________________
વેપાર વગેરે કરી શકતો નથી. તેથી ઘરકામ કરે છે પણ તેથી એની ઉપેક્ષા ન થાય.”
શ્રીમનાં આ વચનો સાંભળી કોઈકે કહ્યું, “કેટલાક લોકો આ નોકરોનો કસ કાઢી નાંખતા હોય છે. એના પગાર કરતાં એની પાસેથી બમણું કામ કરાવતા હોય
૪
નોકર મારા જેવો
શ્રીમદ્ રાજચંદ્ર ભારતના મહાન અધ્યાત્મપુરુષ. એમને ત્યાં સૌરાષ્ટ્રના મોરબી ગામનો વતની લલ્લુ નોકર કામ કરતો હતો. ઘણાં વર્ષો સુધી લલ્લુએ શ્રીમદ્ રાજચંદ્રને ઘેર કામ કર્યું. ઉમંગભેર કામ કરે , હસતા ચહેરે દોડધામ કરે.
એવામાં એક વાર લલ્લુને ગળામાં ગાંઠ નીકળી. એનું શરીર ઓગળવા માંડ્યું. તાવ રહેવા માંડ્યો. તબિયત સાવ લથડી ગઈ. આ સમયે શ્રીમદ્ રાજચંદ્ર લલ્લુની સેવા કરવા લાગ્યા. શેઠ નોકરની સંભાળ લેવા લાગ્યા. વખત થાય ત્યારે ભોજન આપે, બરાબર ઔષધ આપે.
આ જોઈને બધાને આશ્ચર્ય થતું. શ્રીમની સાથે એમનો અનુયાયી વર્ગ હતો. તેઓ શ્રીમદ્ પાસેથી જ્ઞાન મેળવતા હતા અને શ્રીમદ્ પ્રત્યે અનન્ય ગુરુભક્તિ ધરાવતા હતા. નોકરની ચાકરી કરતા જોઈને કોઈએ શ્રીમન્ને કહ્યું, “અરે, આ શું કહેવાય! નોકરની તે સેવા થતી હશે ? નોકર એટલે નોકર. એણે તો આપણી સેવા કરવાની હોય, આપણે એની સેવા-ચાકરી કરવાની ન હોય.”
આ સાંભળી શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું, “નોકર તરીકે રહેનાર એની ગરીબ સ્થિતિને કારણે અને પૈસાના અભાવને લીધે નોકરી કરતો હોય છે. એ આર્થિક પરિસ્થિતિને કારણે
આ સાંભળી શ્રીમદ્ બોલ્યા, “શેઠ નોકર પાસેથી પગાર કરતાં વિશેષ લાભ મેળવવાની વૃત્તિ રાખે તો તે શેઠ તે નોકરી કરતાં હલકો ગણાય, ભીખ માગનાર કરતાં વધુ પામર માણસ કહેવાય.''
કોઈએ કહ્યું, “હે સદ્ગુરુ દેવ ! નોકર તરફ કેવી ભાવના રાખવી જોઈએ ?”
શ્રીમદે કહ્યું, “શેઠે નોકર પ્રત્યે એવી ભાવના રાખવી જોઈએ કે આ પણ મારા જેવો થાય. વળી નોકર પર કામનો ઘણો બધો બોજો હોય, ત્યારે એના કામમાં મદદરૂપ બનવું જોઈએ.”
કોઈએ પૂછ્યું, “તમે લલ્લુની આટલી બધી સંભાળ કેમ લો છો ?”
શ્રીમદે કહ્યું, “આજ સુધી એણે મારું કામ કર્યું, મને એની સેવા કરવામાં આનંદ છે. મારે એના જીવનનો અંત ઓછો દુઃખદાયી બનાવવો છે.''
નોકર લલ્લુની તબિયત બગડતી ચાલી. પોતાના ખોળામાં લલ્લુનું માથું રાખીને છેક અંત સમય સુધી એની સારવાર કરી.
મહાન અધ્યાત્મપુરુષની કરુણાનો સહુને પ્રત્યક્ષ પરિચય થયો. અધ્યાત્મના શિખરે બિરાજે લો માનવી તળેટીમાં વસતા સામાન્ય લોકોની ઉપેક્ષા કરતો નથી. એની દૃષ્ટિમાં રહેલી કરુણા બધા તરફ સમાનભાવે વહેતી હોય છે. માનવી જેમ અધ્યાત્મની ઊંચાઈએ પહોંચે છે તેમ તેમ કરુણાની પરાકાષ્ઠા સાધે છે.
ભગવાન બુદ્ધ એમના પર થૂકનારા પ્રત્યે પણ વહાલ રાખે છે. ભગવાન મહાવીર વિના કારણે દેશ દેનાર ચંડકૌશિક પર વાત્સલ્ય વરસાવે છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા અધ્યાત્મ પુરુષ એક સામાન્ય નોકરની જતનપૂર્વક સંભાળ લે છે. અને સ્નેહથી સેવા-સુશ્રુષા કરે છે.
ભાવમંજૂષા મ પર
પ૩ ) ભાવમંજય