Page #1
--------------------------------------------------------------------------
________________
Gadeshంతం కలకాలంతకంతకంతకుడిని
મંગલમયી મયણાસુરી
આનો
શીલાપત્તા શ્રીપાળરાજા
સંપાદક ૨૯સુનંદાબહેન
- પ્ર8ાશ8 ::
હરસુખભાઈ ભાયચંદ મહેતા - કYયયય5Xય5X5Xય5¥ય5kય5454545¥યyય5}
Page #2
--------------------------------------------------------------------------
________________
શું
મંગલમયી મયણાસુંદરી
અને
શીલસંપન્ન શ્રીપાળરાજા
-~૯- સંપાદક -
સુનંદાબહેન
– પ્રકાશક ૨૯ હરસુખભાઈ ભાયચંદ મહેતા
----
-
----------
Page #3
--------------------------------------------------------------------------
________________
મંગલમયી મયણાસુંદરી
અને શીલસંપન્ન શ્રીપાળરાજા
– સંપાદક -~સુનંદાબહેન
– પ્રકાશક ~~ હરસુખભાઈ ભાયચંદ મહેતા ૨૦૩, વાલકેશ્વર રોડ, પેનોરમા,
મુંબઈ - ૪૦૦ ૦૦૬ ફોન : ૨૩૬૯૦૬૦૩ / ૨૩૬૯૦૬૦૮
- પ્રાપ્તિસ્થાન -
સેવંતીલાલ વી. જૈન ડિી-પર, સર્વોદય નગર, પહેલી પાંજરાપોળ, ગ્રાઉન્ડ ફ્લોર, મુંબઈ-૪૦૦ ૦૦૪.
ફોન : ૨૨૪૦ ૪૭૧૭ મૂલ્ય : રૂા. ૨૫/
મુદ્રક ૨૯રમેશ પ્રિન્ટર્સ મુંબઈ - ૪૦૦ ૦૦૪ મોબાઈલ : ૯૮૨૦૧૪૯૨૮૮
Page #4
--------------------------------------------------------------------------
________________
Gભક
ધર્મપરાયણ વાત્સલ્યમૂર્તિ
પૂ. વડીલ હરિમા
ફરે
. .
.
| .
#
#
#
''
પર
ન
MS
'
E
મંગલમયી મયણા સુંદરી
અને શીલસંપન્ન શ્રીપાળરાજા જેમના સ્મરણાર્થે આ ગ્રંથ પ્રકાશીત કરેલ છે.
૨૪ મી પુણ્યતિથી STUD તા. ૨૪-૧-૨૦૧૧ વ ર્ષ
For Private & Personal use only
Page #5
--------------------------------------------------------------------------
________________
અમરેલી નિવાસી પૂ. વડિલ હરિમા મહેતાની સંક્ષિપ્ત જાન ઝરમર
શાશ્વતતીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજ તથા ગિરનાર આદિ પાવનતીર્થોની હારમાળાથી શોભતા સોરઠદેશની રળિયામાણી ભૂમિમાં આવેલું મહવા ગાય તે સમયે ધર્મની જાહોજલાલીથી ઘમઘમતું હતું.
વિ. સં. ૧૯૬૩માં અમરેલી નિવાસી મહેતા મળચંદભાઈ વછરાજભાઈ સાથે હરિબેન લગ્નગ્રંથીથી જોડાયા. રત્નકુક્ષિ હરિને વિ. સં. ૧૯૬૬માં તેજસ્વી પુત્ર ભાઈચંદને જન્મ આપ્યો, માત્ર સંસારનો જ નહિ, ધર્મનો પણ સુંદર વારસો માતાએ પુત્રને આપ્યો. પોતાના જીવનમાં એમણે ધર્મને તાણા – વાણાની જેમ વણી નાંખ્યો હતો. તેમનો જન્મ માત્ર ભૌતિક સુખ ભોગવવા જ નહી પણ તપ-ત્યાગ-સંયમસ્વાધ્યાયની આરાધના માટે વિશેષ હતો, એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય.
માત્ર ચાર વર્ષની વયે જેમ પિતાનું શિરછત્ર ગુમાવ્યું, તેમ વિ. સં. ૧૯૬૮માં માત્ર પાંચ જ વર્ષના લગ્નજીવનમાં પતિનું પણ છત્ર ગુમાવ્યું. ત્યારે તેઓની ઉંમર ફક્ત ૧૯ વર્ષની અને પુત્ર ભાઈચંદની ઉંમર માત્ર બે જ વર્ષની હતી. કર્મસત્તા આગળ કોનું ચાલે? પણ દૃઢધર્મી આત્માઓ સંસારમાં આવતી આધિ-વ્યાધિ કે ઉપાધિની આંધીથી ડરતા નથી, તેમ હરિબેન પણ એકબાજુ ફરજરૂપે બાળકને મોટો કરે છે-સાથે ધર્મનું સિંચન કરે છે. બીજી બાજુ પોતે વિશેષ ધર્માભિમુખ બને છે. ધર્મી આત્માઓને સમય મળે તો ધર્મ કરવાની સુંદર તક મળી
Fer Private Personal use one www.jainlike
Jain Education.
Page #6
--------------------------------------------------------------------------
________________
એમ થાય, જ્યારે સંસારરસિક જીવોને સમય મળે તો આરંભસમારંભનાં પાપકાર્યો, પાપવિચારો અને વિકથાઓ કરવાનું મન થાય છે !
પૂ. હરિબેને બાળવિધવા થયા બાદ વિ. સં. ૧૯૭૩માં અમરેલીમાં બહેનો માટે જૈન પાઠશાળા શરૂ કરી અને એ બાળાઓ-બહેનો પાસે જૈનકોન્ફરન્સના એજ્યુકેશન બોર્ડની પરિક્ષાઓ અપાવી. આ રીતે સોળ વર્ષ સુધી પોતાના રોજીંદા જીવનમાં પણ નિત્ય સામાયિક, ઉભયટંક પ્રતિક્રમણ, પરમાત્મભક્તિ - પૂજા, આદિ નિયમિત ચાલુ હતું. વિ. સં. ૧૯૯૫માં કરાડ મુકામે (પુના પાસે) ૧. પાદ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પાતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામંચદ્રસૂરીશ્વરજી મ.સા.ની તારકનિશ્રામાં પૂ. હરિબાએ પ્રથમ ઉપધાનતપ કરી મોક્ષમાળાનું પરિધાન કર્યું હતું. સમ્યગ્દર્શનને નિર્મળ બનાવનારી શ્રી સિદ્ધગિરિરાજની નવ્વાણુયાત્રા, કલ્યાણક ભૂમિઓની સ્પર્શના, ગિરનારાદિ અનેક તીર્થોની યાત્રા, તથા શ્રી વીસસ્થાનક આદિ તપશ્વર્યાઓ તેઓએ પૂર્ણ કરી હતી અને જીવનપર્યંત ઉફાળેલું જ પાણી વાપર્યું હતું.
તેઓના નાની મોટી અનેક તપશ્ચાઓ અને સુકૃત્યોની અનુમોદનાર્થે મુંબઈ - વાલકેશ્વર શ્રી પાળનગરની આંગણે જીવતા જ વિ. સ. ૨૦૩૩ માં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન (શ્રી બાબુભાઈ કડીવાળા એ ભણાવેલ) પંચાણિકા મહોત્સવ પૂ. ચંદ્રશેખર વિજયજી મહારાજ જેઓ હાલ પન્યાસજી છે તેમની નિશ્રામાં ધામધુમથી ઉજવ્યો હતો.
પોતાના ઉપકારીગુરૂદેવ સુવિશાલગચ્છાધિપતિ વ્યા. વા. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા.
Page #7
--------------------------------------------------------------------------
________________
ચંદનબાળા જૈન ઉપાશ્રય ખાતે પધાર્યા હતા, ત્યારે પોતાની તબિયત નાદુરસ્ત હોવાથી ભાવના જાગી કે, પૂ. ગુરૂદેવના પુણ્યપગલાં મારા ઘરઆંગણે ‘પેનોરમા' માં થાય અને તેઓશ્રીજીના શુભઆશીષ ધર્મલાભ પ્રાપ્ત થાય તથા પૂ.શ્રીના સ્વમુખે માંગલિક સાંભળવાનો લ્હાવો મળે! આ ભાવના અમારી પાસે વ્યક્ત કરતાં અમે પૂ. ગુરુદેવના ચરણોમાં પહોંચ્યા. પૂ. શ્રીને વાત કરી, કરુણાસાગર એ મહાપુરૂષે તરત જ વિનંતિ સ્વીકારી એટલે પૂ. હરિમાનો મનમયૂર નાચી ઊઠ્યો. ધર્માત્માને દેવ-ગુરૂ-ધર્મ ત્રણે ખૂબ વહાલાં હોય છે. હરિમાએ પૂ.આચાર્યદેવેશ પાસે સમાધિમરણ મળે એવા આશિષ માગ્યા. ભવ્યાત્માને બીજું શું જોઈએ? ખરા હૃદયથી કરેલી ભાવનાપ્રાર્થના ફળીભૂત થાય જ છે. પૂ.માતામહ માટે પણ એવું જ બન્યું! તેઓશ્રીએ જેવું ઈચ્છયું હતું તેવું સમાધિમરણ વિ.સં.૨૦૪૪ પોષ વદ-૯, શનિવાર ૨૪-૧-૧૯૮૭ના દિને મળ્યું!
અંતિમ દિવસ સુધી જેએ સ્વાધ્યાયમગ્ન હતાં, જ્ઞાનગંગામાં ઝીલતાં હતાં, તે પૂ. હરિમા અમારા વિશાળ પરિવાર માટે વટવૃક્ષની છાયા સમાન હતા. તેઓશ્રીએ અમારાં સૌનાં હૈયાં ધાર્મિક તેમજ નૈતિક સંસ્કારોથી સુવાસિત બનાવ્યાં છે. તેઓનો પાર્થિવદેહ ભલે આજે અમારી વચ્ચે નથી પણ યશોદેહ તો આજે ય અમારી આંખ સામે રમે છે,
અનેક આત્માઓને જીવન જીવવાની કળા શીખવનાર પૂ. ઉપકારી હરિમાને હજારો વંદન!
મહેતા ભાયચંદ મુળચંદ પરિવાર
-vikasuuuuuuuતાણાવા
-ગ-પાના-નળાકાર
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રાસંગિક
જૈનશાસનમાં સિદ્ધચક્રજી-નવપદજીનો અત્યંત મહિમા ગવાતો રહ્યો છે. સર્વ તપોમાં આ નવપદજીની આરાધનાને મંગળકારી માની છે.
નવપદ એટલે અરિહંત, સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પંચ પરમેષ્ટિ સ્વરૂપે છે; અને દર્શન, જ્ઞાન, ચરિત્ર તથા તપ ધર્મસ્વરૂપે આરાધવા યોગ્ય છે અર્થાત્ શ્રેષ્ઠ અવલબન છે.
શીલસંપન શ્રીપાળ અને મંગળમયી મયણાસુંદરી શ્રી નવપદજીની આરાધના કરી શાશ્વત સુખ પામ્યાં હતાં. તેની કથા અનંતલિધ્વનિધાન ગુરુ શ્રી ગૌતમ ગણધરે સ્વમુખે શ્રેણિક રાજાને કહી હતી.
આ કથાનું હાર્દ અનુપમેય છે. આત્માર્થીઓને આરાધના કરવાનું શ્રેષ્ઠ અવલંબન છે. મુમુક્ષુઓને મુક્તિપ્રાપ્તિ માટે શ્રેષ્ઠ સાધન છે. રોગીને નિરોગી થઈ જવા ધર્મમાર્ગે જવા પ્રેરકબળ છે. રાગીને વીતરાગતા પ્રગટાવનારું પાથેય છે. પરિભ્રમણરૂપ ભવરોગ ટાળવાનો ઉત્તમ માર્ગ છે.
વાસ્તવમાં આ કથા નવપદજીની આરાધનાની સરળતાથી સામગ્રી પૂરી પાડે છે. તેનું આરાધન કરીને ભવ્ય જીવો દુ:ખમુક્ત થઈ શકે તેવો તેનો પ્રભાવ છે. તેના બાહ્ય
Page #9
--------------------------------------------------------------------------
________________
વિધિ-વિધાનોની વિવિધતા છે. અત્યંતરવિધિ વિષયો અને કષાયોને ક્ષીણ કરવાની છે. જગતના જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવના કેળવવાની છે. રાગદ્વેષને જીતવા એ આરાધનાનું હાર્દ છે.
સારવર્જિત આ સંસારમાં સર્વજ્ઞ પરમાત્માએ સારભૂત તત્ત્વોનું નિરૂપણ કરી જગતના જીવો પર અત્યંત કરુણા કરી છે. તેમાં નવપદજી શ્રેષ્ઠ સારભૂત અવલંબન છે. અજ્ઞાનવશ જીવ કર્મસત્તાથી પ્રભાવિત થયેલો છે. નવપદજીની શુદ્ધભાવે વિધિસહ આરાધના કરવાથી ધર્મસત્તાને મોકળાશ મળે છે ત્યારે આ કથાના નાયકોની જેમ અન્ય જીવો પણ ધર્મસત્તાના પ્રભાવથી સંસારનો છેદ કરવા સમર્થ બને છે. આ કાર્ય કદાય એક જન્મે ન થાય તો પણ, સાચા હૃદયથી કરેલું તપ-આરાધના અન્ય જન્મમાં સાથ આપી તેનો સંસ્કાર સાધકને સાચે માર્ગે લઈ જવા પ્રેરે છે.
આ કાળમાં સાક્ષાત્ મોક્ષ પ્રગટ થવાના નિમિત્તો ઉપલબ્ધ નથી, તેના સમયે પરમ પવિત્ર નવપદજીની આરાધનાથી મિથ્યાત્વ જેવા મહાદોષોનો નાશ થાય છે. અથવા સમિતિ આત્માઓને વિશેષ શુદ્ધ થવા આ આલંબન ઉપકારક છે તેમ શાસ્ત્રકારો કહે છે.
પ્રસ્તુત કથા શ્રીપાળરાજાના રાસ તરીકે ગ્રંથબદ્ધ સુપ્રસિદ્ધ છે અને લોકપ્રિય છે.
વિ. સં. ૧૭૩૮માં ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી
Page #10
--------------------------------------------------------------------------
________________
મહારાજે આ ગ્રંથનો પ્રરંભ કર્યો હતો. પરંતુ તેઓનું સ્વાર્ગારોહણ થતાં બાકીની ગ્રંથરચના ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજીએ પૂર્ણ કરી હતી. આમ જનતાને એક ગ્રંથમાં બે મહાપુરુષોની પ્રસાદીનો લાભ મળ્યો કહેવાય.
શ્રીપાળ રાજાનો રાસ ઘણા સમય પછી વાંચવામાં આવ્યો. તેમાંથી ભાવ ઉલ્લાસિત થતાં સંક્ષિપ્ત કથાનું સંકલન સહેજ થઈ ગયું. જો કે વિશેષતા તો સ્વશ્રેયની છે.
આજના યુગમાં જીવનની દોડમાં આવી સંક્ષિપ્ત કથાઓ જીવનમાં સવિચાર અને સદાચાર કેળવવામાં, તથા ધર્મશ્રદ્ધાને દઢ કરવામાં સહાયક બને છે. પુણ્ય-પાપનો ઘેરાવો કેવો સફળ છે તે સમજાય છે અને મુક્ત થવાની ચાવી મળે છે.
- મંગલમયી મયણા અને શીલવાન શ્રીપાળરાજાની સાધના, તેમનાં જીવનરહસ્યો આપણને પ્રેરણાદાયી બની રહે તેવી અભ્યર્થના.
પ્રસ્તુત કથાનાં રહસ્યો અને નવપદજીની આરાધનાની વિસ્તૃત માહિતી માટે જૈન પ્રકાશન મંદિર દ્વારા સંપાદક પંડિત શ્રી રસિકલાલ શાંતિલાલ મહેતા-રચિત શ્રીપાળ રાજાનો રાસ અને શ્રી સિદ્ધચક્ર આરાધક શ્રી બાબુભાઈ કડીવાળા પાસેથી શ્રીપાળ અને મયણાનાં આધ્યાત્મિક જીવન રહસ્યો વાંચવા, મનન કરવા અને જીવનમાં ગુંથવા જેવા છે. સંક્ષિપ્ત સંપાદન માટે આ બન્ને ગ્રંથકર્તાના ગ્રંથોની આ લેખનમાં પરોક્ષ પ્રેરણા મળી છે. Jain Education international Formate personal use only
membrary
US
Page #11
--------------------------------------------------------------------------
________________
તેમજ શ્રી બાબુભાઈ કડીવાળા પાસે શ્રી સિદ્ધચક્ર પૂજન તેમજ તેમના સ્વમૂખે શ્રીપાળ - મયણાનો રાસ સાંભળવાથી પણ ઘણું જ જાણવા મળે છે.
વિનીત સુનંદાબહેન
sc૯૯૯૯૯૧૯૯૦૯૯૭
નોંધ :
આ કથાના નામકરણમાં મયણાસુંદરીનું નામ પ્રથમ મૂક્યું છે, કારણ કે આ કથામાં પ્રથમ પ્રવેશ મયણાનો છે. વળી શ્રીપાળને તભવ અને પરભવમાં ધર્મમાર્ગ માં પ્રેરણાદાયિની પણ મયણા છે. આથી મહાસતીની જીવનકથા સ્ત્રીજગતને મહાઉપકારક છે.
cccccccccc5૯૯૭
સર્વ જીવો મોક્ષને પ્રાપ્ત કરે આ હક્ક સર્વ દર્શનોએ સ્વીકાર્યો છે. જીવ જ શિવરૂપ છે, મોક્ષસ્વરૂપ છે. તેત્તત્વ જીવમાં તિરોહિત ભાવે રહ્યું છે. તેને પ્રગટ કરવા જે જે સક્રિયાઓ સાક્ષાત્ કે પરંપરાએ નિમિત્તરૂપ છે તેને ધર્મમાર્ગ કહે છે. તેની આરાધના તે માનવજીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય છે.
ele=rewoh her enroloe
=erevere caelivereussexual
Awar Pereinereove,
Page #12
--------------------------------------------------------------------------
________________
અંતરની વાત “મંગલમયી મયણાસુંદરી અને શીલસંપન્ન શ્રીપાળરાજા”
“ધર્મ રક્ષિત રક્ષિત” મંગલમયી મયણાસુંદરી અને શીલ સંપન્ન શ્રીપાળરાજા ની કથા ઉપરોક્ત ઉક્તને સાકાર કરે છે. જૈન, ધર્મમાં આગવું સ્થાન ધરાવતી આ કથાનું શ્રી સુનંદાબહેન વોહરાએ સંક્ષિપ્તમાં કરેલ સંકલન ખૂબજ સુંદર છે. તેઓએ આવી જ સુંદર શૈલીમાં અન્ય કથાઓનું પણ આલેખન કરેલ છે તથા કલ્પસૂત્ર કથાસાર, શાંતિપથ દર્શન, નવતત્વનો સરળપરિચય, મુક્તિ બીજ શું કરવાથી પોતે સુખી, ગૌતમ સ્વામી લબ્ધી તણા ભંડાર, સુખી જીવનની ચાવી તમારા હાથમાં વગેરે પુસ્તકોનું આલેખન કરેલ છે.
શ્રી સુનંદાબહેન વોહરાના પ્રવચનો અત્રે તેમજ | પરદેશમાં બહુ જ લોકપ્રિય થયેલ છે. અનેક લોકો તેમનાથી પરિચિત છે પ્રસ્તુત પુસ્તિકા વાંચવાથી આપણને તેઓનો વિશેષ પરિચય થશે.
આ કથા આપણને કર્મની ફિલસૂફી અને શ્રી નવપદજીનું મહત્વ સમજાવે છે. પંચ પરમેષ્ટિ સ્વરૂપે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તથા ધર્મ સ્વરૂપે દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપ, એ નવપદની આરાધના અવશ્ય કરવા યોગ્ય છે.
દાળા ગાખાપાવાનાનાપથારાણાનાના નાના નાના
wainniાનાનાગાકારોબારી
Page #13
--------------------------------------------------------------------------
________________
આ કથાના દરેક વાચક કર્મની ફિલસૂદી પર દઢ બની શ્રી નવપદજીની આરાધનામાં રત બને એ જ અભ્યર્થના.
અમોએ અમારા ૫. વડિલ હરિમા ની ૭ મી પુણ્યતિથિએ સંવત ૨૦૫૦ પોષવદ ૯ તા. ૨૪-૧-૧૯૯૪ માં આ સુંદર પુસ્તિકા પ્રકાશીત કરેલ.
આજે અમો અમારા પૂ. વડિલ હરિમાની ૨૪ મી પુણ્યતિથીએ - તા.૨૪-૧-૨૦૧૧ ના તેઓના જીવનની રૂપરેખા સાથે આ પુસ્તિકા ફરીથી પ્રકાશિત કરીએ છીએ.
