Book Title: Agam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 478 ભગવાઈ-૨૫૫-૫૬૧૯ વાળો તે વેશ્યાવાળો હોય, તેને છ લેશ્યા હોય. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા યાવતુ- શુક્લ લેશ્યા.નિગ્રંથ વેશ્યાવાળો હોય, તેને એક શુક્લલેશ્યા હોય. સ્નાતક વેશ્યાવાળો હોય અને વેશ્યારહિત પણ હોય. જો તે વેશ્યાવાળો હોય તો તેને એક પરમશુલ્ક વેશ્યા હોય. [920 હે ભગવનું ! પુલાક વધતા પરિણામવાળો હોય, ઘટતા પરિણામવાળો. હોય કે સ્થિર પરિણામવાળો હોય? હે ગૌતમ! ત્રણે હોય એ પ્રમાણે વાવતુ-કષાયકુશીલ સુધી જાણવું.નિગ્રંથ તે વધતા પરિણામવાળો હોય સ્થિરપરિણામવાળી હોય એ પ્રમાણે સ્નાતક સંબધે પણ જાણવું. હે ભગવન્! પુલાક કેટલા કાળ સુધી વધતા પરિ રામવાળો હોય ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી મુલાક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી હાયમાનપરિણામવાળો હોય. કેટલા કાળ સુધી સ્થિર પરિણામવાળો હોય ? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાત સમય સુધી સ્થિર પરિણામવાળી હોય. એ પ્રમાણે યાવતુ-કષાયકુશીલ સંબધે પણ, સમજવું.નિગ્રંથજઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી વધતા પરિણામેવાળો હોય. જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી સ્થિર પરિણામવાળો હોય. સ્નાતક જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી વધતા પરિણામ- વાળો હોય. સ્નાતક જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન પૂવકોટી વર્ષ સુધી તે સ્થિર પરિણામવાળો હોય. [21] હે ભગવન! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓને બાંધે? હે ગૌતમ ! તે એક આયુષ સિવાયની સાત કર્મપ્રકૃતિઓને બાંધે.બકુશ સાત કે આઠ કર્મપ્રકૃતિઓને બાંધે. જો સાત કર્મને બાંધે તો આયુષ સિવાયના સાત કમને બાંધે, અને જો આઠ પ્રકૃતિઓ બાંધે તો સંપૂર્ણ આઠ પ્રકૃતિઓ બાંધે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાય- કુશીલ સાત આઠ કે છે કર્મપ્રકૃતિઓને બાંધે, જો સાતને બાંધે તો આયુષ સિવાયની સાત બાંધે, તો પ્રતિપૂર્ણ આઠ પ્રકૃતિઓને બાંધે, અને છને બાંધે તો આયુષ અને મોહનીય સિવાયની છ કમપ્રકૃતિઓને બાંધે. નિગ્રંથ માત્ર એક વેદનીય કર્મને બાંધે. સ્નાતક એક કર્મપ્રકૃતિને બાંધે, અથવા ન બાંધે. જો એકને બાંધે તો એક વેદનીયકર્મને બાંધે. [22] હે ભગવન્! પુલાક કેટલી કર્મપ્રકૃતિને વેદ-અનુભવે ? હે ગૌતમ ! તે અવશ્ય આઠે કર્મપ્રકૃતિઓને વેદ. એ પ્રમાણે યાવતુ-કષાયકુશીલ સંબધે જાણવું. નિથ મોહનીય સિવાયની સાત કર્યપ્રકૃતિઓને વેદે સ્નાતક વેદનીય, આયુષ, નામ અને ગોત્રએ ચાર કમપ્રકૃતિઓને વેદે. [૯ર૩ હે ભગવન્! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓને ઉદીરે? હે ગૌતમ ! આયુષ અને વૈદનીય સિવાય છ કર્મપ્રકૃતિઓને ઉદીરે. બકુશ સાત, આઠ કે છ કર્મપ્રકૃતિઓને ઉદીરે. જો તે સાતને ઉદીરે તો આયુષ સિવાયની સાત કર્યપ્રકૃતિઓને ઉદીરે, જો આઠ પ્રકૃતિઓને ઉદીરે તો સંપૂર્ણ આઠે કર્મપ્રકૃતિઓને ઉદીરે, અને જો છને ઉદીરે તો આયુષ અને વેદનીય સિવાયની છ કર્મપ્રકૃતિઓને ઉદીરે. પ્રતિસેવનાકુશીલ પણ એજ પ્રમાણે સમજવો. કષાયકુશીલ સાત, આઠ, છ કે પાંચ કર્મપ્રકૃતિઓને ઉદીરે. સાતને ઉદીરતો આયુષ સિવાયની સાત કર્મપ્રકૃતિઓને ઉદીર, આઠને ઉદીરતો સંપૂર્ણ આઠ કર્મપ્રકૃતિ ઓને ઉદીરે, છને ઉદીરતો આયુષ અને વેદનીય સિવાયની છ પ્રકૃતિને ઉદીરે, અને પાંચને ઉદીરતો આયુષ, વેદનીય તથા મોહનીય સિવાયની પાંચ કર્મપ્રકૃતિઓને ઉદીરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532