________________ હર ભગવઈ - 31/161 તો અહીંથી કાલમાસે કાળ કરી તમે બલિચંચા રાજધાનીમાં ઉત્પન્ન થશો. ત્યાં ઉત્પન્ન થયા પછી તમે અમારા ઈદ્ધ થશો, તથા અમારી સાથે દિવ્ય ભોગ્યભોગને ભોગવતા તમે આનંદ અનુભવશો. જ્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓએ આમ કહ્યું અને તે વાતને તે બોલતપસ્વીએ આદરી નહિં. સ્વીકારી નહિં, પણ ત્યારે તે બલીચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓએ તે તામલી મૌર્યપુત્રને બીજીવાર અને ત્રીજીવાર પણ ત્રણ ત્રણ પ્રદક્ષિણા કરીને પૂર્વની વાત કહી. તે અસુરકુમારોએ પૂર્વ પ્રમાણે બે, ત્રણવાર યાવતું-કહ્યું તો પણ, તે તામલી મૌર્યપુત્રે કાંઈપણ જવાબ ન દીધો, મૌન ધારણ કર્યું. પછી છેવટે જ્યારે તામલી બાલ- તપસ્વીએ તે બલિચંશ રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવોને અને દેવી-ઓનો અનાદર કર્યો, તેઓનું કથન માન્યું નહીં ત્યારે તે દેવો જે દિશામાંથી આવ્યા હતા તેજ દિશામાં પાછા ચાલ્યા ગયા. [12] તે કાળે, તે સમયે ઈશાન કલ્પ ઈદ્ર અને પુરોહિત વિનાનો હતો. તે વખતે તામલી બોલતપસ્વીએ પૂરેપૂરાં સાઈઠહજાર વર્ષ સુધી સાધુ પર્યાયને પાળીને, બે માસ સુધીની, સંલેખનાવડે આત્માને સેવીને, એકસોનેવીસ ટેક અનશન પાળીને કાળમાસે કાળ કરીને ઈશાનકલ્પમાં, ઈશાનવતંસક વિમાનમાં. ઉપરાત સભામાં, દેવશય્યામાં. દેવવસ્ત્રથી ઢંકાએલ અને આગળની અસંખ્યય ભાગ જેટલી અવગાહનામાં ઈશાનકલ્પમાં દેવેંદ્રની ગેરહાજરીમાં ઈશાનદેવેંદ્રપણે જન્મ ધારણ કર્યો. હવે તે તાજા ઉત્પન્ન થએલ દેવેંદ્ર, દેવરાજ ઈશાન પાંચ પ્રકારની પયાપ્તિવડે પતિપણાને પામે છે. હવે, બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓએ એમ જણ્યું કે, તામીલી બાલતપસ્વી કાળધર્મ પામ્યો, અને તે ઈશાનકલ્પમાં દેવેંદ્રપણે ઉત્પન્ન થયો. તેથી તેઓએ ઘણો ક્રોધ કર્યો કોપ કર્યો, ભયંકર આકાર ધારણ કર્યો, અને તેઓ બહુ ગુસ્સે ભરાણા. પછી તેઓ બધા બલીચંચા રાજધાનીના મધ્ય ભાગમાં થઈ નીકળ્યા. અને તે ઉત્કૃષ્ટગતિવડે જે તરફ ભારતવર્ષ છે, તામ્રલિપ્તી નગરી છે. તામલી બાલતપસ્વીનું શરીર છે તે તરફ આવીને તે દેવો તે તામલી મૌર્યપુત્રના મુડદાને ડાબે પગે દોરી બાંધી, તેના મોઢામાં ત્રણવાર થુંકી. એને તાપ્રલિપ્તી નગરીમાં સિંગોડાના ઘાટવાળા માર્ગમાં ત્રણ શેરી ભેગી થાય તેવા માર્ગમાં નત્રિકમાં, ચોકમાં, ચતુર્મુખ માર્ગમાં, અને મહામાર્ગમાં, તે. મુડદાને ઢસળતા ઢસળતા અને બુલંદ અવાજે ઉદ્ઘોષણા કરતા તે દેવો આ પ્રમાણે બોલ્યા કે - હે પોતાની મેળેજ તપસ્વીના વેલને ધારણ કરનાર અને પ્રાણામા’ નામની પ્રવ્રજ્યાથી પ્રવ્રજીત થયેલા તે તામલી બાલતપસ્વી કોણ? તથા ઈશા-કલ્પમાં થયેલ દેવેંદ્ર દેવરાજ ઈશાન કોણ? એમ કરીને તાલી બાલતપસ્વીના શરીરની હીલના કરે છે, નિંદા કરે છે, ખિસા કરે છે, ગહ કરે છે, અપમાન કરે છે, તર્જના કરે છે, માર મારે છે, કદર્થના કરે છે, તેને હેરાન કરે છે, અને આવું અવળું જેમ ફાવે તેમ સળે છે, તથા તેમ કરીને તેના શરીરને એકાંતે નાખી જે દિશામાંથી તે દેવો પ્રકટ્યા હતા તેજ દિશામાં ચાલ્યા ગયા. [13] હવે તે ઈશાનકલ્પમાં રહેનારા ઘણા વૈમાનિક દેવો અને દેવીઓએ આ પ્રમાણે જોયું કે, બલીચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓ બાલતપસ્વી તામલિના શરીરને હીલે છે, નિંદે છે, ખિસે છે, અને તેના શરીરને આવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org