૂર્વ આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. પરંતુ ભૌતિક આસક્તિને અળગી કરવી પ્રાગજીભાઈ નામના સત્સંગીને અઘરી લાગી, વ્યક્તિ ઘણી વાર વાસ્તવિકતાને બહાને હકીકતને પાછી ઠેલતી હોય છે. પ્રાગજીભાઈએ અનુભવીની રીતથી શ્રીમન્ને કહ્યું,
ભક્તિ કરવાનું મન તો ઘણું થાય છે. એમ લાગે છે કે ભક્તિ એ જ જીવનની સાચી સાર્થકતા છે પરંતુ ભક્તિ કરવાનો સમય કાઢવો ક્યાંથી?”
શ્રીમદ્ રાજચંદ્રએ પૂછયું, “કેમ ? આવું શાને ?”
પ્રાગજીભાઈએ કહ્યું, “શું કરીએ ? ભાવના તો ઘણી થાય. પરંતુ જુઓને ભગવાને પેટ આપ્યું છે. આ પેટ ખાવાનું માગે છે. પેટમાં જાગતી ભૂખની આગ બુઝાવ્યા
- શ્રીમની આ વાત અને શરત સાંભળીને પ્રાગજીભાઈ બોલ્યા, “ઓહ ! આ તો આકરી શરત કહેવાય. વરઘોડો જતો હોય તો જોવાનું મન થાય, સંસારની વાતો કર્યા વિના કે સાંભળ્યા વિના રહેવાય નહિ.'
ત્યારે શ્રીમદે માર્મિક રીતે કહ્યું, “આ જીવને ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ધરે છે. ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયું ? જીવ આમ જ છેતરાય છે.”
સાચી ભક્તિ કરનારાઓએ પેટની કદી ફિકર કરી નથી. આવતીકાલની ચિંતા એમને કદી અકળાવતી નથી.
ભક્તિનો માર્ગ તો શૂરાનો માર્ગ છે, કારણ કે એમાં સંસારના આકર્ષણના ત્યાગનું શૌર્ય રહેલું છે. જીવનમાં જેનું આકર્ષણ સદાય રહેતું હોય એવા સંસારમાંથી ભક્તિ તરફ જવું કપરું છે. એ માર્ગે જઈ શકનારા માનવીઓ વિરલ હોય છે. બાકી બધા તો પેટનાં અને પળોજણનાં બહાના બતાવે છે.
11 શ્રી મહાવીર વાણી 11 પહેલાં જ્ઞાન અને પછી દયા, આ ક્રમ પ્રમાણે જ આખો ત્યાગી વર્ગ પોતાની સંયમયાત્રા માટે આગળ વધે છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર ૪-૧૦
ભાવમંજૂષા ૧૧૪
૧૧૫ દળ ભાવમંજૂષા