Book Title: Agam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 519
________________ 516 ભગવાઈ - 342 થી 12-1043 (શતકઃ૩૫) -શતક-ચાતક: 1 - -કઉસો-૧ - [104 હે ભગવન્! કેટલાં મહાયુગ્મો-મહારાશિઓ કહ્યાં છે ? હે ગૌતમ ! સોળ. કૃતયુગ્મકૃતયુગ્મ, કૃતયુમોજ, કૃતયુગ્મ- દ્વાપરયુગ્મ, કૃતયુગ્મકલ્યોજ, સોજકૃતયુગ્મ, જોજ, ચ્યોજદ્વાપરયુગ્મ, સોજક- લ્યોજ, દ્વાપરયુગ્મકૃતયુગ્મ. દ્વાપરયુગ્મત્રોજ, દ્વાપરયુગ્મતાપરયુગ્મ, દ્વાપરયુગ્મ- કલ્યોજ, કલ્યોજકૃતયુગ્મ, કલ્યો જોજ, કલ્યોજદ્વાપરયુગ્મ, કલ્યોજકલ્યો. હે ગૌતમ ! જે રાશિને ચાર સંખ્યાના અપ હારથી અપહારતાં ચાર બાકી રહે અને તે રાશિના અપહરસયો પણ કૃતયુગ્મ હોય તો તે (રાશિ) કતયુગ્મકતયુગ્મ કહેવાય જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં ત્રણ બાકી રહે અને તે રાશિના અપહારસમયો પણ કૃતયુગ્મ હોય તો તે રાશિ કૃતયુગ્મોજ કહેવાય. જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં બે બાકી રહે અને તે રાશિના અપહારસમયો કુતયુગ્મ હોય તો તે મૃતયુગ્મદ્વાપરયુગ્મ કહેવાય. જે રાશિને ચાર સંખ્યાના અપહારથી અપહારતાં એક બાકી રહે અને તે રાશિના અપાર સમયો કૃતયુગ્મ હોય તો તે કૃતયુગ્મકલ્યોજ કહેવાય. યાવતું એ પ્રમાણે બાકીના બધા ભેદ જાણવા માટે તે હેતુથી ભાવતુ-કલ્યોજકલ્યોજ સુધી સોળ મહાયુગ્મો કહ્યાં છે. [105] હે ભગવન્! કૃતયુગ્મકતયુગ્મ રાશિરૂપ એકેદ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! જેમ ઉત્પલોદ્દેશકમાં ઉપપાત કહ્યો છે તે પ્રમાણે અહીં ઉપપાત કહેવો. તે જીવો એક સમયે સોળ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત. જીવો ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તે જીવો સમયે સમયે અનન્તા અપહરાય અને અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સુધી અપહરીએ તો પણ તેઓ ખાલી થાય નહીં. તેઓની ઉંચાઈ ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવી. તેઓ જ્ઞાનાવરણીય કર્મના બંધક છે, પણ અબંધક નથી. એ રીતે આયુષ સિવાય બધો કમ વિષે જાણવું, તેઓ આયુષના બંધક પણ છે અને અબંધક પણ છે. તે જીવો જ્ઞાના- વરણયીના વેદક છે, પણ અવેદક નથી. એ પ્રમાણે બધા કમ સંબંધે સમજવું. હે ગૌતમ ! તેઓ સાતાના વેદક છે અને અસાતાના વેદક પણ છે. જેમ ઉત્પલ ઉદેશકમાં કર્મ સંબંધે જે પરિપાટી કહી છે તે અહીં જાણવી. તેઓ બધાય કર્મોના ઉદયી છે પણ અનુદયી નથી. છ કર્મોના ઉદીરક છે, પણ અનુદીરક નથી. વેદનીય અને આયુષ કર્મના ઉદીરક પણ છે અને અનુદીરક પણ છે. હે ભગવન્! શું તે જીવો કૃષ્ણલેશ્યાવાળા છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તેઓ કૃષ્ણલેશ્યાવાળા, નીલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા તથા તેજલેશ્યાવાળા છે. તેઓ મિથ્યાદ્રષ્ટિઓ છે. અવશ્ય બે અજ્ઞાનવાળા છે.-મતિઅજ્ઞાનવાળા અને શ્રુતજ્ઞાન વાળા. માત્ર કાયયોગ- વાળા છે. સાકાર ઉપયોગવાળા છે અને અનાકાર ઉપયોગવાળા પણ છે. હે ભગવન્! તે એકેન્દ્રિય જીવોનાં શરીરો કેટલા વર્ષવાળાં હોય છે-ઈત્યાદિ ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે સર્વ અર્થના પ્રશ્નો કરવા. હે ગૌતમ ! ઈત્યાદિ. ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવા તેઓ ઉચ્છવાસવાળા, નિઃશ્વાસવાળા અને ઉછુવાસનિઃશ્વાસ વિનાના પણ છે. આહારક અને અનાહારક છે. અવિરતિવાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532