આ પુસ્તિકા તૈયાર કરાવી આપનાર શ્રી અજયભાઈ સેવંતિલાલ જૈન ના સહકારથી અગાઉ ના પુસ્તકોની જેમ પ્રકાશિત કરવું સહેલું પડેલ છે.
તેમજ અમારા દરેક પુસ્તકની સુંદર પ્રસ્તાવના તેમજ ઘણા સુધારા સાથે પ્રકાશિત કરી રહ્યા છીએ તે અમારા કુટુંબના કુસુમબહેન જ્યોતિન્દ્રભાઈ મહેતા ને આભારી છે.
વાચક વર્ગ આ પુસ્તકનું વાંચન, મનન કરીને જીવનને સાર્થક, આનંદમય બનાવે એજ શુભેચ્છા.
હરસુખભાઈ ભાયચંદ મહેતા ર૦૩, વાલકેશ્વર રોડ, પેનોરમા, ૬ઠો માળ, મુંબઈ - ૪૦૦૦૦૬. ફોન ૨૩૬૯૦૬૦૩ / ૨૩૬૯૦૬૦૮ — — —
—
Page #14
--------------------------------------------------------------------------
________________
મંગલમયી મયણા – શીલસંપન્ન શ્રીપાળ (ગણધર ભગવત શ્રી ગોતમ સ્વામીના કથાનુયાગ)
શ્રેણિક પૂછે છે,
સુખસામગ્રીની સમૃદ્ધિથી સંપન્ન તથા ધર્મથી શોભાયમાન રાજગૃહી નગરીના પવિત્ર ઉદ્યાનમાં ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય જ્ઞાની શ્રી ગૌતમ ગણધર પધાર્યા હતા. મગધપ્રદેશના પ્રભુભક્ત મહારાજા શ્રેણિક સપરિવાર ઉપદેશના શ્રવણ માટે આવ્યા હતા. વળી અનેક નાગરિકે ધર્મસભામાં ઉપસ્થિત હતા.
ગૌતમસ્વામીએ જીને હિપદેશ આપતા શ્રાવકના ચાર પ્રકારના ધર્મને સમજાવ્યું. વળી કહ્યું કે હે મહાનુ ભાવે! તમે નવપદની આરાધના કરે, કારણ કે, એ આરાધાને શ્રી ભગવાને શ્રેષ્ઠ કહી છે. તે આરાધનાની ફલશ્રુતિ શાશ્વત સુખ છે માટે નવપદનું ધ્યાન કરવું. ગૌતમસ્વામીના શ્રીમુખે દેશનાનું શ્રવણ કરીને શ્રેણિક રાજાના મનભાવ અત્યંત ઉલ્લાસિત થતાં તેમણે પૂછયું કે, “હે ભગવંત! એ નવપદનું ધ્યાન કેવી રીતે કરવું ?
ગૌતમસ્વામીઃ “હે શ્રેણિક! પૂર્વે શ્રીપાળરાજા અને મયણાસુંદરી નવપદના ધ્યાનથી અનુક્રમે જે રીતે મોક્ષ પામ્યાં હતાં તે રીતે નવપદનું ધ્યાન કરવું.”
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રેણિક રાજા: “હે ભગવંત! શ્રીપાળ અને મયણા કેણ હતાં અને તેમણે નવપદની આરાધના કેવી રીતે કરી હતી ?”
અનંતલબ્ધિના ધારક એવા શ્રી ગૌતમસ્વામીએ મુનિ સુત્રતસ્વામીના સમયમાં થયેલા મહાન આરાધક અને પવિત્રાત્માઓએ કરેલી નવપદની આરાધનાના સંદર્ભમાં સુંદર કથા કહી સંભળાવી. સુરસુંદરી અને મયાણસુંદરીની કસોટી
માલવર્દેશની સમૃદ્ધ ઉજજયિની નગરી હતી. ત્યાં પરાક્રમી રાજા પ્રજાપાલનું રાજ્ય હતું. તેને સૌભાગ્યસુંદરી અને રૂપસુંદરી એમ બે રાણુઓ હતી. સૌભાગ્યસુંદરીને સુરસુંદરી નામે કન્યા હતી. રૂપસુંદરીને મયણાસુંદરી નામે કન્યા હતી.
બંને કુંવરીઓને શૈશવકાળ પૂર્ણ થતાં, રાજપરિ વારને ગ્ય શિક્ષણ પ્રાપ્ત કરવા પતિને રોકવામાં આવ્યા હતા. બંને બહેને જેવી ગુણવાન હતી, તેવી જ બુદ્ધિમાન હતી. આથી તેમણે અલ્પ સમયમાં ચોસઠ કળામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી.
જૈનધર્મમાં અનુરક્ત રૂપસુંદરીએ પિતાની કન્યાને જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતનું જ્ઞાનશિક્ષણ આપવા એક જેન પડિતને કયા હતા. પૂર્વસંસ્કારના બળે મયણાને
સઠ કળા કરતાં આ પાંસઠમી કળામાં વિશેષ રુચિ થઈ. અને જનજનના મૂળ શમી અનેviતર્મયુક્ત અનંતના
Page #16
--------------------------------------------------------------------------
________________
વાળ જ્ઞાનકળા તેણે પ્રાપ્ત કરી. સર્વજ્ઞ પરગાત્માએ કહેલાં નવ તત્ત્વને તે યથાર્થપણે જાણતી હતી.
બંને પુત્રીઓ યૌવનવયમાં આવતાં રાજા અને રાણી તેમને માટે એગ્ય પાત્ર મેળવવા પ્રયત્નશીલ હતાં. કન્યાઓના વિચારે જાણવાની જિજ્ઞાસાથી એક દિવસ રાજાએ બંને કુંવરીઓને તેમના શિક્ષણની કસોટીરૂપે ચર્ચાને પ્રારંભ કર્યો. રાજા અને પુત્રીઓ વચ્ચે સંવાદ રસપ્રદ હતે. બંને નિપુણતાથી પ્રત્યુત્તર આપતી હતી ચર્ચાને અંતે રાજાએ અત્યંત પ્રસન્ન થઈ બંને પુત્રીઓને મનવાંછિત માંગવાનું કહ્યું.
વળી રાજાએ કહ્યું કે “આ રાજયમાં મારું સાવ ભૌમત્વ છે. હું ધારું તેને સુખ આપી શકું છું. માટે તમારી જે ઈચ્છા હોય તે વિનાસંકેચ કહે.”
સુરસુંદરીએ કહ્યું, “પિતાજી ! આપની વાત સાચી છે. આપના પ્રતાપે અમને સુખ પ્રાપ્ત થયું છે. કારણ કે, રાજ્યને રક્ષક રાજા જ હોય છે. માટે સૌ તમારી કૃપા વડે સુખી છે.”
સુરસુંદરીના પ્રત્યુત્તરથી પ્રસન્ન થઈ રાજાએ તે સમય રાજસભામાં હાજર રહેલા શંખપુરીના રાજા અરિદમન
સાથે તેને વિવાહ નક્કી કર્યા આડંબર સહિત ધામધૂમથી લગ્ન પણ ઊજવાયા.
રાજા હવે મયણાને કહે છે કે, “તારું મનવાંછિત તું પણ માંગી લે.” મયણાએ વિવેકસહિત જણાવ્યું ઃ “હે પિતા!
આપે આપેલા સુસંસ્કાર એ વાંછિત છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
આપ વડીલોની કૃપાથી અમે ગુણવાન છીએ. ધર્મભાવનાના મળે અમે પુણ્યવાન થઇએ. દેવગુરુકૃપાના નિધાન વડે અમે ધર્મવાન થઈએ. પૂર્વ પુણ્યચેાગે આપના જેવા માતાપિતા મળ્યાં એ અમારું ધન્યભાગ્ય છે. હું પિતાજી! મારા ગુરુજીએ મને જે શિક્ષણ આપ્યું છે તેના મર્મ આપ સાંભળે
દરેક જીવનું સુખદુઃખ પોતાના નને આધીન છે. વળી પાતાના કરેલાં કર્મને પોતે જ સેાગવવાં પડે છે. અજ્ઞાનવશ જીવ અહુ સેવે છે કે હું ધારું તે કોઇને સુખ આપી શકું, અથવા દુઃખી કરી શકું, પરંતુ કોઈ કોઈને સુખી કે દુઃખી કરી શકતું નથી.” આજ સુધી રાજાના કાને આવી વાત સાંભળવામાં આવી નહાતી. તે તે ધારતા હતા કે, મારા રાજ્યમાં હું કોઇને પણ સુખી કરી શકું, અને ધારું તેને રસ્તે રઝળતા કરી શકું.
મયણાએ તે પોતે પ્રાપ્ત કરેલા સાચા શિક્ષણના મર્મ પિતા પાસે રજૂ કર્યાં હતા. પિતાજી દુભાય તેવા તેના આશય ન હતા.
કર્મના ઉદયે રાજા અત્ય’ત પરંતુ ઢાઈ અશુભ કોપાયમાન થઈ ગયા. મયણાની વાત જનસમાજ માટે પણ નવી હતી. અજ્ઞાનવશ સૌરાજાના પલ્લામાં બેસી ગયા, અને મયણાની બુદ્ધિને તથા તેણે સમજાવેલા ધર્મની હાંસી કરવા લાગ્યા.
રાજદરબારમાં સર્વત્ર ક્ષેાલ વ્યાપી ગયા. સમયપારખુ
Page #18
--------------------------------------------------------------------------
________________
અનુભવી મંત્રીએ સભા વિસર્જન કરી, રાજાને વિનંતી કરી કે, “આપણે સૌ રાજવાડીએ જઈએ.” રાજા, રાજ પરિવાર, મંત્રી અને સૈન્ય સહિત રાજવાડીએ જવા નીકળ્યા. માર્ગમાં દૂરથી એક ટોળું આવતું જોઈને રાજાએ મંત્રી સામે પ્રશ્નસૂચક દષ્ટિ કરી.
મંત્રીઃ “હે રાજન! આપણે દિશા બદલીને જવુ પડશે. આ ટોળું કુષ્ઠ રેગથી ગ્રસિત છે. સાતસો કેઢિયા ગામોગામ ફરે છે અને તેમના ઉંબર રાણ માટે રાજકન્યા શધે છે.”
એવામાં કુકરેગીઓને નાયક રાજાની નજીક આવે. તેના રક્તપરુથી ભરેલા શરીરને જોઈને રાજા ભ પામી ગયે. પણ તેના મગજમાં એક ઝબકારે થયે, ત્યાં તે પેલા નાયકે રાજાને વિનયાન્વિત થઈને નિવેદન કર્યું કે, “અમારા રાજાને ગ્ય કન્યા મેળવવાના અમે અભિલાષી છીએ.”
માયણ અને ઉબર રાણુનાં લગ્ન થયાં
રાજાએ તરત વિચાર કર્યો કે મયણા પુણ્યપાપની વાત કરે છે તે ભલે ફળ ભેગવે. આવેશના આવેગમાં રાજાએ પેલા નાયકને વચન આપ્યું કે, “મારી રાજકન્યા તમારા રાણા સાથે પરણાવીશ.”
બીજે દિવસે દરબાર ભર્યો. મયણાને પુનઃ પૂછ્યું કે, તું હજી પણ શું વિચારે છે? કહે તારું સુખ કયાં છે? કર્મ કરે તે થાય કે મારી કૃપા હોય તે થાય ?”
Page #19
--------------------------------------------------------------------------
________________
મયણાએ પુનઃ વિવેકથી જવાબ આપે, “પિતાજી કર્મનાં રહસ્યની ગૂઢતાનું સર્વર પરમાત્માએ નિરૂપણ કર્યું છે. તેમના વચનને કેવી રીતે મિથ્યા કહેવાય? અર્થાત્ દરેક જીવ પિતાના શુભાશુભ કર્મ પ્રમાણે સુખ કે દુઃખ ભેગવે છે.”
આમ પિતાપુત્રીને વાર્તાલાપ ચાલે છે ત્યાં તે સાતસો કેઢિયાઓની જાન, ઉબર રાણા (શ્રીપાળ) અને કુતૂહલથી. જોડાયેલા નગરજને દરબારમાં આવી પહોંચ્યા.
સાતસે કોઢિયા, તેમાં કોઈના હોઠ કપાયેલા, કેઈન. આંગળા તે કોઈને હાથ. ઉંબર રાણા પ્રજાપાલ રાજાની નજીક આવી ઊભો રહ્યો. તરત જ રાજેએ જાહેર કર્યું કે, “મયણાસુંદરીને તેના કર્મ ફળ આપ્યું છે. તેનાં લગ્ન આ ઉબર રાણા સાથે કરવામાં આવે છે. ત્યારે રૂપવતી મયણને જોઈને ઉંબર રાણાએ રાજાને આવે અન્યાય ન કરવા કહ્યું. પરંતુ અહંકારના આવેશમાં રાજાએ મયણાને તેની સાથે પરણાવી દીધી. એ કુષ્ટરોગી યુવાન કેણ હતું?
સમૃદ્ધ એવા અંગદેશની મહાનગરી. ચંપાપુરીમાં સિહરથ નામે રાજા હતે. તેને સદ્ગુણી કમળપ્રભા નામે રાણી હતી. તેમને શ્રીપાળ નામે રૂપવાન કુંવર હતે.
રાજારાણ સુખે સમય વ્યતીત કરતાં હતાં. આ સર્વ શુભગ પલકવારમાં અશુભમાં પરિવર્તિત થઈ ગયો. રાજા અસાધ્ય દર્દથી મરણને શરણ થશે. તે સમયે શ્રીપાળ
Page #20
--------------------------------------------------------------------------
________________
માત્ર પાંચ વર્ષને હતે. રાણના દુઃખશેકને પાર ન હતે, દુઃખના દિવસો કેમેય ખૂટતા નથી. અનુભવી મંત્રીએ રાણીને સમજાવીને શ્રીપાળકુવરને રાજ્યાભિષેક કર્યો અને રાજ્યવ્યવસ્થા સંભાળી લીધી.
પરંતુ દુર્ભાગ્ય તે આગળ ચાલતું હતું. શ્રીપાળના જ કાકા અજિતસેને દુબુદ્ધિવશ રાજ્ય પડાવી લેવા બાળ કુંવરને ઘાત કરવાનું કાવવું ઊભું કર્યું. પ્રમાણિક સેવક દ્વારા મંત્રીને આ કાવત્રાની ગંધ આવી ગઈ. તેણે તરત રાજમાતા અને શ્રીપાળને ગુપ્ત દરવાજેથી રવાના કર્યા, અને આશ્વાસન આપ્યું કે કુંવર જીવતે રહેશે, તે ભાવિમાં પિતાના બાહુબળથી રાજ્ય પુનઃ પ્રાપ્ત કરશે.
પુણ્ય પરવારે ત્યારે રાજા રંક બને, મહેલનાં સુખ માણનારા સેવકેથી સચવાયેલાં રાજમાતા અને રાજકુંવર જંગલમાં ચાલી નીકળ્યા. ઘડીક ચાલે છે, ઘડીક દોડે છે. પ્રારંભમાં તે રાજકુંવરને જંગલમાં ફરવાથી ખુશી થઈ પણ . બપોર ચડ્યા, ઉદરપતિનું કોઈ સાધન નથી. ઊઠતાંની સાથે અનેકવિધ ખાદ્યસામગ્રીનાં કીમતી પાત્રને બદલે આજે બંનેને સૂકા રોટલાના પણ ફાંફાં છે.
રાજકુંવરઃ “મા! હવે મહેલમાં ચાલોને, મને થાક લાગે છે. મારે ખાવું છે, હવે જંગલમાં ફરવું નથી.”
માતાની આંખમાં અશ્રુધારા વહી રહી છે. બાળકના ગાલને ચૂમે છે, વાંસે પંપાળે છે. અવાક રહીને કુંવરને ઊંચકીને આગળ વધે છે. મા-દીકરે ચાલીને અને દેડીને થાકયાં હતાં, પાંચ
Page #21
--------------------------------------------------------------------------
________________
વર્ષને એ સુકુમાર રાજકુમારનું મુખ પુષ્પ કરમાય તેમ કરમાયું હતું. નિસહાય રાણી અત્યંત દુઃખી હતી. અંતે રાત થવા આવી. જગલના પશુઓના ભયાનક અવાજે અને સિંહની ત્રાડ પરાક્રમી પુરુષનું કાળજું કંપાવે તેવાં હતાં. કોઈ ઉપાય ન હતું. રાણીએ પરમાત્માના નામનું શરણ લઈ એક વૃક્ષ નીચે વિસામો કર્યો.
રાણના શીલના પ્રભાવે – પુદયે રાત્રિ નિવિને પસાર થઈ. પ્રભાત થયું પણ રાણી અને કુંવર માટે પ્રભાત પણ રાત્રિ જેવું હતું. બાળકે આંખ ખેલી અને પ્રથમ દૂધ માંગ્યું. રાજમહેલમાં કઢાયાં દૂધ અને બાળકના ભાગ્યને હવે ઘણું છેટું હતું. માતા પુત્રને સમજાવે છે, હવે શું કરવું તેને વિચાર કરે છે.
તે સમયે સાતસો કુકરેગીઓનું છું ત્યાંથી નીકળ્યું. પ્રથમ નજરે આવા મોટા સમૂહમાં કુરાગી જેઈને રાણી કંપી ઊઠી. પરંતુ તેને ખાત્રી હતી કે અતિસેનના સૈનિકે તેમને પકડવા પાછળ નીકળ્યા હશે. આથી ડૂબતે માણસ તરણું પકડે તેમ રાણુ કુમારને લઈને તે કેઢિયામાં ભળી તેમની સાથે આગળ ચાલી. તેની ધારણા પ્રમાણે તેમને પકડવા સૈનિકે આવી પહોંચ્યા પણ આવા બિહામણા કેઢિયાના સમુદાયને જોઈને તેઓ પાછા વળ્યા.
એક સંકટ ટળ્યું, ત્યાં બીજું સંકટ ઊભું થયું. અહો! કર્મ તારી ગતિ! કેડિયાની સાથે રહેવાથી શ્રીપાળને પણ કેકને રોગ લાશ પડયો તે જોઈને માતા અત્યતા દુખી થઈ. બાળકને ટોળામાં મૂકીને કોઢની દવા શોધવા તે
Page #22
--------------------------------------------------------------------------
________________
દેશ-દેશાંતર ઘૂમતી રહી, એમ પંદર વર્ષનાં વહાણ વાયાં. શ્રીપાળ બાળક મટીને યુવાન થયા હતા. પણ શરીરના રોમે રોમે કેઢ રેગ વ્યાપી ગયે હતે. કયાં શ્રીપાળનું સૌંદર્ય અને ક્યાં આ કર્મને ઉદય?
મય સાથે જેનાં લગ્ન થયાં તે કુષ્ઠરોગી યુવાન ઉંબર રાણા તે જ શ્રીપાળ કુંવર હતે. મયણને તત્ત્વની શ્રદ્ધારૂપ બેધબીજ પ્રાપ્ત થયું હતું. તેના બળ વડે મયણુએ આ પ્રસંગને સમતાથી સ્વીકારી લીધું. તેના મુખ પર શંકા કે શોકની લેશ માત્ર પણ છાયા પડી ન હતી. મયણ રાજકુંવરી હતી, પરંતુ કર્મરેખા બદલાઈ હતી. લગ્નના કઈ રાજકીય ઉત્સવરહિત, કરિયાવરરહિત રાજકન્યાને વિદાય કરવામાં આવી. રાજસત્તા અને પુરુષપ્રધાનતા પાસે માતા આંસુ સારતી રહી. પિતા તે ગર્વના અંધકારમાં અંધ બન્યું હતું. મયણું–શ્રીપાવાનું પ્રથમ મિલન
નગરની બહાર કેઠિયાઓને ઉતારો હતા, ત્યાં આવેલા કે જર્જરિત મકાનમાં મયણા-શ્રીપાળનું, વરવધૂનું પ્રથમ મિલન થાય છે. રૂપવાન અને લાવણ્યમયી મયણા સામે જોઈને શ્રીપાળ સ્તબ્ધ થઈ વિચારવા લાગ્યા, કે મારી સાથે રહેવું આ કન્યા માટે કઈ રીતે એગ્ય નથી. તેનું સૌદર્ય નષ્ટ થઈ જશે. માટે તેને સમજાવીને પાછી મેકલવી ઉચિત છે.
પતિને ઊંડા વિચારમાં ગરકાવ જોઈ મયણ શ્રીપાળની નજીક આવી. શ્રીપાળ સાવધાનપણે દૂર રહેવા માંગતા
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૦
હતા. તેણે મયણાને સમજાવી, “હે રૂપવતી ! મારી સાથે. રહેવામાં તારું હિત નથી. હું રોમેરોમે કેઢ રોગથી પીડાઈ છું. જોતજોતામાં આ રેગ મારા સહવાસથી તારા લાવણ્યમય સૌંદર્યને પણ ભરખી જશે. માટે તું તારી માતા પાસે જા અને અન્યત્ર લગ્ન કરી સુખી થા.”
