________________
૨૯
ભગવાન મારે ત્યાં ભિક્ષા ગ્રહણ કરે તો કેવું સારું !
પારણાને દિવસે પ્રભુ મહાવીર નીકળ્યા અને પહેલું ઘર આવ્યું અભિમાનથી ભરેલા અભિનવશ્રેષ્ઠીનું. તેઓ શેઠના ઘરમાં પ્રવેશ્યા. અભિમાનીને સહેજે અણગમતી વાત કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એટલે એનું અભિમાન ઊછળી જાય. પ્રભુને જોઈને વૈરાગ્ય ન જાગ્યો. માત્ર ભીતરનો રાગ ઊપજ્યો. અભિનવ શેઠે અભિમાનથી દાસીને કહ્યું, “જરા, આમને કંઈક ભિક્ષા આપીને વિદાય કરો.”
દાસીએ લાકડાની પાલીમાં અડદના બાકળા લાવીને વહોરાવ્યા અને પ્રભુ મહાવીરે ચાર ચાર મહિનાના ઉપવાસનું પારણું કર્યું. અભિનવ શેઠના ઘેરથી પ્રભુ પાછા ફર્યા.
બીજી બાજુ જિનદત્ત શેઠ નિરાશ થયા. પ્રભુને પારણું કરાવવાનું મહાભાગ્ય પોતાને ન મળ્યું. બન્યું એવું કે અભિનવ શેઠે આપેલી ગોચરી સફળ થઈ નહીં કારણ કે એમાં કોઈ ભક્તિ નહોતી. જિનદત્ત શેઠે ભગવાનને ગોચરી વહોરાવી નહીં પરંતુ એમના હૃદયમાં સાચી ભક્તિ હતી તેથી ભિક્ષા આપ્યા વગર તે ફળી.
ભગવાન ભાવના ભૂખ્યાં છે. જેના હૃદયમાં સાચો ભાવ હોય તેની ભક્તિ
મૃત્યુ બન્યું મહોત્સવ
આમેય ધર્મ આખો ભાવના પર આધારિત છે. વ્યક્તિનું હૃદય એ ધર્મનું સ્થાન છે અને એની ભાવનાઓ એ ધર્મની અનુભૂતિ છે. સાચો ધર્મ વસે છે સાચી અનુભૂતિમાં. આથી જ અભિનવ શ્રેષ્ઠીએ ગોચરી આપી પણ એને કશું ફળ ન મળ્યું. જિનદત્ત શેઠે સાચા હૃદયથી ગોચરીની ભાવના સેવી અને એમને ફળ મળ્યું.
મહાન જ્ઞાની આર્ય વજ ૮૮ વર્ષની ઉમરે પહોંચ્યા હતા. એમની સાધનાનો પ્રભાવ એવો હતો કે એમના જીવનમાં પળનો પણ પ્રમાદ જોવા ન મળે.
ક્યારેક શાસ્ત્રગ્રંથોના અભ્યાસમાં ઊંડી ડૂબકી લગાવતા હોય, તો ક્યારેક તત્ત્વવિચારની લાંબી ખેપ કરી આવતા હોય. ક્વચિત્ ધર્મક્રિયામાં તલ્લીન થઈ ગયા હોય, તો
ક્વચિત્ આત્માનો અવાજ સાંભળવામાં લયલીન બની ગયા હોય.
આવા પ્રભાવશાળી સૂરિજીના જીવનમાં એક ક્ષણ પણ કળ વળીને બેસતી નહોતી. અનુપમ હતી એમની આત્મજાગૃતિ.
ભારતવર્ષના દક્ષિણ દેશમાં વિચરતા એક વાર સૂરિજીને શરદી થઈ અને ભિક્ષામાં એમણે સુંઠનો ગાંઠિયો મંગાવ્યો.
ગોચરી બાદ આ ગાંઠિયો લેવો હતો તેથી એને કાને ચડાવી રાખ્યો, પણ સૂરિજી લેવાનું વીસરી ગયા. રાત્રે પ્રતિક્રમણ કરતી વખતે કાન પર હાથ ગયો અને પેલો સુંઠનો ટુકડો પડી ગયો.
આ સાવ નાની ઘટનાએ સુરિજીના ચિત્તમાં ખળભળાટ મચાવી દીધો. જીવનભર અપ્રમાદ સેવનારને માટે આ
11 શ્રી મહાવીર વાણી | કસાય-ક્રોધ, માન, માયા અને લોભને અગ્નિ કહે છે અને બુઝાવવાને માટે શ્રત, શીલ અને તપ એ જાલ
છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૩, ૫૩
ભાવમંજૂષા બે ઉર
કa o ભાવમંજૂષા