Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૪: ઉદ્દેશક-૧ ROREDRED સંક્ષિપ્ત સાર છRROR
આ ઉદ્દેશકમાં નૈરયિકના દંડકમાં ઉત્પન્ન થનારા જીવોનું ૨૦ ધારના માધ્યમથી નિરૂપણ છે. નરકના દંડકમાં ત્રણ પ્રકારના જીવો આવીને ઉત્પન્ન થાય છે(૧) અસલી તિર્યંચ પંચેન્દ્રિય :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની સ્થિતિવાળા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં જ જાય છે. તે બીજી આદિ નરકોમાં જતા નથી. તે જીવો ત્યાં જઘન્ય ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે નરકમાં ગમનાગમન કરતા જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભવ જ કરે છે. કાલાદેશ– તે જીવ બે ભવમાં જે કાલ વ્યતીત કરે છે તે કાલના યોગને આ શતકમાં કાલાદેશથી દર્શાવેલ છે. પ્રત્યેક જીવની પ્રાપ્ત સ્થિતિ અને પ્રાપ્ત થવાની સ્થિતિ પણ ભિન્ન-ભિન્ન હોય છે. આ વિભિન્નતાના નવ વિકલ્પો થાય છે તેને નવ ગમક કે નવ ગમ્મા કહે છે.
નાણતા- સમુચ્ચય રૂપે જે ઋદ્ધિ બતાવી હોય તેના કરતાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે ઋદ્ધિમાં જે તફાવત થાય તેને થોકડાની ભાષામાં નાણતા કહેવામાં આવે છે. સૂત્રમાં પ્રથમ ગમકની ઋદ્ધિથી અન્ય આઠ ગમકની ઋદ્ધિમાં જે વિશેષતા હોય તેને સૂચિત કરવા પાત્ત અને પાવર આ બે શબ્દ પ્રયોગ જોવા મળે છે. ગમ્માના થોકડામાં તે વિશેષતાઓની ગણતરી કરીને નાણત્તાઓની સંખ્યા નિશ્ચિત કરી છે. સૂત્રમાં સંખ્યા નથી. (૨) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય :- જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વની સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિય સાતે ય નરકમાં જાય છે. ત્યાં તે પ્રત્યેક નરકમાં તે-તે નરકના સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. તે નારકી જીવો પણ મરીને સંજ્ઞી તિર્યચપણે જન્મ ધારણ કરી શકે છે. આ રીતે પરંપરા ચાલે, તો તે જીવ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તેમાં ચાર ભવતિર્યંચના અને ચાર ભવ નરકના થાય છે. આ રીતે છ નરક સુધી થાય છે. સાતમી નારકીની રર સાગરોપમની સ્થિતિએ ઉત્કૃષ્ટ સાત ભવ સુધી પરંપરા ચાલે છે અને સાધિક રર સાગરોપમથી લઈને ૩૩ સાગરોપમ સુધીની સ્થિતિએ ઉત્કૃષ્ટ પાંચ ભવ સુધી જ પરંપરા ચાલે છે. આ રીતે સંજ્ઞી તિર્યંચ સાતે નરકમાં નવ ગમકથી ગમનાગમન કરે છે. (૩) સન્ની મનુષ્ય - મનુષ્ય સાત નરકમાં જાય છે અને છ નરકના નારકો મરીને મનુષ્ય થઈ શકે છે. સાતમી નરકમાંથી નીકળેલા જીવો મનુષ્ય થઈ શકતા નથી. તેથી ૧ થી નરક સુધી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ અને સાતમી નરકમાં જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ થાય છે. નાણત્તા- અસંજ્ઞી તિર્યંચના પ્રથમ નરકની અપેક્ષાએ જઘન્ય ગમ્માના ત્રણ અને ઉત્કૃષ્ટ ગમ્માના બે, આ રીતે કુલ પાંચ નાણત્તા થાય છે. તિર્યંચ પંચેન્દ્રિયના સાતે નરકની અપેક્ષાએ જઘન્ય ગમ્માના આઠ અને ઉત્કૃષ્ટ ગમ્માના બે, એમ કુલ ૧૦ નાણત્તા છે; તે ૧૦૪૭=૭0 નાણત્તા થાય છે. મનુષ્યમાં પ્રથમ નરકમાં કુલ આઠ નાણત્તા અને શેષ છે નરકમાં છ-છ નાણત્તા થાય છે. નાણત્તાના સર્વ બોલોનું સ્પષ્ટીકરણ સૂત્રમાં છે.
આ રીતે નરકમાં જનારા ત્રણ પ્રકારના જીવો સંબંધી ગમ્મા, નાણત્તા અને ભવાદેશ-કાલાદેશ યુક્ત ઋદ્ધિનું વર્ણન આ પ્રથમ ઉદ્દેશકમાં છે.