શ્રીપાળની સજજનતા અને નેહભર્યા શબ્દોના શ્રવણથી મયણના દિલના તાર ઝણઝણી ઊઠયા. તેણે કહ્યું કે, “સતી સ્ત્રીને બે પતિ હેઈ જ ન શકે. સતીને અન્યત્ર સુખની અપેક્ષા ન હોય, અને દુઃખથી પાછા ફરવાનું ન. હોય. તેનું સુખ પતિના સહવાસમાં રહ્યું છે. વળી મારા ભાગ્યમાં જે લખ્યું છે તે બન્યું છે. તમે નિશ્ચિત રહે. ધર્મના પ્રભાવે સારું થઈ જશે.”
- મયણાના શ્રદ્ધાયુક્ત વચનનું શ્રવણ કરી, શ્રીપાળની વાણું યંભી ગઈ. બંનેએ તે રાત્રિ ધર્મભાવના અને પ્રભુસમરણમાં ગાળી.
અહો ! શ્રીપાળનું સૌજન્ય અને શીલ. ધન્ય! મયણાસુંદરીની શ્રદ્ધા અને સતીત્વ. રે કર્મ! તારો કોયડો પણ અજબ છે.
પવિત્ર પ્રેમના પ્રવાહમાં પલકવારમાં રાત્રિ વ્યતીત થઈ ગઈ. છતાં બંને સ્વસ્થ અને પ્રસન્ન હતાં. પ્રાતઃકાલ થતાં મયણાને નિયમ મુજબ પ્રભુદર્શનની ભાવના થઈ તેણે પતિને કહ્યું કે, “આપણે પ્રભુદર્શન કરવા જઈએ.” શ્રીપાળ તો પાંચ વર્ષની ઉંમરથી કેઢિયાના ટોળામાં જંગલમાં ફરતું હતું ત્યાં તેને પ્રભુદર્શનને કોઈ યોગ
Page #24
--------------------------------------------------------------------------
________________
થયું ન હતું. છતાં તે સજજન પુરુષ પત્નીના વચનને અનુસરવા તત્પર થયે.
નગરના દરવાજાની નજીકના મંદિરમાં તેઓ આવી પહેચ્યાં. જિનેશ્વર ભગવાનનાં ભાવથી દર્શન કરતાં બંને જણ સર્વ દુઃખ, સંતાપ અને શોક વીસરી ગયાં.
શ્રીપાલનું ચિત્ત સરળ હતું મયણાનું દિલ ભાવવાળું હતું પ્રભુવંદન ચંદનથી પણ શીતળ હતું.
બંનેનાં હૃદયમાં ભાવ ઊમટયા. મયણના મુખથી ઉદ્ગાર સરી પડ્યાઃ
“હે કરુણસાગર! આપ જ અમારા રક્ષક અને તરણતારણ છે. આપ અમારા શિરછત્ર છે. આપની ભક્તિ એ જ અમારે દુઃખમુક્તિને ઉપાય છે.
હે વિશ્વવત્સલ! આપ વંદનીય છે. પ્રાણીમાત્રને પૂજનીય છે. દેવેને દર્શનીય, સુને સેવનીય છો.
અમારા દિલને અનુપમ આદરણીય છે.
હે કરુણાનિધિ ! આ તમારાં બાળકો પર કૃપા કરી આત્મશ્રેયને માર્ગ બતાવશે. આપના ધર્મમાં અમે અનુરાગી બનીએ તેવું શ્રદ્ધાબળ આપજે.”
પ્રભુભક્તિમાં લીન બંને શાંત ચિતે ઊભાં થઈ પ્રભુને સઉલાસ નીરખી રહ્યાં હતાં. ત્યાં એક આશ્ચર્ય બન્યું. ત્યાં રહેલા અધિષ્ઠિત દેવની લબ્ધિથી, અને આ જીને પવિત્ર ભાવથી પ્રભના ક8માં રહેલી માળા અને શ્રીફળ
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨ શ્રીપાળના હાથમાં આવ્યાં. શ્રીપાળ અને મયણા સાશ્ચર્ય આ દશ્ય જોઈ રહ્યાં. તેમની શ્રદ્ધા વધુ દઢ થઈ. મયણના મનમાં અનુમાન થયું કે હવે મંગલ પ્રારંભ જરૂર થશે.
પૂરી રાત્રિ પાળેલું અખંડ બ્રહ્માવત, પિતાના ભાગ્યને સહર્ષ સ્વીકાર. પ્રભુદર્શનમાં અખંડ આત્મવૃત્તિ. તેની ફળશ્રુતિ મંગળનું આગમન.
પ્રભુદર્શનની અનન્ય ભાવનાનું કૃપામૃત. પ્રભુદર્શન પછી સાધકનું બીજું પ્રાત:કાર્ય ગુરુવંદન છે. ગાનુગ મંદિરની નજીકના ઉપાશ્રયમાં જ્ઞાની મુનિ સુંદરસૂરિ મહાત્મા ઉપસ્થિત હતા. બંને અત્યંત ઉત્સાહ સહિત ત્યાં પહોંચ્યા. ગુરુવદન કરી વિવેકપૂર્વક બેઠાં.
મયણું અગાઉ કોઈવાર સખીઓ સાથે ગુરદર્શને આવતી હતી. આજે કુષ્ઠરોગી સાથે આવેલી જે મુનિશ્રીએ પૂછ્યું, “મયણા! તારી સખીઓ ક્યાં છે? તું કેની સાથે આવી છું? આ ભાગ્યવાન યુવાન કેણ છે? મયણાએ સંક્ષેપમાં હકીકત જણાવી.
મયણઃ “ગુરુદેવ! મારા ભાગ્યમાં જે હતું તે બન્યું છે, પણ મારી વ્યથા એ છે લોકોમાં ધર્મભાવનાને આદર કે આદર્શ નહિ રહે, પણ શાસનની અવહેલના થશે. આપ કેઈ ઉપાય બતાવે.”
ગુરુદેવઃ “મયણા! તારી વાત સાચી છે. પણ અમે મુનિ છીએ, અમારી પાસે કપ કે જડીબુ ન હોય, પણ
Page #26
--------------------------------------------------------------------------
________________
તું શ્રદ્ધા રાખજે. જેમ તારી ભક્તિથી પ્રેરાઈને કઈ શાસનદેવે મંગળનાં ચિહનરૂપે માળા તથા શ્રીફળ આપ્યાં છે તેમ તારી શ્રદ્ધાના ફળથી પુર્યોદયે તારું શુભ જરૂર થશે. ગુરુની નિશ્રામાં પ્રાપ્ત થયેલા ધર્મ
(નવપદની આરાધના) શ્રીપાળની મુખરેખા નિહાળી ગુરુદેવે કહ્યું કે, “આ લાગ્યવાનની મુખરેખાઓ દર્શાવે છે કે તે કોઈ ઉત્તમ આત્મા છે, અને તે શાસનપ્રભાવક પુરુષ થશે.” ગુરુ જ્ઞાની હતા. તેમની દષ્ટિ તેના શરીર પ્રત્યે ન હતી, પણ તેમણે શ્રીપાળના આત્માને ઓળખી લીધું હતું. મયણને ગુરુદેવના વચનમાં વિશ્વાસ હતું. આથી ગુરુદેવને પણ એક શુદ્ધ ઉપાય સૂઝી આવે.
ગુરુદેવે કહ્યું, “મણા અમારી પાસે પૌગલિક ઉપાય નથી પણ પારમાર્થિક ઉપાય જરૂર છે.” અને તેમણે આગમપ્રણિત સિદ્ધચકયંત્રની અને મંત્રની વિધિ મયણને બતાવી. અને કહ્યું કે “આ મંત્ર અત્યંત મહિમાવંત છેઃ
આસો સુદ સાતમથી પૂનમના દિવસે નવ દિવસ આયંબિલનું વ્રત કરવું. તે દિવસેમાં છ આવશ્યક આરાધવા. શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું. ક્રમવાર તે તે પદની આરાધના. વળી ચૈત્ર સુદ સાતમથી પૂનમના દિવસોમાં આ આરાધના શ્રદ્ધાપૂર્વક કરવી. નવપદની વિધિ પ્રકારે પૂજા કરવી.
Page #27
--------------------------------------------------------------------------
________________
આ ઉપરાંત એગ્ય વિધિ બતાવી. અને કહ્યું કે, “આ તપ પૂર્ણ થયે સલિલ્લાસ ઊજમણું કરવું. નિષ્કામપણે કરેલી નવપદની આરાધનાથી તમારા સર્વ દુઃખ-સંતાપને નાશ થશે. શ્રદ્ધાપૂર્વક આરાધના કરનારનાં મનવાંછિત પૂર્ણ થાય છે. સર્વ કર્મને નાશ થાય તેવું સામર્થ્ય આ પદની આરા. ધનામાં રહેલું છે.”
ગાનુયોગે આ પર્વના દિવસે નજીક આવતા હતા. વળી તે સમયે ઉપાશ્રયે આવેલા કેઈ ગૃહસ્થને સદ્ભાવના થતાં આ બંનેને પિતાના નિવાસે લઈ જઈ, વ્રત-આરાધના માટે ઉત્તમ સુવિધા કરી આપી.
મયણના હૃદયમાં 'ઉમંગ છે. તપશ્ચર્યાને મહિમા અને શ્રદ્ધા ભરપૂર છે, ગુરુની કૃપા છે, ઉપદેશનું અમૃત છે. ગુરુએ દર્શાવેલી વિધિને પૂર્ણ પણે લક્ષમાં રાખીને સાધનશુદ્ધિ અને ભાવશુદ્ધિ સહિત તપશ્ચર્યાને મંગળ પ્રારંભ થશે. ઉત્તરોઉત્તર આરાધનામાં ભાવ નિર્મળ થતા ગયા.
પ્રથમ દિવસે શરીરની બળતરા શમી. બીજા દિવસે ખરાબ ચામડી ઊતરવા લાગી. ત્રીજા દિવસે પરુ નીકળતું બંધ થયું. ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવમે દિવસે તે શ્રીપાલની કાયા
શુદ્ધપણે અસલરૂપે પ્રગટ થઈ. માયણ અને શ્રીપાળે નવપદની આરાધના નિસ્પૃહ
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૫
ભાવે અને ઉચ્ચ પ્રકારે કરી હતી. તે સમયના તેમના નિર્મળ ભાવના નિમિત્તથી નવપદજીને પ્રક્ષાલન કરેલું હરણ અન્ય સાત કેઢિયાને લગાવવાથી તેઓ પણ નિરોગી થયા હતા.
અહીં એક પ્રશ્ન થશે કે નવ જ દિવસના નવપદના આરાધન માત્રથી જે આ દુઃસાધ્ય રોગ નાશ પામી ગયું હતું, તે આજે ઘણુ તપસ્વીઓ આવી તપશ્ચર્યા કરે છે છતાં આવું શીધ્ર પરિણામ કેમ જણાતું નથી ? તેના ઉત્તરમાં એમ સમજવાનું છે કે જેને સન્માર્ગે જવા માટે ઉત્કૃષ્ટ દષ્ટાંતથી બેધ આપવામાં આવી હોય છે. વળી આવી આરાધનામાં દરેકની શ્રદ્ધા, ભાવ અને મનની નિર્મળતા વિશેષ કાર્ય કરે છે. સાધકની, સાધ્યની અને સાધનની શુદ્ધિ, ત્રણેની એકતાથી કાર્ય શીઘતાથી સિદ્ધ થાય છે. શ્રીપાળ અને મયણાની શ્રદ્ધા, અનન્ય ભાવ, અત્યંત નિર્મળતા, અને ચિત્ત નવપદને ધ્યાનમાં લીન ઘવાથી પરિણામ શીવ્રતાને પામ્યું હતું.
આથી જેન – દર્શનકારે કહે છે કે સમકિતની પ્રાપ્તિ પછી જ વ્રત-તપ સાચાં કરે છે, અર્થાત્ કર્મના નાશનું કારણ બને છે. મિથ્યાદર્શન કે મિથ્યાભાવને કારણે કરેલાં વ્રતાદિ આરાધનાનું ફળ જે ત્યારે શુભ ભાવના હોય તે શુભ બંધનું કારણ બને છે પણ કર્મનાશનું કારણ બનતું નથી. સત્ પુરુષને બતાવેલાં સાધને – ભાગ શુદ્ધ છે, પરંતુ મિથ્યા દેવને લીધે તે શીવ્રતાથી ફળદાયી થતાં નથી, સમ્યમ્ દષ્ટિ આત્માને તે
Page #29
--------------------------------------------------------------------------
________________
જ વ્રત-તપાદિ કર્મ નશાનું સાધન બને છે. માટે તપવ્રતાદિ સ્વરૂપલક્ષે કરવાથી મિથ્યાદેષ ટળી જીવના પરિણામ સમકિત સન્મુખ બને છે. ધર્મની ક્રિયા માત્ર સ્વરૂપનિષ્ઠાથી કરવી જેથી તેવા સંસ્કારના બળે જીવ સમકિતની પ્રાપ્તિને યોગ્ય બને,
સમકિતબીજ સહિતના મયણના પ્રશસ્ત પરિણામ, તેના સંગે શ્રીપાળે ગ્રહણ કરેલી અચળ શ્રદ્ધાપૂર્વક સાધનાથી પૌગલિક રંગ તે નાશ પામે, પણ ભવરગ પણ નાશ પામે તેવે તેમણે સત પુરુષાર્થ આદર્યો હતે. કમની વિચિત્રતા
અહે! કમેની વિચિત્રતા તે જુઓ! આજે મહેલનાં સુખ, ક્ષણમાત્રમાં જંગલનાં દુઃખ, આજની રાજકુંવરી કાલે કેઢિયાની પત્ની આજે ઉત્તમ ભેજનથી ભરપૂર પા. કાલે સૂકા રોટલાનાં પણ વલખાં. આજની શાંતિરૂપ સહિત સુકુમારતા. કાલે રમે રોમે વ્યાપેલી કઢની અશાતા. દેવગુરુની કૃપારૂપ ધર્મ અનુષ્ઠાનને ગ.
શુભ કર્મને પ્રારંભ અને સુખને વેગ
સંસારી માત્રનું જીવનનાવ આમ શુભાશુભના હલેસાથી સંસારસાગરની સફર કરતું રહે છે. પ્રાચે અશુભ અને કવચિત્ શુભયોગ મળે છે. માટે જ્ઞાની પુરુષે તે જ્ઞાનસ્વરૂપ આત્મમાં સુખને જાણીને તેની પ્રાપ્તિ માટે જ સંસારને ત્યાગ કરી ચાલી નીકળતા હોય છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૭
શ્રી પાળની માતા ગાનુગ આ નગરમાં હતી. તે એક દિવસ દેવદર્શને આવી. ત્યાં શ્રીપાળે માતાને ઓળખી લીધી, અને તેને પ્રણામ કર્યા. મયણા તેને અનુસરી. પછી ત્રણે સાધમિકને ત્યાં ગયા. શ્રીપાળે માતાથી છૂટા પડ્યા પછીની સર્વ હકીકત માતાને કહી સંભળાવી. કમળપ્રભાએ પિતાની વીતકકથા કહી કે, દેશવિદેશ તારા માટે ઔષધની શોધમાં ફરતી હતી. ત્યાં એક વાર ગુરુ મહારાજ મળ્યા. તેમણે પિતાની જ્ઞાનલબ્ધિથી તારી હકીક્ત કહી. આથી તને શોધતી શેલતી હું અહીં આવી પહોંચી. માતા પુવૅમિલનથી અત્યંત સુખી થઈ. માતા, શ્રીપાળ અને મયણા સુખેથી કાળ નિર્ગમન કરે છે. ધર્મારાધનામાં પ્રવૃત્ત રહે છે.
પ્રજા પાળરાજાએ આવેશમાં ભાન ભૂલીને જયારે મયણાને કુકરાગી ઉંબર રાણા સાથે પરણાવી હતી, ત્યારથી ધર્મપ્રિય રાણી રૂપસુંદરી પતિને આવા વર્તનથી અત્યંત દુઃખી થઈ હતી. આથી પિતે ઉજજયિનીમાં રહેતા પિતાના ભાઈ પુણ્યપાળરાજાના નિવાસે રહેતી હતી. ધર્મારાધનાથી કંઈક સાંત્વના પામતી હતી.
એક દિવસ એવું બન્યું કે તે જિનમંદિરમાં દર્શનાર્થે આવી ગાનુયેગ તે જ મંદિરમાં માતા, પુત્ર અને પુત્રવધૂ અત્યંત ભાવથી પ્રભુભક્તિ કરતાં હતાં. ભક્તિપદના શ્રવણથી તેનું ધ્યાન ગાનાર મયણા પ્રત્યે ગયું, અને તેણે તરત જ પુત્રી મયણાને ઓળખી લીધી.
તે કાળે કે સર્વકાળે સ્ત્રી જીવનના સતીત્વને પતિ
Page #31
--------------------------------------------------------------------------
________________
પરાયણતા સાથે અવિનાભાવી સંબધ મનાયા છે. આથી રૂપવાન નવયુવાન એવા યુવાન સાથે મયણાને જોઈને માતા અત્યંત દુ:ખી થઈ. અરે ! મારી કુક્ષિએ જન્મેલી કન્યાએ આવું દુષ્કૃત્ય કેમ કર્યું ? તે
સદ્ગુણુસંપન્ન પોતાના કેઢિયા
પતિના ત્યાગ
કરી અન્ય પુરુષને પરણી ? એનું જ્ઞાન
૧૮
་
શિક્ષણ કયાં ગયું !
ચૈત્યવ‘દન-ભક્તિ-વિધિ પૂરી થતાં મયણાની નજર પોતાની માતા તરફ ગઈ, અને તેણે નેચું કે માતાની આંખમાં અશ્રુ છે, તેના મુખ પર ગ્લાનિ છે. આથી તેણે પૂછ્યું: “હે માતા ! તમે આ સ્થાને આનંદ પામવાને અદલે શાકમગ્ન કેમ છે? શ્રી જિનેશ્વરદેવ અને ગુરુની કૃપા વડે અમે સુખ પામ્યાં છીએ. ચાલ, તમે અમારી સાથે આવે અને સર્વ હકીકતને સાંભળે. જેથી તમારે શાક-સંતાપ દૂર થાય.’
દહેરાસરમાં સાંસારિક વાત ન થાય, તેવા વિવેક જાણનારી મયણા બહાર નીકળી. માતાને સાથે લઈ ચારે સાધર્મિક ખ'ના નિવાસે પહોંચ્યાં. મયણાએ માતાને વિનયપૂર્વક સ્થાન આપ્યું, અને પછી સઘળી હકીકત કહી
સંભળાવી.
માનવમન મન કેવા ચલિત ભાવવાળું છે! રૂપસુંદરીએ મયણાને ધ'શિક્ષણ આપીને ખુશી માની હતી. પરંતુ તેના પિતા પ્રત્યેના જવાબથી તે નારાજ થઈ હતી. મયણાને નવયુવાન સાથે જોઈ દુઃખી થઈ, અને સત્ય હકીકત
Page #32
--------------------------------------------------------------------------
________________
સાંભળીને અત્યંત સુખી થઈ. સામાન્યપણે સંસારને પ્રવાહ આ પ્રમાણે વહેતે હેય છે. જી પળમાં સુખ અને પળમાં દુઃખ અનુભવે છે.
બંને માતાઓ અન્ય પરિચય પામીને તથા ધર્મપરાયણ વર-વહુને જોઈને આનંદ અનુભવવા લાગી. રૂપસુંદરીન પૂછવાથી કમળપ્રભા રાણીએ પિતાની અને શ્રીપાળની સર્વ હકીક્ત જણાવી. તે કમળપ્રભાના દુઃખથી દ્રવિત થઈ. છેવટે બને વિચારવા લાગ્યા કે શુભાશુભ કમને આ કે અકળ ચક્રાવે છે. જીવે છાને ખૂણે કરેલા પિતાના કર્મને વિપાક થતાં તે ભેગવવાં જ પડે છે.
કમળપ્રભાને મુખે જમાઈ શ્રીપાળના કુળવંશની ઉત્તમતા જાણી રૂપસુંદરી અત્યંત પ્રસન્ન થઈ. કમળપ્રભાએ કહ્યું કે આ સુખના દિવસેને સર્વ યશ પુત્રવધૂ મયણને છે. તે અમારા પુણ્યયેગે જ અમારાં દુઃખ દૂર કરવા જન્મી અને અમને પુત્રવધૂ તરીકે મળી છે.
