________________
રમવા લાગ્યું. ખરેખર સાત દિવસે એ ગુજરી ગઈ.
- ભગવાન મહાવીરને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ઇન્દ્રભૂતિ ગૌતમને કહ્યું :
તમે મહાશતક પાસે જાઓ અને તેને ચેતવણી આપો, યથાર્થ સત્ય હોવા છતાં અપ્રિય કઠોર વચન બોલવાં એ અનશનધારી શ્રવણોપાસકને શોભતાં નથી. પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું ઘટે.”
ગૌતમે મહાશતકને સંદેશો પહોંચાડ્યો, મહાશતકે પ્રાયશ્ચિત્ત કર્યું.
૬૬
ઉદાશાનું ઘી
મારવાડની ભૂખી સૂકી ધરતી પરથી આવેલો ઉંદો ગુજરાતની હરિયાળી જોઈને અપાર આનંદ અનુભવે છે. એ વેળાએ મારવાડમાં પાણી ઘીથી પણ મોંધું હતું અને ગુજરાતમાં એણે રાયણ, જાંબુ અને મહુડાનાં જંગલો મહેકતાં જાયાં.
આ મારવાડી ઉદો ગુજરાતના કર્ણાવતી નગરમાં આવે છે. મહેનતથી જીવનારો આ માનવી નાનાં-મોટાં કામ શરૂ કરે છે. ધીરે ધીરે એણે એક નાની ઘીની દુકાન શરૂ કરી.
ધી પણ કેવું, બરફીના કકડા જેવું અને વળી સામા પગલે જઈને ઘેર પહોંચાડી આવે. કોઈ વાર કોઈને ઘી ન ગમે તો પાછું લે. ગમે નહીં ત્યાં સુધી પૈસા ન લે. સહુને કહે, ‘ખાઈને પૈસા આપજો.'
દુકાન ધમધોકાર ચાલવા લાગી. સમય જતાં કર્ણાવતીમાં કહેવત થઈ કે ઘી તો ઉદાશાનું ! જમણમાં, વરામાં, ઘરવપરાશમાં ઉદાશા-ઉદાશા થઈ ગયું.
ઘરની સ્ત્રી કહે, ‘ઉદાશા લાવ્યા છો કે બહારનું ?” શુદ્ધ ઘીનું નામ જ ‘ઉદાશા' પડી ગયું. પરિણામે ઉદા મારવાડીને ત્યાં ધનનો ઢગલો થવા
11 શ્રી મહાવીર વાણી પ્રત્યેક સાધક પ્રતિદિન ચિંતન કરે કે મેં શું કર્યું છે અને હવે શું કરવાનું બાકી છે ? મારાથી બની શકે એવું કાર્ય છે જે હું નથી કરી રહ્યો ?
શ્રી દશવૈકાલિક સૂત્ર ચૂલિકા
ભાવમંજૂષા ૧૪૬
18
૧૪૭ છ ભાવમંજૂષા