રૂપસુંદરી પણ પિતાની પુત્રીના સતીત્વ અને શીલની પ્રશંસાથી હર્ષ પામી. અને કહેવા લાગી, “મયણાને આ રાજકુમાર પતિરૂપે મળે તેથી તે ભાગ્યવાન છે.” આમ અનેક પ્રકારને સંવાદ કરી રૂપસુંદરી પ્રસન્નચિત્તે પિતાના ભાઈ પુણ્યપાળને નિવાસે પહોંચી અને સઉલ્લાસ સર્વ હકીક્ત કહી સંભળાવી. પુણ્યપાળ સર્વ વિગત સાંભળી પ્રસન્નતા પામે.
વળી પુણ્યપણે વિચાર્યું કે ભલે મયણાનાં લગ્ન કે અશુભ મુહૂર્ત થયાં પણ હવે તે તેમને સમાન ‘પૂર્વક અહીં લાવવા જોઈએ.
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૦
આથી ચતુરગી સેનાને તૈયાર કરી રાજપરિવાર ઠાઠમાઠથી તૈયાર થયે. નગારાં, વાજા અને વાજિંત્રે ગાજી ઊઠયાં.. કુતૂહલપ્રિય પ્રજાજને તેમાં જોડાયા. વાજતેગાજતે સાજન સ્થાને પહયું... જય શ્રીપાળ-મયણાને વાસ હતા.
પુણ્યપાળ પુણ્યશાળી દંપતીને મળ્યા. પુયપાળે અત્યંત આદર અને પ્રેમપૂર્વક શ્રીપાળને આલિંગન આપ્યું. મયણાસુંદરીએ મામાને ઓળખી લીધા. મામાને સત્કારને માન આપી બને સાજન સાથે મામાને ત્યાં પહોંચ્યાં. પુણ્યપાળ રાજાએ શ્રીપાળ અને માયણ માટે સુખસામગ્રીમાં કંઈ જ ખામી રહેવા ન દીધી. આમ, તેમના પુણ્યબળે સુખમાં દિવસો વ્યતીત થઈ રહ્યા હતા, પ્રજાપાલી રાજનો પશ્ચાત્તાપ
પ્રજા પાળ રાજાએ આવેશમાં એકવાર પગલું ભરી દીધું. પણ પછી પસ્તાવા લાગ્યા. વળી રૂપસુંદરી તેમને ત્યાગ કરી ગઈ હતી. આથી વ્યથિત મનવાળા રાજા એકવાર વનવિહારે ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં તે પુણ્યપાળના નિવાસ બાજુથી નીકળ્યા. તે સમયે તેમના શ્રવણે સુંદર વાજિત્રેના અવાજો સંભળાતા હતા. રાજાએ અવાજ તરફ જોયું તે ઝરૂખામાં એક સુંદર યુવાન અને રૂપવતી કન્યા બેઠાં હતાં. તેમની સમક્ષ નાટયારંભ
Page #34
--------------------------------------------------------------------------
________________
થતા હતા.
અરેપણ આ શું? આ કન્યા તે માણસુંદરી જ છે ! પણ આ સુંદર નવયુવાન કોણ? મયણને તે કુષ્ઠરેગી સાથે પરણાવવામાં આવી હતી. કર્મ અને પિતાના પ્રારબ્ધને માનવાવાળી મયણાએ પતિને ત્યાગ કર્યો? એ વિચારથી તે દુઃખી થયે; તેના કરતા પિતાને અપકૃત્યને યાદ કરીને તે વિશેષ દુઃખી થયે, માનવમન કેવું વિચિત્ર છે? બહાર માં પીડાને નિમિત્ત ઊભા કરવાના અજ્ઞાનવશ અંતરંગમાં પડેલા અહમને તે જાણતું નથી. પરિણામે દુઃખને અનુભવ કરે છે.
પ્રજાપાળ રાજાની સવારી આગળ વધે છે. ત્યાં પુણ્યપાળે પિતાના મહેલમાંથી જોયું કે પ્રજા પાળના મુખ પર અત્યંત ખેદ છે. તેમણે વિચાર્યું કે મારે ધર્મ છે કે મારે તેમને સત્ય હકીક્ત જણાવવી, જેથી તેમનું દુઃખ દૂર થઈ શકે. આમ વિચારી તે તરત જ નીચે આવ્યું અને પ્રજા પાળ રાજાને ગ્ય આદરસત્કાર કરીને મહેલમાં લઈ ગયે. વળી ટૂંકમાં સર્વ બનાવ કહી સંભળાવ્યું. ત્યાં તે તેઓ શ્રીપાળના મહેલમાં આવી પહોંચ્યા.
માનવમનની વિચિત્રતા જુઓ – પળમાં હર્ષ, પળમાં શોક;
પળમાં સુખ, પળમાં દુઃખ. પ્રજાપાળ રાજાના મનમાં એકસાથે એટલા બધા આવેગે ઊભરાયા છે તે સ્તબ્ધ બની ઊભા રહ્યા. પાન જમાઈને જોઈને આનંદ, મયણાનું દુઃખ દૂર થયાને હર્ષ,
Page #35
--------------------------------------------------------------------------
________________
પોતે કરેલાં અપકૃત્યને અફસેસ, રૂપસુંદરીની ગેરહાજરીને
ભ, આવી મૂંઝવણ અનુભવતા પ્રજાપાળને દૂરથી જોતાં માયણ હિંડોળા પરથી સહસા ઊભી થઈ અને વિનયપૂર્વક પિતાને પ્રણામ કર્યા. શ્રીપાળે પણ સસરાને ઓળખ્યા અને તે મયણાને અનુસર્યા.
- રાજાને પિતાના આવેગન, સત્તાના મદની ભૂલ સમજાઈ હતી. આથી તેનાં નયને સજળ થયાં અને મયણાસુંદરીને પ્રેમસહિત કહેવા લાગ્યા કે, હે પુત્રી ! તારી વાત સત્ય. હતી. આજે મને જૈન ધર્મના અચિંત્ય પ્રભાવનું સાચું દર્શન, થયું કે વ્યક્તિ કેઈને સુખ કે દુઃખ આપી શકતી નથી. દરેક જણ પિતાના પ્રારબ્ધથી જ સુખી કે દુઃખી થાય છે. કથંચિત તેમાં નિમિત્તને ભેગ બને છે ત્યારે વ્યક્તિ અજ્ઞાનવશ અહંભાવથી એમ માને છે કે હું કેઈને સુખી કે દુઃખી કરી શકું છું.”
- મયણાસુંદરીઃ “પિતાજી ! આપ આવા વિકલ્પ કરી. દુઃખી ન થાવ. જે બન્યું તે મારા શુભાશુભ ચેગથી જ બન્યું છે.”
પુણ્યપાળે પિતાની બહેનને ખબર આપીને બોલાવી લીધી હતી. આમ દરેકના મને ભાવમાં સમાન પ્રસન્નતા. પ્રાપ્ત થઈ. દુઃખદ ક્ષણે વીતી ગઈ અને નવી ક્ષણે સુખદપણે પરિણમી.
ત્યાર પછી પ્રજા પાળ રાજાએ આખા નગરમાં ઉત્સવ. જાહેર કર્યો. ગૃહેથુહ સજાવવામાં આવ્યાં. ચોરે ને ચૌટે જૈનધર્મને તપાદિના પ્રભાવની સુખદ ચર્ચાઓ થવા લાગી.
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૩
શ્રીપાળ–મયગ્રાની અત્યંત માનપૂર્વક શોભાયાત્રા નીકળી, નગરજના આ યુગલને જોઈને ધન્ય બન્યા. રાજાએ પુત્રીજમાઈ માટે અતિ શૈાભાયમાન મહેલ, વસ્રો, અલ કારે વગેરેની સજાવટ કરી તેમને મહેલમાં લઈ ગયા. શ્રીપાળમયાન સમય સુખમાં નિગમન થતા હતા.
આ સૌ વાન યુવાન તેા રાજાના જમાઈ છે.
એકવાર શ્રીપાળ મનોરંજન માટે કેટલાક સૈન્ય સાથે વનક્રીડા માટે નીકળ્યા. સવારી નગરના માર્ગથી પસાર થતી હતી. નગરજના રથમાં બેઠેલા શ્રીપાળના સૌંદર્યને જોઈને મુગ્ધ થયા હતા. તેએ અંદરઅંદર ચર્ચા કરતા હતા કે અહા ! આ જૈનદર્શીનના પ્રભાવ તા જુએ! એ કેઢિયા ઉંબર રાથેા કયાં ને આ તેમનું પ્રગટ થયેલું સૌ કાં ? ઇંદ્ર, ચદ્ર અને ચક્રવર્તીને પણ ઝાંખા પાડે તેવા રાજાના જમાઈ કેવા શૈાલે છે? આમ વારવાર લેકે રાજાના જમાઈ', ‘રાજાના જમાઈ' શબ્દ [ ફ્લાસથી ખેલતા હતા.
તેમાં વળી એક બાળકી પેાતાની માતાને પૂછવા લાગી કે મા! આપણે કોઈ દિવસ આવા રૂપવાન પુરુષને જોયા નથી. આ કાર્ય દેવની સવારી ધરતી પર ઊતરી આવી છે? આ રૂપવાન યુવાન કાણુ છે?'
મા કહે, ‘પુત્રી ! આ કોઈ દેવ નથી, પણ આ ધરતીના જ માનવ છે. આપણા રાજ્યના જમાઈ છે.” તે જ સમયે શ્રીપાળના રથ ત્યાંથી પસાર થયા અને આ શબ્દો પુનઃ
Page #37
--------------------------------------------------------------------------
________________
ર૪
તેમના કર્ણપ્રદેશે સ્પર્યા. અરે, આ શું સાંભળું છું?
“જમાઈ !” “જમાઈ !” “જમાઈ ! પરાક્રમી પુરુષે પિતાના ગુણ-પરાક્રમથી ઓળખાય, અને હું તે અહીં જમાઈ તરીકે પ્રસિદ્ધ થાઉં છું. રાજાના રાજ્યમાં સર્વ પ્રકારનું સુખ હોવા છતાં શ્રીપાળનું હૃદય વ્યથાથી ઊભરાઈ ગયું. રે માનવમન ! કશું જ બદલાવા ન છતાં મન કેવું કારણ શોધીને ક્ષણમાત્રમાં વ્યથિત થઈ જાય છે!
તે દેશકાળે અને આજે પણ પુરુષપ્રધાન સંસ્કૃતિનું પરિબળ પરાક્રમી પુરુષમાં આ વિચાર ઉદભવે તે સામાન્ય વ્યવહાર છે.
વનકીડાએ નીકળેલા શ્રીપાળ આજે હતોત્સાહી હેવાથી શીઘ્રતાથી પાછા ફર્યા. પ્રથમ તેમને પ્રજા પાળ રાજાએ જોયા, અને તેમના મુખ પરને વિષાદ પારખી ગયા અને પૂછવા લાગ્યા :
“હે રાજકુમાર ! તમે આજે કેમ ઉદાસ છે? તમને કેણે દુભગ્યા છે? અથવા તમને તમારા રાજ્યની યાદ આવે છે? જે તે પાછું મેળવવાની ચાહના હોય તે તમને પરાક્રમી સૈન્ય સજજ કરી આપું. જે તમને કેઈએ દુભવ્યા હોય તે તેને દંડ કરું !'
શ્રીપાળ કહે, “હે પિતા! પરાક્રમી પુરુષ તે પિતાના બળથી કાર્યસિદ્ધિ કરે છે. તમે મારા પર ઘણે ઉપકાર કર્યો છે પણ હવે મને રજા આપ. હું દેશવિદેશ ફરીશ અને કાર્યસિદ્ધિ કરીશ.
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૫
ત્યારપછી માતા પાસે આવીને વિનયસહિત પિતાના મનની વાત જણાવી. માતા પુત્રની વાત સાંભળીને દુઃખી થઈ ગયાં. માંડ સુખના દિવસો જોયા ત્યાં વળી આ પુત્રવિયોગની વેળા આવી!
માતા કહે, “હે શ્રીપાળ! તું તે મારી ખનું રતન
છે.
મારે તે આ જગતમાં તારે જ આધાર છે. તારા સુખે સુખી અને દુઃખે દુઃખી એવી આ માતા તે તારી સાથે જ પ્રયાણ કરશે.”
શ્રીપાળને વારંવાર આશ્વાસન અને સમજથી માતાએ મન વાળ્યું. અને પુત્રના કલ્યાણ અર્થે શુભાશિષ આપ્યા અને કહ્યું કે, બેટા ! નવપદજીનાં ધ્યાનથી તારું ક૯યાણ .” - ત્યાર પછી શ્રીપાળ મયણા પાસે પહોંચે. મયણાને દાસી દ્વારા વાતને દેર મળ્યું હતું. સસરા અને માતાને મનાવવા જેવું આ કાર્ય સરળ ન હતું. પ્રારંભમાં તે બંને મૌન થઈ રહ્યાં.
અંતે મયણાએ મૌન છોડ્યું. સજળ ને કહેવા લાગી, “હે સ્વામી! મારી કાયા તમારાથી ભલે જુદી હોય પણ મારા પ્રાણુ તે તમારી સાથે જ જીવવાવાળા છે. તેથી વિદેશયાત્રામાં હું તમારી સાથે આવીશ.
હે સ્વામી! તમે અહૃદયના વિરહાગ્નિને જાણતા નથી તેથી મારાથી વિખૂટા પડી પરદેશ જવા તત્પર થયા છે. પણ હું તે આપ જ્યાં જશે ત્યાં સાથે જ આવીશ.”
વળી મનોમન પિયાવા લાગીતે ઉપ-પ્રારબ્ધ! તું
Page #39
--------------------------------------------------------------------------
________________
પણ ખરે સમયે તારાં વિચિત્ર લક્ષણે પ્રગટ કરે છે. ધર્મભાવનાયુક્ત વળી સાંસારિકપણે અમે સુખે સમય. નિર્ગમન કરતા હતા તે પણ તું સહી ન શક્યું?
આખરે શ્રીપાળે અત્યંત સનેહપૂર્વક મયણાને સજ્જન અને પરાક્રમી પુરુષની જીવનપ્રણાલિ સમજાવી આશ્વાસન આપ્યું, પુરુષનું જીવન કેવળ સુખસગવડમાં પૂરું થઈ જાય તેવું સીમિત નથી. પિતાના પરાક્રમને પ્રગટ કરવું તે રાજપુરુષને વ્યવહારધર્મ છે.
તું અહીં માતાની સેવા કરજે. ધર્મની આરાધના કરજે. હું શીઘ્રતાથી પાછા ફરીશ. દેશપરદેશ સાથે ફરવામાં ઘણું જોખમ છે.” આમ ઘણા પ્રકારે શ્રીપાળે નેહા થઈને તેને સમજાવી.
મયણાનું મન પતિ વગરની પિતાની દશાના વિચારથી સુબ્ધ થયેલું હતું. તેથી વ્યથિત ચિત્તે તેણે કહ્યું, “ભલે તમે કહે છે તે મને માન્ય છે, પણ મને શંકા છે કે આપના વિરહમાં મારા પ્રાણ રહેશે કેમ? અથવા મારા પ્રાણ તે. આપની સાથે જ હશે.”
મયણ રાજકુળની અને તે કાળની સમાજવ્યવસ્થાથી જાણકાર હતી. તેથી મનમાં શંકા પણ થઈ. દેશપરદેશ, ફરતા આવા પરાક્રમી અને સૌંદર્યવાન પુરૂષને અનેક કન્યાઓ પ્રાપ્ત થશે. આથી અંતમાં સજળ નયને તે. કહેવા લાગી, “હે નાથ! અન્ય સ્ત્રીઓને પરણીને તમે તમારી. આ પ્રાણપ્રિયાને ભૂલી ન જશે.” પુનઃ શ્રીપાળે તેને આધા. સન આપ્યું.
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૭
શ્રીપાળકુ'વર પરદેશ સિધાવે છે, તે વાત મહેલમાં કર્ણોપક પહાંચી ગઈ. સગાંસ્નેહીઓ, દાસદાસીએ સૌ એકઠાં થઈ ગયાં. શ્રીપાળ પણ સ્વરક્ષણનાં સાધના સહિત સૌના શુભાશિષ લઇને વિદાય થયા. ખરું રક્ષણ તે તેમના ચિત્તમાં નવપદજીની શ્રદ્ધાનું હતું. શ્રીપાળ એકાકી ચાલી નીકળ્યા
પણ પુણ્ય તેમની સાથે હતું,
પુણ્યના યાગ અને સ્વમળની શ્રદ્ધા સહિત શ્રીપાળ એકાકી ચાલી નીકળ્યા, કેમ જાણે ભાવિમાં મુનિપણે આમ જ એકલા નીકળવાના હાય ! કેટલાય દિવસે નવાંનવાં નગર અને સ્થળે જોતાં પસાર થયા. ત્યાં એક દિવસ જગલમાંથી જતાં ગીચ ઘટામાં એક ચંપકવૃક્ષ નીચે એક માણસને તપસહિત જપ કરતા જોયા. પોતે આશ્ચર્યથી આ દૃશ્ય જોતા હતા ત્યાં તે પેલા પુરુષે આંખ ખોલી, સાશ્ચર્ય તેણે કહ્યું :
2
હું ઉત્તમ પુરુષ ! મને તમારા જેવા કેાઈ ઉત્તમ. સાધક પુરુષની સહાયની જરૂર હતી. હવે મારું કાર્ય સિદ્ધ થશે. કારણ કે હવે હું નિય અને એકાગ્ર ચિત્તે મારું કાર્ય સિદ્ધ કરીશ. ઉત્તમ સાધક સિવાય મારું મન સ્થિર રહેતું નહાતું.'
શ્રીપાળે કહ્યું, ‘ભલે, હું તમારી સહાય કરીશ. તમે નિશ્ચિતપણે તમારું સાધ્ય સિદ્ધ કરો.'
તે યાગીપુરુષે નિર્ભીય થઈ એકાગ્ર ચિત્તે પોતાની વિદ્યા સિદ્ધ કરી. આથી પ્રસન્ન થઈ છે યાગીએ શ્રીપાળને.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૮ બે વિદ્યાઓ આપી.
૧. જલતરણી,
૨. શસ્ત્રહરણી. ત્યાર પછી તે વિદ્યાધર મેગી અને શ્રીપાળ આગળ ચાલવા લાગ્યા. માર્ગમાં તેમણે એક ધાતુરવાદી પુરુષને સુવર્ણ સિદ્ધ કરવાની પ્રવૃત્તિ કરતાં જોયે. ઘણા પરિશ્રમ પછી પણ તેનું કાર્ય સિદ્ધ થતું ન હતું, તે શ્રીપાળની સહાયથી સિદ્ધ થયું. તે ધાતુરવાદી પુરુષે શ્રીપાળના કપડાને છેડે થોડુંક સુવર્ણ બાંધી આપ્યું.
ભવિષ્યમાં જેની જરૂર પડવાની છે, તેવી સામગ્રીઓ પુણ્યવંતા શ્રીપાળને સ્વયં શોધીને આવતી હતી. શ્રીપાળ જગલ, નદી, પર્વત જેવાં સ્થાનેને વટાવી ભરૂચ નગરે પહોંચ્યા. ત્યાં તેમણે સેનાનાં માદળિયાં કરાવી તેમાં પેલી વિદ્યાના મંત્રે મૂકી હાથે બાંધી લીધા. ધવળશેઠને મેળાપ
તે સમયે એવું બન્યું કે એ બંદરે ધવળ નામનો કૌશાંબી નગરીને અતિ ધનાઢય ગૃહસ્થ વ્યાપારાર્થે આવ્યું હતું. સમુદ્રમાર્ગે પ્રવાસ કરીને દેશવિદેશમાં વ્યાપાર કરી ઘનમાં વૃદ્ધિ કરવાની ઈચ્છાવાળા તે ધવળશેઠે સેંકડે વહાણે તૈયાર કરાવ્યાં, અને તેમાં કીમતી માલ ભરી દીધે, વળી સેંકડે અનુચર દ્વારા મુસાફરીની સુવ્ય-વસ્થા ગોઠવી દીધી
એક એક વહાણની શોભા, તેમાં ભરાયેલે કીમતી માલ. સેંકડે માનવને સમૂહ જાણે દરિયામાં એક નગર
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૯ ઊભું થયું હોય તેવું લાગતું હતું - શુભ મુહૂર્ત વહાણેના પ્રસ્થાન માટે ધવળશેઠના મુખ્ય સાત માળવાળા વહાણની તેપના ધડાકાથી ઊપડવાને સૌને આદેશ મળે. દરેક વહાણની તે પણ તે સમયે પણ ધણી ઊઠી.
નાવિકોએ લંગ છોડ્યા. હલેસાં માર્યા. પણ આ શું? એક પણ વહાણ એક તસુ પણ ખસે નહિ! ત્યારે તે કાળની પ્રણાલિ પ્રમાણે વળશેઠને વિધર્મ સૂઝયો કે કઈ સશક્ત પુરુષનું બલિદાન આપવું. આમ વિચારી તેણે સૈનિકને સૂચના આપી કે કઈ પરાક્રમી સશક્ત પુરુષને પકડી લાવે. તેને દરિયાઈ દેવને ભેગ આપીએ તે વહાણ ચાલવા લાગે. ધવળશેઠની આજ્ઞા પ્રમાણે સૈનિકો દરિયાકિનારે ફરતા હતા ત્યાં શ્રીપાળને ભેટ થયે.
સૈનિકે પિતાના બળના ભસે શ્રીપાળને બાવડું પકડીને ખેંચવા માંડયા. જેમ વહાણ તસુ ખસ્યાં નહિ તેમ શ્રીપાળ પણ તસુ ખસ્યા નહિ. ધવળને આ સમાચાર મળ્યા. તેણે મોટું લશકર મેલ્યું. સૈનિકોએ શ્રીપાળ પર શો છોડવા માંડ્યા, પણ...
આ શું?
બધાં શસ્ત્ર જાણે શ્રીપાળને નમન કરતાં હોય તેમ શરીરને સ્પશીને ધરતીને ખેળે પોઢી જતાં. એ જ શોને ઢગલે જાણે શ્રીપાળનું રક્ષણ કરવા કોટની જેમ ઊભે છે. સૈનિકે આગળ વધી શકે તેમ ન હતા. શ્રીપાળના શરણ સિવાય તેમનું મરણ સાક્ષાત્ હાજર હતું. અને જે
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦ લડવા શૂરા થયા તે શ્રીપાળના બાણથી વીંધાઈને મરણ પામ્યા.
ઘણીવાર થવા છતાં શ્રીપાળને લઈને સૈન્ય આવ્યું નહિ. આથી ધવળશેઠ અધીરા થઈ જાતે જ ત્યાં આવી પહોંચ્યા. શ્રીપાળને જોતાં તેમને લાગ્યું કે આ કોઈ લિબ્ધિવંત પુરુષ છે; માટે બળનું કામ નથી પણ કળનું કામ છે.
આમ વિચારી તેણે શ્રીપાળનું બહુમાન કર્યું અને પિતાની આફત નિવારવા વિનંતી કરી.
પરોપકારી પુણ્યવતા પરાક્રમી શ્રીપાળ ધવળની સાથે વહાણની નજીક આવ્યા. નિઃસ્પૃહભાવે તેમણે નવપદજીનું “ધ્યાન ધર્યું. તેમને શુભે ભાવનાં સ્પંદનથી વહાણે હલવા લાગ્યાં. અર્થાત જે દૈવી શક્તિએ વિન ઊભું કર્યું હતું. તેમ હવે તે શક્તિ અનુકૂળ થઈ.
ત્યારપછી ધવળશેઠના આદેશથી વાજિંત્રેના નાદ સાથે પ્રસ્થાનની તૈયારીઓ થઈ. ધવળશેઠે નક્કી કર્યા પ્રમાણે શ્રીપાળને એક લાખ સોનામહોર આપી.
શ્રીપાળના અદ્દભુત પ્રભાવથી ધવળશેઠ વિચારવા લાગે કે આ માનવ રત્નચિંતામણિ જેવું છે. સાથે રાખે હેય તે વિદને ટળે અને ધનપ્રાપ્તિ પણ વિશેષ થાય. આમ વિચારી તેણે શ્રીપાળને કહ્યું કે તમે મારી સાથે ચાલે.'
વળી ધવળશેઠે કહ્યું કે, “મારી સાથે દસ હજાર સૈનિક છે. પણ તમે તે એક છે છતાં આ લશ્કરની સમાન બળવાળા છે. તેથી તમે સાથે આવે તે માટે તમે જ કહેશો
Page #44
--------------------------------------------------------------------------
________________
ગ
તે હું તમને આપીશ.'
શ્રીપાળે કહ્યું કે, ભલે. આ સર્વ ‘સૈન્યનું કામ હું એકલા કરીશ. તે સર્વના પગાર મને ચૂકવી આપશે.’
ધવળશેઠ પાકો વણિક બુદ્ધિવાળા હતા. તેમણે એ સર્વના પગાર ગણ્યા તે વર્ષોંના એક ક્રેડ સેનૈયા થતા હતા. આટલી માટી રકમ એક માણસને કેવી રીતે આપી દેવાય ?
શેઠને મૌન જોઈ શ્રીપાળ તેના મનની વાત પામી ગયા. શ્રીપાળ પુણ્યવતા હતા. તેમણે કહ્યું, શેઠજી! મારે તમારા પગાર જોઈતા નથી, ફક્ત મને દેશ-પરદેશ જેવાનું કુતૂહલ છે. તમે તમારા વહાણુમાં મને જગા આપે, હું તમને માસિક સે। સેાનૈયા ભાડું ચૂકવીશ.'
ધવળ તા આ સાંભળી ખુશ થયે।.
લેાભી માનવમાં કેવું પાપ પડયુ હાય છે? શ્રીપાળ સાથે હોય તે। લાભનું કારણ જાણી સાથે લેવા તૈયાર થયેલા શેઠને મફતમાં, ઉપરથી માસિક સે। સેાનૈયા, અને શ્રીપાળના સાથ મળ્યા. એ લેાભી માનવને કયાંથી સમજાય કે પુણ્યવંતા જીવાને અન્ય સહાયની જરૂર પડતી નથી. તેમનું પુણ્ય તેમનાથી ચાર ડગલાં આગળ ચાલે છે.
શુભ મુહૂર્તે સેકડો વહાણા વેગથી ઊપડયાં અને શીવ્રતાથી ખખ્ખરોટ બંદર પહેાંચી ગયાં. અને જરૂરી માલસામાન લેવા તે બંદરે વહાણુંાને લાંગર્યાં. રાજ્યના નિયમ પ્રમાણે કરવેરાવાળા આવ્યા. લાભને કઈ શેાલ હાય! તેને જેટલી સંપત્તિ મળે તે સર્વે તેના ઉદરમાં સ્વાહા થાય. દાણુ ન ભરવાથી રાજાના સૈનિકે એ શેઠને
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૨
દેરડે બાંધી દીધા. અને સુભટોને ખાખરા કર્યાં.
બંદર પર ફરવા નીકળેલા શ્રીપાળે એયું કે શેઠ તેઃ દારડે બધાયેલા દીન દશામાં આવી પડયા છે. શેઠની પાસેથી સર્વ વિગત ાણી.
શ્રીપાળે પૂછ્યું, ‘હું તમને અને સુભટોને છેડાવું તે તમે મને બદલામાં શું આપે। ?'
ગરજવાન શેઠને તે ગમે તેમ છુટકારા જોઈતા હતા. તેમણે કહ્યું, આ સર્વ વહાણામાં અર્ધાં ભાગ તમને આપીશ.’
શ્રીપાળ તરત જ સજ્જ થઇને ઊપડયા. અને રાજના. રીનિકાની સામે જઈ પડકાર કર્યાં, અને રાજાને કહ્યું કે, ‘શેઠને ખ’ધન-મુક્ત કરે - અથવા મારી સામે લડવા આવી
જાવ !’
રાજાએ એયું કે આ માનવ કોઈ સામાન્ય નથી. આથી. તેણે પણ અત્યંત આવેશમાં આવી યુદ્ધને આરંભ કર્યાં. તેના સૈનિકોએ શસ્રો અને તેપગેાળાના વરસાદ વરસાવી. દીધે પણ તે કઈ શઓ શ્રીપાળના એક રૂંવાડાને પણ. સ્પશી શકયા નહિ.
પેલી શસ્રહણી વિદ્યાના પ્રતાપ અને શ્રીપાળના પુણ્યના પ્રભાવ, બન્નેને સુભગ સમન્વય થયેા હતે.
અને શ્રીપાળના તેા એક જ તીરથી એકસાથે પાંચ ચાદ્ધાઓ ધરાશાયી થતા હતા.
આખરે રાજા વ. શ્રીપાળની સામે આવી ગયે. પણ શ્રીપાળે તેને તેા પલકમાં બધનમાં નાખીને ધવળશેઠને જ્યાં ખાંધ્યા હતા ત્યાં લઈ આવ્યા.
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૩
બંને બળિયા બંધનમાં નત મસ્તકે ઊભા હતા.
શ્રીપાળના આદેશથી બનેને બંધનમુક્ત કરવામાં આવ્યા.
શ્રીપાળનું આવું પરાક્રમ જેઈ, લાચાર થઈ, ધવળશેઠે આપત્તિથી છૂટવા જે સંપત્તિ આપવાનું શ્રીપાળને વચન આપ્યું હતું, તે પ્રમાણે શ્રીપાળને ભાગે બસો પચાસ વહાણે માલસામાન સહિત સુપ્રત કર્યા. શ્રીપાળ અને મદનસેન
શ્રીપાળના પરાક્રમથી પ્રભાવિત થયેલા રાજાએ શ્રીપાળકુંવરનું અતિબહુમાન કરી તેને પિતાના મહેલમાં લઈ ગયા. કુંવરનું પ્રભુત્વ જ એવું હતું કે ક્ષણમાત્રમાં સૌને પ્રિયતા થઈ જતી
બબ્બરકેટના મહાકાળ રાજાને મદનસેના નામની કન્યા હતી. કેમ જાણે વિધાતાએ તેને માટે જ કન્યા ઘડી હોય, તેમ રાજાએ શ્રીપાળને કન્યારત્ન સ્વીકારવા વિનંતી કરી. અને અત્યંત ધામધુમથી લગ્નોત્સવ ઊજવ્યો કન્યાદાનમાં અઢળક સંપત્તિ અને દાસદાસીઓને સમુદાય આપે.
શ્રીપાળ અને મદનસેના સુખમાં સમય વિતાવતાં હતાં. ત્યાં ધવળશેઠે કુવરને આગળ પ્રવાસ ખેડવાની વિનંતી કરી.
શ્રીપાળે પણ તેને ઉચિત માની મહાકાળ રાજાની રજા માગી. વિદાયની સર્વ તૈયારી કરી. રાજાએ પુનઃ અનેક ગણ સામગ્રી પુત્રીને આપી અને એક મોટું શેભાયમાન જહાજ તૈયાર કરાવ્યું. નગરજને પણ અનેક પ્રકારનાં
Page #47
--------------------------------------------------------------------------
________________
३४
ભેટણ લઈને આવવા લાગ્યા.
આમ શ્રીપાળને જાણે ચારે બાજુથી લમીની પધરામાણી થતી હોય તેમ સંપત્તિ ઊભરાવા લાગી. જો કે હજી આ તે પ્રારંભ હતે. ભવિષ્યમાં શ્રીપાળને માટે શ્રી અને કન્યાઓ આતુરતાથી રાહ જોતી હતી. શુભ મુહૂર્ત વિવિધ વાજિંત્રેના નાદથી આકાશ ગાજી ઊઠયું. સેંકડે વહાણના સઢ છૂટયા અને તે સૌની સાગર-સફરને પ્રારંભ થયો.
સમય તે વહેતું જ રહે છે. ધવળનાં વહાણે સકુશળ રત્નદ્વીપ બંદરે પહોંચ્યાં. માલની લેવડદેવડ કરવા, તથા અનાજ-પાણી પુરવઠા મેળવવા શેઠે સૌને આદેશ આપ્યા. શ્રીપાળ અને મદનમંજૂષા
રત્નદ્વીપના રાજાને કઈ દૈવી સંકેત મળ્યું હતું, કે તેમની રાજકન્યાના લગ્ન ભગવાન શ્રી કષભદેવના મંદિરના દરવાજા ખોલનાર પરાક્રમી પુરુષ સાથે થશે.
શ્રીપાળકુવર ગાનુયોગ આ મંદિર પાસે આવ્યા અને દરવાજા ખૂલી ગયા. આથી રાજા તેમને અત્યંત આદરપૂર્વક રાજમહેલે લઈ ગયા.
રાજાના આદેશથી આખું નગર લગ્નોત્સવમાં ફેરવાઈ ગયું. અને શ્રીપાળ તથા મદનમંજૂષા લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. વિધાતાએ જાણે જુગતે જોડી કરી આપી હેય!
અત્યંત સુખમાં દિવસો પસાર થતા હતા, પણ શ્રી પાળ પિતાની ધર્મભાવનામાં હંમેશાં તત્પર રહ્યા હતા. વળી તે સમયે ચૈત્ર માસની આયંબિલની ઓળીના દિવસો આવ્યા.
Page #48
--------------------------------------------------------------------------
________________
રૂપ
શ્રીપાળે તે દિવસેામાં પૂર્વવત્ સાધના કરી. નગરમાં અારિ પ્રવર્તન દ્વારા અહિંસા ધર્મના પ્રચાર કર્યાં.
ધર્માત્માએ ગમે તેવા સ્વર્ગીય સુખામાં પશુ ધર્મની રક્ષા પ્રાણની જેમ કરે છે, અને ધર્મ પણ ધર્માત્માનું રક્ષણ કરે છે.
ધર્મ રક્ષતિ રક્ષિતઃ'
બીજી બાજુ ધવળ રાત્રિદિવસ ધનપ્રાપ્તિની વેઠ કરી રહ્યો છે. ધન મેળવે છે, પણ તેનું જીવન ધર્માં વહેણુ હાવાથી દુ:ખમય છે.
તે માને છે કે ધન તે છળપ્રપ`ચથી મેળવાય. તે અજ્ઞાનથી એવા ઘેરાઈ ગયા હતા, કે ધન પૂર્વ પ્રારબ્ધથી પ્રાપ્ત થાય છે અને છળપ્રપ‘ચ તા ભાવિ દુઃખનું કારણ બને છે, તે જાણતા ન હતા.
ધવળને પેાતાના છળકપટનું ફળ શીવ્રતાથી મળવાનું હતું, તેથી વિનાશકાળે વિપરીત બુદ્ધિની જેમ તે ધધામાં અનીતિ આચરીને બધું ગુમાવી બેઠા, તેને દાણુચેરી કરવાની કઈ જરૂર ન હતી. પરંતુ મૂર્ખ જીવા સ્વયં પોતાના જ હાથે ખાડા ખોદી તેમાં પડે છે, જ્યાં તેને કાઢનારા મળતા નથી.
દાણુચારી કરવાથી રાજસેવકોએ તેમને ચાર તરીકે પકડયા અને રાજસભામાં હાજર કર્યાં.
સિંહાસન પર બેઠેલા શ્રીપાળે ધવળશેઠને ઓળખી લીધા, અને તરત જ તેમનાં બધન છેડાવી નાંખ્યાં, વળી રાજાને તેમની ઓળખાણુ આપી. તેમનું માન-સન્માન કર્યું.
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૬
વળી શુભ મુહૂતે અન્યત્ર પ્રસ્થાન, વળી કન્યાદાન અને અઢળક સંપત્તિ, અત્યંત શૈાભાયમાન નવી નૌકા, નગરજનેાની શુભ ભાવનાએ સહિત શ્રીપાળ અને બંને રાણીઓ વિદાય થયાં. ધવળનું કપટ
ધનાઢચ પણ દસના રંક એવા ધવળ લેભવા પોતાની સંપત્તિનું સુખ પામી શકતા નથી, અને શ્રીપાળ તે કશી જ ઉપાધિ વગર અને રાણીએ સાથે નૌકામાં અત્ય'ત સુખને લાગવી રહ્યો છે.
માનસિક પીડાયુક્ત ધવળમાં ર્દષ્ણુની જવાળા પ્રગટી તે શ્રીપાળને કપટ કરી તૂતક ઉપર લઇ ગયે અને દરિયામાં પડેલી દીધા. ત્યાર પછી ધવળે નાટક કરી શેરખઙેર કરી મૂકયો, અને બને રાણીઓને પણ દુઃખના સમાચાર આપ્યા કે શ્રીપાળ દરિયામાં પડી ગયા છે.
આ દળ વિધાતા જાણતા હતા. પણ હજી ધવળનું. પાપ પાકયુ નહતું ને! તેથી તે પણ ધીરજવાન રહ્યો.
પ્રારંભમાં ધવળ રાણીઓને આશ્વાસન આપતે રહ્યો. પરિચય કરતા રહ્યો. અંતે તેણે એકવાર પોતાની મલિન વાસના જાહેર કરી. તે માનતા હતા કે શ્રીપાળના દરિયમાં ડૂબી જવાથી વહાણાના માલિક તે તે થયે. હવે આ રૂપવતીઓના સ્વામી થવું તે સરળ છે.
ધનપિપાસા અને વિષયલાલસાથી પ્રસાયેલા તે અધ
બન્યા હતા.
Page #50
--------------------------------------------------------------------------
________________
(૩૭
વિકે 1
એલિના
ની બે
ધવળની કુદષ્ટિથી બચવા બંને રાણીઓએ નિર્ણય કર્યો? કે આપણે પતિની પાછળ દરિયાને શરણે જવું. આમ વિચારી જ્યાં બંને પાપાત કરવા વહાણના તૂતક પર જાય છે, ત્યાં તે દરિયામાં એકાએક પ્રચંડ તેફાન ઊઠયું. નાવિકે પણ મૂઝાઈ ગયા.
ત્યાં ધવળે એક દશ્ય જોયું.
બને રાણીના શીલના પ્રભાવથી શાસનદેવી પ્રગટ થયાં. સૌ પ્રથમ તેમની દષ્ટિ ધવળની બાજુમાં બેઠેલા તેના મંત્રી બુદ્ધિ પ્રત્યે પડી અને તે ત્યાં જ ભસ્મીભૂત થઈ ગયે. આથી શેઠ ગભરાઈને બંને રાણીઓના આવાસમાં ઘૂસીને તેમના ચરણોમાં બેસી પડયો. આથી દેવીએ તેને જીવતે છેડી દીધે. આ દેવીએ બંને રાણુઓને તેમની સુરક્ષા માટે ફૂલની માળા આપી. વિકલા તેફાનને શમાવી દેવી અદશ્ય થયાં. અને કહેતાં ગયાં કે તમે નિશ્ચિત રહેશે. તમારા પતિ ઠેકણદેશમાં સકુશળ છે, અને એક માસમાં તમારે મેળાપ થશે.
દુબુદ્ધિશેઠને કામ અને ધન બનેની અતિ લુપતાએ અંધ કર્યો હતે. આ દશ્ય જોયા પછી પણ તેની દાનત તે બૂરી જ રહી.
તેણે નાવિકને સૂચન કર્યું કે વહાણેને ઉત્તરદિશામાં લઈ જાવ, સતીઓનાં શીલ અને શ્રીપાળના પુણ્યને સરવાળે વળશેઠના પુણ્યની બાદબાકી કરતે રહ્યો. પવનની થયા પૂર્વ તરફથી હતી. અથાગ પરિશ્રમ છતાં વહાણ
Page #51
--------------------------------------------------------------------------
________________
કોંકણ તરફ ચાલ્યાં.
જે પિતાની દાનતને ફેરવી ન શકયો તે પવનને કેવી. રીતે ફેરવી શકે ?
વહણે ઠેકણ જઈને ઊભાં રહ્યા. ખરેખર કપટી. માણસો સ્વયં ફસાઈ જાય છે !
ધવળશેઠે બહુમૂલ્ય વસ્તુઓની ભેટ લઈને કેકણના મહારાજાના ચરણે ધરી દીધી, અને નમન કરી ઊભો રહ્યો. પણ આ શું?
શેઠે બેચાર વાર આંખને બંધ-ઉઘાડ કરીને ખાત્રી. કરી લીધી કે પોતે સ્વપ્નમાં નથી ને? સાગરમાં પધરાવેલ આ શ્રીપાળ જીવતે કયાંથી? - શ્રીપાળને મહારાજાની બાજુના સિંહાસને બેઠેલા જોયા અને ધવળને હૃદયના ધબકારા વધી ગયા. ત્યાં વળી રાજાએ શ્રીપાળના હસ્તે તેમનું સ્વાગત કરાવ્યું.
ધર્માત્મા કેવા ધીર-ગંભીર હોય છે? શ્રીપાળે ધવળશેઠને ઓળખી લીધા હતા, છતાં ઉદારચિત્તે તેમનું સન્માન કર્યું. અને જાણે ઓળખતા નથી તેમ શાંતિથી બેસી રહ્યા.. સમય થતાં સભા વિસર્જિત થઈ.
લીમડાને સાકરના પાણીનું ખાતર નાંખો પણ લીંબેળી. કંઈ કડવાશ છેડે નહિ. સાકરનું પાણી પીને પણ લીમડાનું વૃક્ષ સર્વાગે કડવું જ ઉત્પન્ન થાય છે અને રહે છે.
ધવળશેઠે કોઈ એક રાજસેવક પાસેથી સઘળી હકીકત જાણી લીધી, કે આ તે અમારા રાજાના માનવંતા જમાઈ છે. જગતમાં સૂતેલા અજાણ્યા મુસાફરને જગાડીને રાજયમ
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૮
લાવ્યા પછી રાજાએ તેમની સાથે રૂપવતી રાજકન્યાને પરણાવી છે.
ખરેખર હકીકત શું બની હતી?
વિષયલેપ અને ધનલેભી ધવળે કાવત્રુ કરી શ્રીપળને દરિયામાં ધકેલી દીધા હતા. પણ “જળતરણ વિદ્યાના પ્રભાવે શ્રીપાળ ડૂખ્યા નહિ, અને પુણ્યગે નવપદના રમરણથી દરિયામાં એક મગરમચ્છની પીઠ પર આવી ગયા. કેમ જાણે તેમને માટે નૌકા બનીને તે મ તેમને કિનારે લઈ જવા આવ્યું હોય તેમ કંકણના દરિયાકાંઠે લઈ આવ્યું હતું.
ધમને ઝેર અમૃતરૂપે પરિણમે. દાવાનળ હિમ જે શીતળ બને. સર્પ ફૂલની માળા થઈ સ્વાગત કરે. જગત મંગલમય બની જાય.
સમુદ્ર સ્વયં ધરતી થઈને ધારણ કરે. શ્રીપાળ અને મદનમંજરી
એક રાત્રિને દરિયાને થાક ઉતારવા શ્રીપાળ એક વૃક્ષની છાયા નીચે વિશ્રાંતિ લઈ રહ્યા હતા, ત્યાં તેમણે કંઈક કોલાહલ સાંભળે. આંખ ખેલીને જોયું તે સુવર્ણની અંબાડી સહિત હાથી, ઘેડા, સૈન્ય વગેરે તેમની સામે હાજર હતાં. રાજ્યના મહામંત્રી તેમને નમીને વિનંતી કરવા લાગ્યા :
“હે સ્વામી ! અમે આપનું સ્વાગત કરીએ છીએ.
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૦
આપ અમારી સાથે પધારે કાંકણુ દેશના પરાક્રમી વસુ રાજા તરફથી આપનું સ્વાગત કરવામાં આવે છે.’
એક દિવસ કોઈ નિમિત્તિકે રાજાને જ્યાતિષવિદ્યાથી ખુશ કર્યાં હતા, ત્યારે રાજાએ તેની પરીક્ષા કરવા પૂછેલું કે ‘મારી મદનમ’જરી કુવરીને યાગ્ય પતિ કયારે મળશે ? '
નિમિત્તિકે નિયત દિવસ અને સ્થાન ખતાવ્યાં હતાં, તેથી તે શુભ દિવસે અમે આજે તપાસ કરવા આવ્યા છીએ, અને અમારા સદ્ભાગ્ય છે કે નિમિત્તિકના કથન પ્રમાણે આપનો મેળાપ થયા છે. હવે આપ હાથીની અંબાડી પર મિરાજ અને રાજસભામાં ચાલે.’
રાજાએ પેાતાની સત્તાના પ્રભાવે એ ઘડીમાં તે શ્રીપાળના ભવ્ય સામૈયાની તૈયારી કરી લીધી. શ્રીપાળ દરબારમાં પધાર્યાં ત્યારે રાજાએ તેમને પેાતાની કન્યા મદનરેખાની સાથે વિવાહ માટે વિનંતી કરી. શુભ મુહૂતે શ્રીપાળ મદનરેખા સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
રાજાએ પોતાની પુત્રીને દેવભુવન જેવા મહેલ અને અદ્ભુત સામગ્રી આપી, શ્રીપાળ માટે દેવી સુખા હાજર થઇ ગયા, એક રાત્રિના અશુભ યાગ કાંય ભાગી ગયા અને વળી સ્વર્ગીય સુખામાં સમય પસાર થઈ રહ્યો હતા. ત્યાં ધવળશેઠનું આગમન થયું. પૂર્વ હકીકતથી રાજા અજાણ હતા. શ્રીપાળના હસ્તે ધવળનું સન્માન થયું.
પણ
ધવળનું કાળજું કેરાઈ ગયું.... આ શું?
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૧
નામ ધવળ પણ હૃદય જાણે કાજળ તે હવે નવી કુયુક્તિ શેાધવા લાગ્યા. ધવાના હાથના કર્યા હૈયે વાગ્યા
ઈર્ષ્યાની આગમાં બળતા ધળ ઉતારે પહોંચ્યા. -દાસીએ પ ́ખા વીંઝે છે, પણ ધવળની માનસિક પીડા ઠરતી નથી. ત્યાં તેણે કઈંક કોલાહલ સાંભળ્યા. તે વખતે ચંડાળજાતિના હલકટ વર્ણનું, કૃશકાય, જીવસ્રધારી અને દીનહીન દશાવાળું એક ટોળું ત્યાં આવ્યું. તેમણે સહાય માટે યાચના કરી અને કપટી ધવળની બુદ્ધિમાં ચમકારો થયે.
તેણે ટોળાના નાયકને ખેલાવ્યા અને કહ્યું કે, ‘જે તમે મારું કામ કરે તે તમને ઘણું ધન આપીશ.' ધનની લાલચે તે નાયક કામ કરવા તૈયાર થયે.
ધવળશેઠે તેમને શીખવ્યું કે તમારે દરબારમાં જવું. ત્યાં રાજાની બાજુમાં તેમના જમાઈ સિંહાસન પર બેઠા હશે. તે તમારા પુત્ર છે તેમ બ્રૂમેા પાડીને કહેવું. અને તેની પાસે જઈ તેને વળગી પડવું, બીજાએ વળી નવી સગાઈ કાઢવી..'
આમ નક્કી કરીને ધનને અર્ધી ચંડાળ નાયક - દરખારમાં પહોંચ્યા અને રાજા પાસે ધનયાચના કરી. રાજા હવે સર્વકાર્ય શ્રીપાળના હસ્તે કરાવતા હતા. તેમણે -તરત જ શ્રીપાળને કહ્યું કે, ‘આ નાકકને દાન વગેરેની સહાય કરે.’
જ્યાં શ્રીપાળે નાયકને દાન આપવા હાધુ સંમાન્ચે કે તરત જ તે નાયક શ્રીપાળને ભેટી પડયો.
Page #55
--------------------------------------------------------------------------
________________
४२
‘અરે વહાલા પુત્ર! તું અહીં કયાંથી? અમે તારા.. વિયેાગે દુ:ખી થઈ ગયા. તને શેાધવા કેટલાં કટ્ટો સહન કર્યાં! એ મારા પુત્ર! આજ મારાં ભાગ્ય ઊઘડી ગયાં. તારે મેળાપ થયેા. ત્યાં તે ખી માણુસ ઊછળી પડયો ઃ અરે ભાણેજ ! આટલા દિવસ તારા વગર અમે દુઃખમાં.
જીવતા હતા.'
ત્યાં તે એક યુવાન સ્ત્રી ઘૂઘટ તાણીને આવી. તેણે અદ્ભુત નાટક કર્યું.
સ્વામી ! મારે। આજને આ અંતિમ દિવસ છે. જો આજ આપ ન મળ્યા હાત ખેતા હું અગ્નિસ્નાન કરીને જીવનના અંત આણુત.'
રાજદરબારમાં શેરખકાર મચી ગયા. ધવળશેઠની યુક્તિ લેાકમાં પ્રથમ તે। સાચી ઠરી. રાજા અત્ય'ત કોપાયમાન થયે અને તેના હાથ તલવારની મૂઠ પર ગયા. તરત જ તેણે જોષી અને શ્રીપાળના વધની તૈયારી કરી લીધી. આ સમાચાર વાયુવેગે અંતઃપુરમાં પહેોંચી ગયા. માતા-પુત્રી પડદા પાછળ રહી આ દૃશ્ય જોઇ ચાંકી ગયાં, પિતાને તલવાર હાથમાં રાખી શ્રીપાળ તરફ ધસતા જોઈ મદનમંજરીએ પિતાજીને ક્ષણભર રીકાઇ જવા વિનંતી કરી. વિચક્ષણ મ`ત્રીએ શ્રીપાળને તેમના વશ પ્રગટ કરવા અનુરાધ કર્યાં.
શ્રીપાળે કહ્યું, ‘તમારે તલવારથી વંશ જાણવા હાય. તે સામે આવી જાવ! તેા મારી તલવારની ધાર મા વધુ પ્રગટ કરશે ! અને તમે શાંતિ-સમાધાન ઇચ્છતા
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૩
હોય તે બંદર પર આવેલાં વહાણેમાં બે રાજકુમારી છે તેમને લઈ આવે. તેઓ મારા કુલવંશ પ્રગટ કરશે. સજજન. પુરુષે પિતાને વંશ સ્વયં પ્રગટ કરતા નથી.”
રાજાએ તરત જ પાલખી મોકલીને બંને રાજકુમારીને બેલાવી. વિદ્યાધરની પુત્રીએ ચારણમુનિએ કહેલે શ્રીપાળને. સર્વ પૂર્વવૃત્તાંત કહી સંભળાવ્યું. આથી ધવળશેઠને. પ્રપંચ પ્રગટ થઈ ગયો.
રાજાએ શ્રીપાળની અને જોષીની ક્ષમા માંગી. બંને રાણીઓનું ઘણું સન્માન કર્યું. વળી શ્રીપાળને કહેવાથી ધવળને રાજાએ યોગ્ય ઉતારો આપે. ધર્માત્મા શ્રીપાળ. ધર્મને અનુસર્યા. જીવ પાપી નથી હોતો, તેનાં કાર્યો પાપમય હોય છે – તેવું સત્યનિષ્ઠ પુરુષનું જ્ઞાન હોય છે.
ચંદનને બાળે, સુંઘે, ઘસે, પીલે – એ સુગંધ જ ફેલાવતું રહે છે તેને ધર્મ.
અને લીમડાને બાળે, ઘસે, ખાઓ –
સર્વત્ર કડવાશને અનુભવ આપશે. હજી ધવળના પાપને ઘડો તેને પૂરતી સજા મળવા જે ભરાયે ન હતા. રંક વળે લાખ પ્રયત્ન કર્યા છતાં એક પણ રાજકુવરીને હસ્તમેળાપ કે રાજસત્તા ન પામે. અને આ શ્રીપાળ જ્યાં જાય ત્યાં વરમાળા અને રાજમાળા આતુરતાથી તેની રાહ જુએ. આનું રહસ્ય ધવળ કયાંથી, સમજે? તે તે કહેતા કે, “ભાઈ ! આ ધર્મ કરવાને અવકાશ ક્યાંથી મેળવું? અરે ધર્મ વગર આ જેની બુદ્ધિને.
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૪
બગાડ કાણુ શકે?’ તે અજ્ઞાનના અંધકારમાં અટવાયેલા ધવળ કચાંથી જાણે !
શ્રીપાળની ઉદારતા તે જુએ ! શત્રુનું પશુ ભલું ઇચ્છનાર એ મહાત્માએ ધવળને મિત્રભાવે પાતાની નજીકમાં જ નિવાસ આપ્યા. શ્રીપાળથી વિપરીત માનસવાળા ધવળનું છતી લક્ષ્મીએ દિલ દરિદ્રી હતું. એણે છેલ્લા ઉપાય શોધી કાયો. તેણે વિચાયુ` કે હું ખાઈ તે। ન શકયો, પણ ઢાળી તા શકુ છું. જે શ્રીપાળને કાળને હવાલે કરી દઉં તા મારે જોવું નહિં અને ખળવું નહિ.
અરે ધવળ ! એક વાર તું બાજી હારી ગયા છતાં હછ પુણ્ય-પાપનાં રહસ્યા સમજ્યેા નહિ? ધવળના પાપના ઘડા ભરાઈ ગયા હતા તેથી તે પણ શું કરે !
શ્રીપાળના સુખના રહસ્યને નહિ જાણનાર ધવળ દુ:ખથી આક્રાંત થઈ ઊઠયો. રાત્રે પથારીમાં પડયો હતા પણ પારકા સુખને નહિ જીરવનારી પેલી ઇષ્ટએ તેને ઊલે કરી દીધા. અંધારી રાતે ધવળ કટારી લઈને લપાતાછુપાતે શ્રીપાળતા મહેલના સાતમા માળે જવા સીડી ચઢે છે. આમ તે અંધારું ચારને સાથ આપે, પણ ધવળનું ચિત્ત ચાર કરતાં પણ વધુ મલિન હશે કે ગમે તેમ, સીડી પરથી તેને પગ લપસ્યા, અને સાતમે માળે જવાને બદલે પોતાની કટારી દ્વારા તે સાતમી નરકે પહોંચી ગયા.
નવપદના ધ્યાની શ્રીપાળનું ભૌતિક પુણ્ય પણ કેવું ? ધવળના નધણિયાતાં સર્વ વહાણા, સૈન્ય, સામગ્રી અને સંપત્તિ શ્રીપાળના ચરણને ચૂમતાં રહ્યાં. જે મેળવા ધત્રળે
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૫
નિરર્થક પ્રયત્ન કર્યો, છતાં પામવાને બદલે ગુમાવી દીધું.. સુખની પ્રાપ્તિનું સાધન સુકૃત્ય છે એ સાબિત થયું. શ્રીપાળ અને ગુણસુંદરી
ત્રણ સરિતાઓના સંગમની જેમ ત્રણ રાજકન્યાએ અન્યેાન્ય સભાવવાળી હતી. આથી શ્રીપાળ રાજા પણ ત્રણે રાણીએ સાથે નિષ્કંટકપણે સંસારમાં દૈવી સુખ
ભાગવતાં હતાં.
એક દિવસ શ્રીપાળ રાણીએ અને રાજપરિવાર સહિત રાજઉદ્યાનમાં જવા નીકળ્યા. ત્યાં માર્ગમાં એક ઘણી ઋદ્ધિવાળા સાથે તેમણે જોયા. તેટલામાં સાર્થપતિ પોતે જ ભેટ લઈને તેમની સમક્ષ ઉપસ્થિત થયેા.
શ્રીપાળરાજાએ સાર્થપતિનું અભિવાદન કર્યુ. પછી તેઓ કયાંથી આવ્યા છે, અને મામાં શું નવીનતા જોઈ તે પૂછતાં, સાર્થપતિએ કહ્યું કે અમે એક આશ્ચર્ય જોયું તે સાંભળે.
કુંડલપુર નામનું એક સમૃદ્ધ નગર છે. તેમાં મકરકેતુ નામનેા પરાક્રમી રાજા છે. તેને કતિલકા નામે સદ્ગુણી રાણી છે. તેને થાનામ ગુણસુંદરી કન્યા છૅ. તે અત્યંત રૂપવાન અને કલાનિપુણ છે. સવિશેષ તે વીણાવાદનમાં અજોડ છે. આ ગુણસુંદરીએ એક પ્રતિજ્ઞા કરી છે કે જે મને વીણાવાદનમાં જીતશે તે જ મારા પતિ થશે. કુંવરીની
Page #59
--------------------------------------------------------------------------
________________
આ પ્રતિજ્ઞા નગરમાં અને અન્યત્ર પ્રસિદ્ધિ પામી હતી. આથી રાજકન્યાને મેળવવા કેટલાય રાજકુમારે વીણાવાદન શીખવા નગરના વિદ્યાચાર્યો પાસે આવવા લાગ્યા. આ ઉપરાંત ભાગ્યને અજમાવવા ઉત્સુક એવા વ્યાપારીઓ અને અન્ય નાગરિકે પણ વીણાવાદન શીખવા લાગ્યા.
આથી નગરની શેરીએ શેરીએ વીણાઓ ગુંજતી થઈ ગઈ છે. જાણે આ સિવાય કોઈને અન્ય કંઈ કાર્ય જ ન હોય તેમ નગરમાં ચોરે ને ચૌટે વિણાની કળાને વિષય ચર્ચાસ્પદ થઈ પડ્યો છે. કુંડલપુર વીણાવાદનપુર થઈ ચૂકયું છે.
એમાં હવે ગામના ગોવાળ, ભરવાડ, વાળંદ કે સુથાર-કડિયા કેઈ વણું બાકી નથી. ધંધા-રોજગાર છોડી દરેકને મરથ એક થઈ ગયેલ છે કે વીણવાદનમાં વિજય મેળવી રાજકન્યા મેળવવી.
પણ ગુણસુંદરીને વીણાવાદનમાં જીતવી તે કઈ સહેલું ન હતું. આમ વર્ષો વીતતાં ગયાં. આથી રાજા-રાણી ચિંતિત થયાં છે. રાજકન્યાને પ્રાપ્ત કરવાના મનોરથવાળા છે પણ મહાપુરુષાર્થ કરે છે. વળી દર માસે વીણાવાદનની સ્પર્ધા
જાય છે અને પરાજય પામેલા પુનઃ નવો પરિશ્રમ આદરે છે. પુનઃ પરાજય પામી રાજકુંવરીનું દાસત્વ સ્વીકારે છે.
આ પુરુષાર્થ એક્ષપ્રાપ્તિ માટે કર્યો હોય તે જીવ કેવું સુખ પામે. પણ તુચ્છ સુખને આકાંક્ષી અજ્ઞાનવશ જીવ એ મર્મનું રહસ્ય પામી શકતું નથી.
સાર્થવાહ કહે છે, હે રાજા ! બામ કુડલપુર નગર
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૭
સાક્ષાત્ કુતૂહલનગર થઈ પડ્યું છે. સાર્થવાહની વાતે -સાંભળી શ્રીપાળ પ્રસન્ન થયા, તેને ચેમ્પ ભેટયું આપી વિદાય કર્યાં.
સાર્થવાહની કૌતુકપ્રિય વાતેથી શ્રીપાળ રાજા પ્રભાવિત થયા અને કુ’લપુર જવાને મનેારથ કરવા લાગ્યા પણ આટલે દૂર જવું કેવી રીતે ? આમ રાત્રિ પૂર્ણ થઈ.
પ્રાતઃકાલે પૂજાવિધિમાં બેઠા પણ આજે તેમને મનારથ જુદા હતા. ઉત્તમલાવેાથી પ્રેરાઈને કોઈ નવપદજીના ભક્ત દેવે પ્રસન્ન થઈ તેમને એક હાર આપ્યા, અને તેને પ્રભાવ જણાવ્યા કે :
જેવું રૂપ કરવું હોય તેવું કરી શકાય. ઇચ્છિત સ્થાને આકાશમાર્ગે જઈ શકાય. જે કળા શીખવી હાય તે પ્રગટ થાય. ભયંકર ઝેરના વિકારા પણ હારના ન્હવણુ જળથી નાશ પામે.
પુણ્યવ'તા શ્રીપાળને જે મનારથ હતા તેને પરિ કરવા ચેાગ્ય સામગ્રી મળી ગઈ.
શ્રીપાળ હારના પ્રભાવ પ્રભાવથી કુલપુર પહોંચી ગયા. સાર્થવાહના કાન પ્રમાણે નગરીને નિહાળી,
પછી ચિંતવ્યું કે મને કૂખડાનું રૂપ થાઓ. હારના પ્રભાવથી તેમ બન્યું,
માથુ' ઊભી ટોપી જેવું, મુખ તુંબડા જેવું; આંખે ચૂંચરી, દાંત 'તૂથળ જેવા; હાડા જાડા, નાક ચીજી', કાન ગભ જેવા,
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૮
「
પગ પાતળા, પૂર્ણ કૂબડાનું રૂપ બન્યું.
આવું કૂબડાનું રૂપ કરીને શ્રીપાળ ઊપડ્યા. એકવાર. શ્રીપાળનું રૂપ જેવા ઉજજૈનમાં લેાકો ઊમટયા હતા. અહી' તેનું કુરૂપ જોવા ટોળેટોળાં ઊભરાવા લાગ્યાં. એમ કરતાં કૂબડા જ્યાં રાજકુમારા વગેરે વીણા શીખતા હતા ત્યાં પહેાંચ્યા. સૌની નજર તેના તરફ ગઈ અને હાસ્યનું મેનુ શ્રી વળ્યું. વળી સૌ કટાક્ષયુક્ત વાણીથી તેને ખેલાવવા લાગ્યા, ‘હે કૂબડાજી ! આવા સુંદર રૂપવાળા તમે કયાંથી આવા છે. અને આવવાનું શું પ્રયેાજન છે ?'
કૂબડા: ‘હું દૂર દેશથી આવ્યા છું અને પ્રયેાજન તા. તમારા સૌનું જે પ્રત્યેાજન છે તે જ છે.' આ કથના શ્રવણુથી વળી પુનઃ હાસ્યનું એક મેજુ ફરી વળ્યું.
કૂખડાજી તા સીધા વિદ્યાચાર્ય પાસે પહોંચ્યા, તેમની પાસે ભેટલું ધરીને વિદ્યાપ્રાપ્તિ માટે વિનંતી કરી. વિદ્યા ચા સૌની જેમ તેને પણ એક વીણા આપી અને વામનજીએ વીણાના તારને “એવા છેડવા કે સર્વે તાર વીણાથી રિસાઈને દૂર જઈ પડચા. પુનઃ હાસ્યનું માજુ ગુંજી ઊઠયુ'.
મ
આમ કરતાં કસોટીને દિવસ આવી પહોંચ્યા. રાજ દરબાર ખીચખીચ ભરાઈ ગયા હતા. રાજકન્યા મેળવવાના મનેાથવાળાની મોટી ભીડ હતી. તેમાં વળી વીણા સાથે. સો ઊમટા હતા. રાાએ, રાજકુમાર, નગરપતિએ, શ્રીમંત કુટુ'બનાં સંતાને, યાપારીઓ, ખેડૂતા, ગાવળા
Page #62
--------------------------------------------------------------------------
________________
એમ માને કે કોઈ જાત બાકી ન હતી. એક વિચિત્ર મેળે જામ્યું હતું. તેમાં આ કૂબડે ઉપસ્થિત થયો.
સમય થતાં સરસવતીના રૂપના પ્રતીક સમી રૂપવાન ગુણસુંદરી દરબારમાં હાજર થઈ. સભા રાજકન્યાના રૂપને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. રાજકન્યાએ હાજર રહેલા ઉમેદવરે તરફ એક વેધક નજર નાખી, પેલા કૂબડા તરફ જોતાં રાજકન્યાની દષ્ટિ ત્યાં ઠરી ગઈ. આ શું?
શ્રીપાળે પણ તે સમયે રાજકુંવરીને પિતાના અસલ રૂપનું દર્શન કરાવી દીધું.
અત્યંત સ્વરૂપવાન અને ગુણવાન એ આ રાજકુમાર કોણ હશે? તે મારી પ્રતિજ્ઞા પૂરી કરે તે મારા ધન
ભાગ્ય,
પણ આ શું? રાજકુંવરીએ પુનઃ શ્રીપાળ પ્રત્યે જેવું તે તદન કૂબાડાનું કુરૂપ જોઈ તે મૂંઝાઈ ગઈ.
સમય થતાં વિદ્યાચાર્યના આદેશ અનુસાર રાજામહારાજાઓ ઊઠવા લાગ્યા. પણ રાજકુંવરીની વીણાવાદનની કળા સામે સૌ ફીક્કા જણાયા. આથી ઘણાએ તે ઊઠવાનું સાહસ જ ન કર્યું.
આખી સભામાં સન્નાટો વ્યાપી ગયે. આ વખતે પણ પ્રતિજ્ઞા અધૂરી રહેશે? ત્યાં તે કુબડાજી ઊઠ્યા. લેકે હસવા લાગ્યા પણ કુબડાએ તે નિશ્ચિત મને વીણા હાથમાં લીધી. અને ડોકું ધુણાવ્યું કે વીણું તે બળેલા લાકડામાંથી બનાવી છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૦
છતાં અવસર ઓળખીને તેણે વીણા હાથમાં લીધી અને તાર છેડયા. ઘેાડી જ ક્ષણામાં આખી સભા મૂર્ચ્છિત થઈ ગઈ. તે લાગ જોઇને કૂબડાએ રાજાએ વગેરેનાં મુગટ અને આભૂષણેા ઉતારી લીધાં અને પુનઃ મધુર સ્વર છેડવા જેથી સભા જાગ્રત થઈ, પણ આ શું? આભૂષા કોણે ઉતારી લીધાં?
લે કઈ વિચાર કરે તે પહેલાં તારાજકુ’વીએ શ્રીપાળના કંઠમાં વરમાળા પહેરાવી દીધી. કૂબડાને વરમાળા ? કાગડાને કેટે સેાનાની કઢી ? રાજા-પ્રજા સૌ દુ:ખી થઈ ગયાં. ત્યાં તે શ્રીપાળ પેાતાના અસલ સ્વરૂપે પ્રગટ થયા. ત્યારે સૌ સાશ્ચર્ય વિચારવા લાગ્યા કે મહાદેવ અને પાર્વતી જેવા આ નવદ‘પતી કેવાં શૈલી રહ્યાં છે.
આખાય દરબાર લગ્નત્સવમાં ફેરવાઇ ગયા. શ્રીપાળ અને ગુણસુંદરીનાં લગ્ન થયાં. અને દૈવી સુખને માણી રહ્યાં છે.
પૂર્વના અશુભના યુગ પૂરા થયા અને ચારે દિશાએથી પુણ્ય જાગ્યા હતા. શ્રીપાળરાજા તે મળેલા સુખથી સંતુષ્ટ હુતા, પશુ પુણ્યને આવા ધર્માંત્મા કયાંથી મળે ?
શ્રીપાળ અને ત્રૈલાકથસુંદરી
એક દિવસ શ્રીપાળ રાજા રાજદરબારમાં બેઠા હતા. ત્યાં એક પરદેશી પુરુષે પ્રવેશ કર્યાં. શ્રીપાળને જોઈ તે આશ્ચર્યમુગ્ધ થયા. પછી તેણે શ્રીપાળને એક આશ્ચર્યકારી ઘટના કહી સંભળાવી.
Page #64
--------------------------------------------------------------------------
________________
કંચનપુર નામનું સમૃદ્ધ નગર છે.
ત્યાં વજન યથાના રાજા છે. તેને કંચનમાલા નામે રૂપવતી રાણી છે. તેને ચાર દિશા જેવા ચાર પુત્ર છે.
અને ગેલેક્સસુંદરી નામે કુંવરી છે. ગેલેક્સસુંદરીને ઘડ્યા પછી બ્રહ્માએ અન્ય કોઈને રૂપ આપ્યું નહિ હોય તેવી એ રૂપવાન છે! સોળે કળામાં નિપુણ છે. શાસ્ત્રોમાં પારંગત છે. તેને યેગ્ય પતિ મેળવવા રાજાએ સ્વયંવર રચે છે. તેમાં દેશવિદેશના પરાક્રમી રાજાએ પધાર્યા છે.
શ્રીપાળ પરદેશના મુખે રાજકુંવરીનાં રૂપ અને ગુણનું વર્ણન સાંભળી હર્ષ પામ્યા અને તેને ભેટ આપી વિદાય કર્યા.
કુતૂહલપ્રિય, પુણ્યના પ્રેર્યા શ્રીપાળ દેવ આપેલા હારના પ્રતાપે એક વામનનું રૂપ કરી સીધા સ્વયંવર–મંડપમાં પહોંચ્યા અને એગ્ય સ્થાન ગ્રહણ કર્યું ત્યારે અન્ય રાજકુમારેએ સાશ્ચર્ય પૂછ્યું,
હે ભાઈ ! તું અહીં કેમ આવ્યે છું?”
શ્રીપાળ (વામન): જે કારણથી તમે આવ્યા છે તે કારણથી હું આવ્યો છું.
વામનના કથનથી એક અટ્ટહાસ્યનું મોજુ ફરી વળ્યું, ત્યાં તે રૂપવતી સુંદરી સ્વયંવરમંડપમાં હાજર થઈ. હજારે નેત્રે એક જ જગ્યાએ ચૂંટી ગયાં હોય તેમ આ વયંવરમા'ડપ જાણે કામદેવથી પ્રેરાઈને સ્તબ્ધ થઈ ગયા
Page #65
--------------------------------------------------------------------------
________________
હોય તેવું જણાતું હતું.
શૈલેયસુંદરીએ પરાક્રમી, ગુણવાન, કોઈ રૂપવાન એવા આકાંક્ષી રજાઓ, રાજકુંવરે અને મહારાજાઓની લાંબી શ્રેણી પ્રત્યે એક વેધક નજર નાંખી. અંતમાં બેઠેલા શ્રીપળકુમાર પ્રત્યે નજર સ્થિર થઈ.
શ્રીપાળનું નટખટપણું પણ કેવું? વામન અસલ રૂપમાં કુંવરીને દેખાતે હતો. તેથી કુંવરી મનથી તેને વરી ચૂકી. ત્યાં તે તેની પરીક્ષા કરવા વળી તે વામનરૂપ ધારણ કરતે, અત્યંત કુરૂપતાને પ્રગટ કરતે, વળી અસલ રૂપને ધારણ કરતો.
આથી રાજકુંવરી ક્ષણભર મૂંઝાઈ જતી. છતાં તેનું મન તે એ વામન પ્રત્યે આકર્ષિત થયેલું હતું. તેથી સાથેની દાસીએ અનેક રાજાઓનાં પરાક્રમ, રૂપ કે ગુણનાં વર્ણન કર્યા તે પણ કુંવરીનું મન માન્યું નહિ.
ત્યાં આકાશવાણીની જેમ અધિષ્ઠાયક દેવના શબ્દો શ્રવણ થયા કે “તારે માટે વામન જ ગ્ય છે.”
કુંવરીએ તરત જ વામનના કંઠમાં વરમાળા પહેરાવી. આખીયે સભામાં સન્નાટો વ્યાપી ગયે. ઉપસ્થિત રાજાઓને પિતાનું અપમાન થતું લાગ્યું. એક વામન આવું રૂપાળું રાજરત્ન મેળવે !
પુનઃ કાગને કેટે સેનાની કડી?
ઉકરડે મહામૂલ્યવાન રત્ન ? સૌને લાગ્યું કે કુંવરીમાં રૂપ છે પણ બુદ્ધિને તે. છાંટો પણ નથી.
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૩
વળી તેઓ વામનને પડકારવા લાગ્યા કે, અમે હુ'સ -જેવા રૂપાળા રહી ગયા, અને તું કાગડા જેવે! વામન રાજકન્યાને લઇ જાય! ઊભેા રહે, અમે અમારા પરાક્રમથી કન્યા મેળવશું, એમ કહી તે કન્યાભિલાષી રાજાઓએ પેાત પોતાની તલવાર મ્યાનમાંથી બહાર ખેંચી.
ત્યાં તેા વામનરૂપમાં પરાક્રમી એવા શ્રીપાળે જવાબ આપ્યા કે, હું દુર્ભાગી ! તમે તમારી જાતને સ્વરૂપવાન માના છે, પણ આ રાજકન્યાએ તમને પસંદ કર્યો નહિ, તેમાં તમારે જ દેષ છે છતાં તમારે પરાક્રમ બતાવવું હાય તા આવી જાવ.'
આમ કહી શ્રીપાળે પેાતાની તલવાર ખેંચી એવી ઘુમાવી કે સૌની તલવાર મ્યાન ભેગી થઈ ગઈ. તે સમયે શ્રીપાળે પેાતાનું અસલ રૂપ પ્રગટ કર્યું, તે જોઈને સૌ પુલકિત થઈ ઊઠયા, અને શ્રીપાળને સહ વધાવી લીધા.
કન્યાના પિતા વગેરે સૌ પ્રસન્ન થયા. અને આખી સભા લગ્નોત્સવમાં ફેરવાઈ ગઈ. શ્રીપાળરાજા અને રાજકન્યાનાં લગ્ન નિર્વિઘ્ન ઊજવાઈ ગયાં.
વળી શ્રી અને સ્રીને ચેગ થતાં શ્રીપાળ રાજા શૈલેાકયસુંદરી સાથે સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા, શ્રીપાળ અને શ‘ગારસુંદરી
વજ્રસેન રાજા સાથે શ્રીપાળકુવર રાજસભામાં શેલી રહ્યા હતા. તેવામાં પરદેશથી આવેલા તે એક સદેશે
કહ્યો.
દલપત નામના નગરમાં ધરાપાળ રાજા છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૪
તેને શીલવાન એવી ગુણમાળા પટ્ટરાણી તેની કુક્ષિએ જન્મેલી શ્’ગારસુ દરી છે તે કવિત્વમાં નિપુણ છે, અને ગુણસંપન્ન છે. તેની કવિતા જે પૂર્ણ કરશે તેને તે વરશે. આજ દિન સુધી એ કવિતા પંડિત પણ પૂર્ણ કર શકયા નથી આ હકીકત સાંભળી, શ્રીપાળને મન તે એ બાબત બાલરમત જેવી હતી, તે તે દૈવી હારના પ્રભાવે ત્યાં. પહોંચી ગયા. કવિત્વને પૂર્ણ કરી પુણ્યયેાગે રાજકન્યા સહિત અઢળક સંપત્તિને પામ્યા,
શ્રીપાળ અને જયસુંદરી
શ્રીપાળના પ્રારબ્ધમાં આઠ સંપદાની જેમ આઠ કન્યાઓની પ્રાપ્તિ નિર્માણુ થઈ હતી કે શું?
શૃંગારસુદરી સાથે રાત્રિદિવસના ભેદ વગર સુખને માણુતા શ્રીપાળ પાસે વળી એક કુતૂહલની વાત આવી. કેલ્લાગપુર નગરના પુરંદર નામે રાજા તેને વિજયા નામની રાણીથી જયસુ દરી પુત્રી છે. રાધાવેધ કરનાર પરાક્રમી તરને તે વરશે એવું નિમિત્તિકે ભાવિ ભાખ્યું છે,
શ્રીપાળને તેની નિયતિ ત્યાં લઈ ગઈ. અને રમત માત્રની જેમ શ્રીપાળે રાધાવેધ કરી જયસુ દરીને પ્રાપ્ત કરી. શ્રીપાળ અને તિલકસુ દરી
શ્રીપાળકુંવરને હવે મહારાજામાં ગણુના થાય તેટલી અઢળક સ ́પત્તિ પ્રાપ્ત થઈ હતી. મયણાસુંદરી સહિત. આઠ રાંણીએના સ્વામી હતા. અઢળક સપત્તિ અને સાત
Page #68
--------------------------------------------------------------------------
________________
પપ
રાણીઓ સહિત દેશવિદેશની યાત્રા કરી શ્રીપાળરાજા થાણું બંદરે પધાર્યા હતા.
ધર્માત્માઓને પુણ્ય શોધતું આવે છે. તેઓ ધન પાછળ દેડતાં નથી પણ લક્ષમી તેમને વરમાળા પહેરાવે છે. થાણ બંદરે આવું જ કંઈ બની ગયું. થાણાનગરીને રાજા નિસંતાન હતા. વળી સગાઈએ શ્રીપળના મામા થતા હતા. પિતાના ભાણેજનું ઐશ્વર્ય જોઈ મામા અત્યંત પ્રસન્ન થયા અને તે દિવસે શ્રીપળકુવરને રાજગાદી પર આરૂઢ કરવા રાજ્યાભિષેક કર્યો. થોડા દિવસો સુધી કાઈને માતા તથા મયણાસુંદરીને મળવા ત્યાંથી શ્રીપાળરાજાએ પ્રયાણ કર્યું.
માર્ગમાં આવતા નગરના રાજાઓ વડે માન-સત્કારને સ્વીકારતા શ્રીપાળરાજાએ સોપારક નામના નગર સમીપે નિવાસ કર્યો. પરંતુ આ નગર ઉજજડ સમશાન જેવું કેમ ભાસે છે? આ નગરને રાજા વિવેકપૂર્વક આદર કરવા નથી આવતે કે શક્તિ છતાં યુદ્ધ કરવા કેમ આવતું નથી?
આ સોપારક નગરને મહાસેન રાજા છે. તેને તારામતી રાણીથી તિલમંજરી પુત્રી છે. ગુણવાન અને રૂપવાન તે કુંવરીને સાપે દંશી છે. આથી મહસેન રાજાને માથે આફત આવી છે.
પરોપકાર વૃત્તિવાળા શ્રીપાળરાજા અનુકંપાના ભાવથી તરત જ સર્ષથી દંશ પામેલી કુંવરી પાસે જવા તૈયાર થયા.
તે વખતે કુંવરીને મરેલી જાણી સમશાનયાત્રા નીકળતી હતી. શ્રીપાળરાજા ત્યાં પહોંચ્યા અને કહ્યું કે તમે ડીવાર શેકાઈ જાવ. વળી કુંવરીને જોઈને કહ્યું
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૬
સજી
કે કુવરી મૂછિત છે, મૃત્યુ પામી નથી. હું તેનું વિષ ઉતારી સજીવન કરું છું.
- ત્યાર પછી કુંવરે પિતાની પાસેના પ્રભાવિત હારના હવણ જળને કુવરીને અભિષેક કર્યો. કુંવરી નિદ્રામાંથી જાગ્રત થતી હોય તેમ બેઠી થઈ. આથી રાજા સહિત સર્વ આનંદ પામ્યા.
. હર્ષિત થયેલા રાજાએ કુંવરીને કહ્યું કે તેને જીવનદાન આપનાર આ મહાભાગ્યશાળી છે.
કુંવરીએ ઊભા થઈને વિવેકપૂર્વક કુંવરને નમસ્કાર કર્યા અને દૃષ્ટિ મળતા સ્નેહની ગાંઠ બંધાઈ ગઈ. મહેન રાજાએ કુંવરીના મનેભાવ જાણી શ્રીપળકુવરને કહ્યું કે
“હે સજજન! જેને તમે પ્રાણુનું દાન કર્યું છે તેનું પાણિગ્રહણ કરીને અમારા પર થયેલા ઉપકારનું ત્રણ ચૂકવવા દો.
આ જીવોનું પુણ્ય તે જુઓ! શોભાયાત્રા સ્મશાનયાત્રામાં ફેરવાય તેવું હીનપુણ્યથી બને છે. પણ અહીં તે સ્મશાનયાત્રા શેભાયાત્રામાં ફેરવાઈ ગઈ. રાજકુંવરીનાં લગ્ન શ્રીપાળકુંવર સાથે ઊજવાઈ ગયાં. શ્રીપાલને મયણની યાદ્
મયણાસુંદરીની વિદાય લઈને નીકળેલા શ્રીફળ મયણાને વિસરતા નથી. તેની પાસેથી મળેલી. નવપદની ભક્તિનું ધ્યાન એક દિવસ માટે ચૂકતા નથી. વળી પતિ સાથે પનીઓ પણ નવપદની આરાધના કરી રહી છે. ખામ શ્રીપાળ, મદનના, માતમજૂષા તથા મહામજી
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૭
વગેરે રાણીએ સુખમાં સમય પસાર કરી રહ્યાં છે. શ્રીપાળને વિશેષ પ્રકારે જવાબદારીનું કાર્ય ન હોવાથી સમયના સદ્ઉપયેગ કરી નવપદના ધ્યાનમાં નિરતર રક્ત રહે છે. અર્થાત્ દૈવી સુખ હાવા છતાં જીવનમાં સયમનું સ્થાન અગ્રિમતા પામ્યું છે.
પુણ્યાત્મા શ્રીપાળને ધનરૂપી લક્ષ્મી, રાજલક્ષ્મી અને કન્યારૂપી લક્ષ્મીએ, જાણે ધરા પર ખીજા કોઈ પુરુષ હાય નહિં તેમ તેમને શેધીને તેમના ચરણામાં સમર્પિત થઈ જાય છે. કાઇવાર પરાક્રમથી, વિશિષ્ટ કળાથી, કોઇવાર દૈવી સહાયથી એમ શ્રીપાળકુમાર અનુક્રમે આઠ પત્નીઓના સ્વામી થયા :
૧ ખખ્ખરકેટના મહાકાળ રાજાની કુંવરી મદનસેના ૨ રત્નસંચયા નગરીના નકકેતુ રાજાની કુંવરી મદનમંજૂષા
૩ ઢાંકણુદેશના રાજા વસુની કુંવરી મનમંજરી ૪ કુંડલપુર નગરના મકરકેતુ રાજાની કુ’વરી ગુણસુંદરી ૫ કંચનપુરના વજ્રસેન રાજાની કુંવરી શૈલેાકયસુંદરી ૬ દલપત નામના નગરની ધરાપાળની કુંવરી શુ'ઞારસુ દરી
૭ કોલ્લાગપુરના પુરંદર રાજાની કુંવરા જયસુંદરી ૮ સેાપારકના મહુસેનરાજાની કુંવરી તિલકસુ દરી, મયણાસુ દરી જેવી ગુણિયલ, રૂપવાન, સ્નેહાળ અને ચારિત્રશીલ પત્ની મળવા છતાં શ્રીપાળે આઠ કન્યાએ કેમ ગ્રહણ કરી ?
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૮
તે કાળે ક્ષત્રિય રાજાઓને અનેક રાણીએ રાખવાની. પ્રણાલી હતી. રાજકન્યાઓને સ્વીકાર કરી અન્ય રાજાએ સાથેના સંબંધમાં સંઘર્ષ ટાળી શકાય તેવું પણ બનતું. વળી રાજા જ્યાં જ્યાં પરાક્રમી તરીકે પ્રસિદ્ધ થાય ત્યાં ત્યાં તેમને ભેટમાં કન્યાઓ આપવાની પ્રથા હતી. તે સમયની ક્ષત્રિયાણ – સ્ત્રીઓ આ પ્રથાને આવકારી લેતી, અને પતે રાજરાણું હોવાને સંતોષ માની લેતી હશે.
શાસ્ત્રકારની પદ્ધતિથી વિચારીએ તે પુયબળ હતું. શ્રીપાળની કથામાં નવપદનું માહાસ્ય કેવળ ભૌતિક સંપત્તિ. વિષે નથી પણ અંતમાં મુક્તિનું પ્રદાન થયું તે માહાતમ્ય છે. છતાં ધર્મ એવું સાધન છે કે તેના વડે પ્રાણી સર્વ પ્રકારનાં સુખ પામે છે. શાસ્ત્રકારે શ્રીપાળરાજાની આઠ રાણીઓને યુક્તિથી ઉપમા આપી છે; - આઠ દષ્ટિયુક્ત સમકિતવંત આત્મા નવમી સર્વવિરતિને ઈ છે. અષ્ટ પ્રવચનમાતા સહિત ગુણવંત મુનિ નવમી સમતાને ઈચછે. આઠ પ્રકારની બુદ્ધિ સહિત પણ મુનિ નવમી કેવળજ્ઞાનની સિદ્ધિ છે.
શ્રીપાળ આઠ રાણીઓની સાથે સુખને ભેગવતા હતા, છતાં ઉજજેન તરફના પ્રયાણની તૈયારી કરી. આઠ રાજ્યનાં કન્યારત્ન અઢળક કન્યાદાન, અન્ય ભેંટણ, વહાણની સંપત્તિ, શ્વસુરપક્ષથી મળેલા હાથી, ઘેડા, રૌન્ય અને વસ્ત્ર-પત્રના ભંડારે સહિત જ્યારે શ્રીપાળની સવારી નીકળી ત્યારે એક ચક્રવતીની રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિ.
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૯
જેવું દશ્ય સૌની નજર સમક્ષ ખડું થયું.
માર્ગમાં આવતા નવા નવા નગરેના અને રાજના રાજાઓએ કંઈક કંઈક સગપણ વિચારી, અથવા શ્રીપાળના વૈભવ તથા પરાક્રમથી પ્રભાવિત થઈ, નજરાણાં વડે શ્રીપાળની સમૃદ્ધિમાં વિશેષ વૃદ્ધિ કરી.
અનુક્રમે દેશવિદેશના બહુમાનને ગ્રહણ કરતા શ્રીપાળ વિશાળ સૈન્ય સાથે માલવદેશની નજીક પહોંચી ગયા. ઉજજૈન નગરીમાં વસતા માલવદેશના રાજાને અનુચરેએ સમાચાર આપ્યા કે કોઈ દુશ્મન મહાસૈન્ય સાથે ચઢી આવે લાગે છે. આથી રાજાએ પિતાના ગઢને સજજ કરવાનો આદેશ આપ્યું.
ઉજજૈન નગરીની બહાર શ્રીપાળરાજાના સૈન્યને પડાવ થશે. ત્યાર પછી માતા તથા પત્નીને મળવા ઉત્સુક બનેલા શ્રીપાળ, દેવ તરફથી મળેલા હારના પ્રભાવે ગુપ્ત રીને માતાના મહેલે આવી પહોંચ્યા.
તે સમયે કલમપ્રભા પુત્રવધૂ મયણાને ઉદ્દેશીને કહે છે, “આપણી નગરીને કેઈ દુમન રાજાએ ઘેરી લીધી છે. શ્રીપાળ અહીં છે નહિ, તેથી હવે આપણું શું થશે ?”
મયણા કહે છે, “માતા! જરા પણ ચિંતા ન કરો. પણ નવપદનું ધ્યાન કરે, જેનાથી સર્વ દુઃખ નાશ પામે છે. વળી આજે પરમાત્માની પૂજા કરતા મારા ભાવ અત્યંત ઉલસિત થયા હતા. તેથી મને લાગે છે તે શ્રેષ્ઠ ક્રિયાનું લક્ષણ છે. તેથી કોઈ ભય રાખવાનું પ્રયોજન નથી. આવી. અમૃતમય ક્રિયા એ મોક્ષમાર્ગને અનુરૂપ છે, તેથી સંસારનાં
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૦
દુઃખા નાશ પામે છે, તે સમયે અનુભવેલે આનંદ હજી પણ મારા હૃદયમાં સમાતા નથી.
વળી મને સતત્ ભાસ થાય છે કે આજે મને પતિમેળાપ જરૂર થશે.'
પેાતાની પ્રાણપ્રિયાની વાત સત્ય કરવા શ્રીપાળ તરત જ પ્રગટ થયા અને માતાના ચરણેામાં નમી પડચા. મયણાએ અપૂર્વ સ્નેહે પતિને પ્રણામ કર્યાં. ત્રણે માનવી સુખસાગરમાં ગરકાવ થઈ ગયા.
ત્યાર પછી શ્રીપાળ માતા અને પત્નીને લઈને પેાતાની છાવણીમાં ગયા. માતા અને મયણાને યાગ્ય સ્થાને બેસાડયા, પછી અનુક્રમે આઠે રાણીઓએ આવીને માતાને અને મયણાને વંદન, વિનય કર્યાં. આ મિલન એટલે જાણે સુખના સાગર ઊછળતા હોય તેવુ મનેાહર દશ્ય લાગતું હતું.
પ્રજાપાલ રાજાને સમાચાર મળતાં તે પણ રાણી અને પરિવાર સહિત શ્રીપાળ પાસે આવ્યા, તેણે પોતાના નૃત્ય બદલ ક્ષમા માંગી. વળી શ્રીપાળનું અશ્વર્ય, સૈન્ય અને સમૃદ્ધિ જોઈ આશ્ચર્ય અનુભવી રહ્યો. અને થોપાળ પ્રત્યે અહેાભાવ લાવી તેના ગુણગાન કરવા લાગ્યા.
ત્યારે જેણે ધર્મના પ્રભાવને જ મુખ્યતા આપી છે, તેત્રા શ્રીપાળે જણાવ્યું કે આ સર્વે પ્રભાવ નવપદજીની આરાધનાના છે.
સુરસુંદરીનું શું થયું હતું ?
આમ વાતાવરણ આનંદપ્રમોદથી ભરપૂર થયું હતું. ર્યા અનુચર ખબર આપ્યા કે નટનું ટાળુ ખેલ ભજવવા
Page #74
--------------------------------------------------------------------------
________________
નટના ના અતુ.
શી પણ એ
માટે આદેશ માંગે છે. શ્રીપાળની આજ્ઞા થતાં નટનું ટેળું હાજર થયું.
પણ આ શું?
મુખ્ય નટી ખેલ કરવાની ના પાડે છે. ઘણે આગ્રહ કરવા છતાં ખેલ કરવા ઊઠતી નથી. નટના નાયકે ઘણા ધમકી આપવાથી તે ઊઠી પણ ખેલ કરવાને બદલે સીધી! દેડીને બેઠેલા રાજપરિવાર પાસે પહોંચી માતાને ગળે. વળગી પડી અને “હે માતા “હે પિતા' કહીને રડવા લાગી.
ડીવાર પછી શાંત થઈને તેણે જણાવ્યું કે હે. પિતા! તમે મને જે સંપત્તિ આપી હતી તે સર્વ લૂંટાઈ ગઈ. પતિ પિતાને પ્રાણ બચાવવા ભાગી છૂટયો.
ધાડપાડુના સુભટે નેપાળદેશમાં મને સાર્થવાહને વેચી.. સાર્થવાહ બમ્બરકોટ નગરમાં વેશ્યાને વેચી. વેશ્યાએ મને નૃત્યકળા શીખવી નટી બનાવી.
મહાકાળ રાજાની નાટક મંડળીએ મને ખરીદી. બમ્બરકોટના મહાકાળ રાજએ પિતાની પુત્રી મદનસેનાને શ્રીપાળને પરણાવી તેમાં આ નાટકમંડળી ભેટમાં આપી. હું રાજા-રાણી પાસે જે નૃત્ય કરીને દિવસે દુઃખમાં વ્યતીત કરતી હતી. પરંતુ આજે તમને સૌને જોઈને મારું દુઃખ હું ખમી ન શકી. હું સુરસુંદરી છું. '
હા દેવ ! મયણાના દુઃખને જોઈને મારે ગર્વ
સમાતું ન હતું. આજે એ જ મયણાની દાસીરૂપે મારે નાચવાનું છે. ખરેખર તેણે કહ્યું હતું તેમ ધર્મથી જ સુખની
Page #75
--------------------------------------------------------------------------
________________
કર
પ્રાપ્તિ થાય છે.
સુરસુંદરીની કથા અને વ્યથા સાંભળી માતાપિતા સહિત સર્વે ઉપસ્થિત પરિવારના લેાકેાનાં નયને પણ સજળ બની ગયાં.
સુરસુંદરીએ કહ્યું કે, ‘ખરેખર મયણાએ જૈનધર્મ અને તેમાં નવપદના પ્રભાવના સૌને પરિચય કરાવી મહાન ઉપકાર કર્યો છે.
હે માતા! ખરેખર અમે એક જ કુળમાં જન્મ્યા હોવા છતાં મયા અમૃતવેલ જેવી નીવડી ત્યારે હું વિષની વેલડી જેવી પ્રસિદ્ધ થઈ.
અંતે ધર્મપ્રિય તથા ઉદારચિત્ત શ્રીપાળે સૌને આશ્વાસન આપી, ધર્માંરાધનાના મર્મને બેધ આપ્યું, આશ્ચર્ય તા એ થયું કે શ્રીપાળના વિશાળ સૈન્યમાં અરિદમન પણ સેવા બજાવતા હતા, તેને ખેલાવીને શ્રીપાળે સુરસુંદરી તથા ઘણી સાધનસમૃદ્ધિ સાથે તેને પાતાના દેશ તરફે વિદાય કર્યાં.
પુણ્યપ્રતાપે ભાગ્યચક્ર ફરે છે ત્યારે આશ્ચર્યંજનક ઘટનાએ ઘટે છે. સંખ્યાબંધ સગાંસ્નેહીએ, રાજાએ અને કેટલાયે સજ્જને શ્રીપાળને અત્યંત માન આપવા લાગ્યા. એકવાર શ્રીપાળના પિતાના મત્રી મતિસાગરે ધ્યાન દેર્યુ કે હવે તમારા પેાતાના દેશને પચાવી પાડેલા શત્રુને દૂર કરી તમારું સ્થાન શેલાવે.
..
વડીલ માઁત્રીની સલાહ મુજબ ધર્માત્મા શ્રીપાળે યુદ્ધ નિવારવા પ્રથમ દૂતને માનવાચક ભાવથી સંદેશા
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૩
સહિત ચપાપુરી પ્રત્યે વિદાય કર્યાં, પરંતુ રાજ્યાકાંક્ષી અજીતસેન રાજાએ સંદેશાવાહકના તિરસ્કાર કરી યુદ્ધના પડકાર કર્યાં, અને અંતે સત્તાાલપ અજીતસેન રાજા હાર્યાં. સૈનિકો દ્વારા તેને બાંધીને શ્રીપાળરાજા પાસે હાજર કરવામાં આવ્યા. શ્રીપાળે ઊભા થઈને તેમના બંધન છેડાવી સત્કાર કર્યાં. અને ઉદાર દિલથી કહ્યું, રાજ્ય તે તમારું જ છે, તમે સુખેથી રાજ્યનું પાલન કરી, તમે મારા વડીલ છે.’
સુસંસ્કારની પ્રબળતા જીવમાં કેવી સ્વાભાવિક સજ્જનતા પ્રગટાવે છે? અપકારી ઉપર પણ ઉપકાર એ માનવજીવનનું બહુમૂલ્ય કર્તવ્ય છે. કાઈ વિરલાને જ તે પ્રાપ્ત થાય છે. શ્રીપાળના આવા ઉદાત્ત વર્તનથી અજીતસેન રાજાનું હૃદય પરિવર્તન પામ્યું. તેને પેાતાના પાપના અત્યંત પસ્તાવા થયે. અને અંતરમાં સંસાર પ્રત્યે વિરાગ ઉત્પન્ન થતાં, તેમણે રાજયના સુખના ત્યાગ કરી પ્રત્રજ્યા ગ્રહણ કરી. શુદ્ધ તપાદિના પ્રભાવે તેમને અવધિજ્ઞાન પ્રગટ થયું. પુણ્ય–પાપનેા આ કેવા ચઢાવે
આક્રોશવશ પિતાએ પુત્રી પ્રત્યે આચરેલું અપકૃત્ય સુરસુ'દરીએ અહંકારવશ મયણાને કરેલા ઉપહાસ વિધવા માતા અને સંતાનના થયેલા મેડાલ સભ્યષ્ટિ મયણાની સર્વે સ્થિતિમાં સમતા પ્રાળુને હરી લેવાનું પત્રળનું નિષ્ફળ કાવત્રું અપકારી પર શ્રીપાળના ઉપકાર ! છતાં નરહંકારી પણું
Page #77
--------------------------------------------------------------------------
________________
ધર્મને પ્રભાવ જાણનાર દંપતીને ધન્ય હો.
પાપાચરણ કરવાવાળા જીથી દૂર રહેતું પુણ્ય જાણે કેરું સ્થાન શોધીને કરવા માંગતું હોય તેમ તેણે શ્રીપાળ રાજાને શોધી લીધા હતા.
ચંપાનગરીનું રાજ્ય મેળવી શ્રીપાળે પ્રજાના સુખમાં વૃદ્ધિ કરી. પ્રજા વત્સલરાજા પર અનુરાગી હતી. સૌ પ્રત્યે સમાનભાવ રાખી શ્રીપાળરાજા નવ રાણીઓ સાથે દૈવી સુખ ભોગવતા હતા. અને સવિશેષ તે નવપદની આરાધનામાં સપરિવાર તેઓ અનુરક્ત હતા. તેમના જીવનની પળેપળ અને રામરામ નવપદજીના પ્રભાવથી પ્રફુલ્લિત હતા.
પ્રસંગચિત શ્રીપાળરાજા એકવાર અજીતમુનિ મહારાજ પાસે સપરિવાર શ્રવણ માટે ગયા. વિનય વડે વંદન કરી તેમની પાસેથી દેશના સાંભળી તેઓ અત્યંત પ્રસન્ન થયા.
શ્રીપાળના મનમાં એક ઘેરું મંથન ચાલતું હતું કે સંસારમાં કેવી કેવી વિચિત્રતા પ્રવર્તે છે? આથી તેમણે આદર સહિત મુનિ મહારાજને પૂછયું: હે ભગવંત!
મારા કયા કમ વડે મને બાળપણમાં દુઃખ પડયું ! કયા કર્મને નિમિત્તે મને કુષ્ઠરોગ થયે? કયા શુભ યેગે મયણાસુંદરી જેવી ગુણવાન પત્ની મળી?. જેના કારણે ધર્મ પામ્યું. વળી અનેક રિદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થઈ? ત્યાં વળી મારા ઉપર નીચ ગોત્રને આરોપ થ... અંતે ધર્મનું શુદ્ધ અવલબન પ્રાપ્ત થયું.
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રીપાળે પૂછયું કે શુભાશુભ કર્મોને આવે ચેગ કેમ બન્યા?
અજિતસેન રાજર્ષિને આત્મવિશુદ્ધિને કારણે અવધિ. દર્શન પ્રાપ્ત થયું હતું. જ્ઞાની મુનિએ પિતાના જ્ઞાન વડે શ્રીપાળના પૂર્વભવ ભણયા, અને શ્રીપાળને જણવ્યા.
હે શ્રીપાળ! કર્મની ગતિ અત્યંત વિચિત્ર છે. જીવ અજ્ઞાનવશ કર્મ બાંધે છે તે ભગવ્યા વગર છૂટકે નથી. તએ અજ્ઞાનવશ જે કર્મ બાંધ્યું તેને આ ભવમાં વિપાક થ.
ભરતક્ષેત્રનું હિરણ્યપુર નામનું નગર. શ્રીકાંત નામે રાજા, તેને શ્રીમતી રાણી. રાજાને શિકારનું દુખ વ્યસન હતું. ગુણવાન પત્ની તેમને વારંવાર રેકતી. આથી રાજા, રાણી પર ગુસ્સે થઈ એકવાર સાતસો હિંસક પુરુષને લઈ શિકાર રમવા વનમાં જઈ પહોંચે.
ત્યાં શું બન્યું? ત્યાં તેણે કેઢ રોગથી પીડિત મુનિને વૃક્ષ નીચે ધ્યાનમગ્ન જોયા. અજ્ઞાનથી ઘેરાયેલે, સત્તાના મદવાળે તે બેલી ઊઠડ્યો કે આ કેઢિયાને મારીને ભગાડે. રાજાની આજ્ઞા થતાં સાતસો જણ મુનિ પર તૂટી પડ્યા. આ જોઈ રાજા ખુશ થયે. મુનિએ તે પ્રથમતા ધારણ કરી હતી. મનમા શિકાર કરી સૌ સ્વસ્થાને પહોંચ્યાં.
આટલું પાપ ઓછું પડતું હોય તેમ એકવાર રાજા
૫
Page #79
--------------------------------------------------------------------------
________________
શિકારે નીકળે, ત્યાં શિકાર પ્રાપ્ત ન થયે. પાછા વળતાં એક મુનિને જોયા અને નિષ્ફળતાના આવેગથી તેણે મુનિને પકડીને નદીના પાણીમાં ઝબોળી દીધા. પણ આ વખતે મનમાં કંઈક રંજ થયે. આથી મહેલમાં પહોંચી રાણીને આ વાત કરી, રાજાના મુખે આવું દુષ્કૃત્ય સાંભળી રાણી કંપી ઊઠી, અને આનું ફળ કેવું ભયંકર હોય છે તે સમજાવ્યું.
આથી રાજાએ ભયગ્રસ્ત થઈ પુનઃ તેમ ન કરવા વચન આપ્યું. માનવમનની વિચિત્રતા એ છે કે જીવે હસતા બાંધેલું કર્મ રડતા પણ છૂટતું નથી અને જોગવવું પડે છે. કેહવાર તે વર્ણનાતીત હોય છે. અજ્ઞાનદશામાં જીવને તે
ખ્યાલ પણ નથી હોતું કે તેના દરેક ક્ષણના શુભાશુભ પરિણામની કર્મસત્તા નેંધ લે છે. પ્રગટ-અપ્રગટ સર્વ ક્રિયાઓ પર સર્વત્ર અને સર્વથા પિતાના પ્રભાવ દર્શાવનારી કર્મસત્તા, જીવને એગ્ય સમયે જેમ ચોર ઊંઘતા. ઝડપાઈ જાય તેમ કર્મ, તેને તેનું ફળ આપી દે છે. જે શુભકર્મને વેગ હોય તે પરિણામ સુખ-સમૃદ્ધિ રૂપે પ્રગટ થાય છે. અને જે અશુભ કર્મવેગ હેય તે દુઃખની પરંપરા સર્જાય છે. માટે માનવે અજ્ઞાન નિવારવું. તેનાથી દુઃખમાંથી મુક્તિ મળે છે. પાપથી મુક્ત થયા વગર દુઃખથી મુક્ત થવાતું નથી.
રાણીએ પુનઃ પુનઃ શિકારથી થતી હિંસાનાં દુઃખદ પરિણામો સમજાવ્યાં. ક્ષત્રિય ધર્મ સમજાવ્યું કે રાજાનું કામ પ્રજાનું રક્ષણ કરવાનું છે. નિઃશસ્ત્રી પર શસ્ત્ર છેડવાં
Page #80
--------------------------------------------------------------------------
________________
જાન્યુ.
તે અધર્મ છે. તમે તે પ્રજાના રક્ષણને બદલે તેનું ભક્ષણ કરે છે અને નિર્દોષ મૂક પશુઓને હણે છે. આનું પરિણામ અધોગતિ છે. તમે તે મુનિને કદર્શન કરીને નરકના દુઃખને આમંત્રણ આપ્યું છે.
રાણીનાં ઉપરોક્ત વચને સાંભળીને રાજા ભયભીત થયે. તેણે તરત જ સુભટ સહિત નદી નજીક રહેલા
મુનિને સન્માન સહિત મહેલમાં તેડાવ્યા. વિનયપૂર્વક - વંદના કરીને અત્યંત ક્ષમાયાચના માગી. પશ્ચાત્તાપ કરવા લાગે અને મુનિ પાસે પ્રાયશ્ચિત્ત માંગ્યું.
મુનિજને તે નિસ્પૃહ હેવ છે. માધ્યસ્થ બુદ્ધિવાળા હોય છે. મુનિ મહારાજે કહ્યું કે રાજાએ ઘેર પાપ કર્યા છે. છતાં પણ જે તે શ્રદ્ધાયુક્ત થઈ નવપદજીની આરાધના કરશે તે પાપને નાશ થવા સંભવ છે.
- ત્યાર પછી રાજાએ રાણીની સહાયથી મુનિમહારાજે - બતાવેલી વિધિ પ્રમાણે નવપદની આરાધના કરી. તેમાં રાણીની આઠ સખીઓએ અને પેલા સાતસો ઉલ્લક પુરુએ પણ રાજાના તપમાં સહયોગ આપી અનુમોદના કરી.
રાજ્યાકાંક્ષી તે એકવાર નજીકના સિંહરાજાનું રાજ્ય પડાવી લીધું હતું. આથી ઘેરભાવવાળા તેણે સૈન્યબળ એક કરી યુદ્ધમાં પેલા સાતસો પુરૂષોને હણી નાખ્યા. નવપદની • આરાધનાને બળે તેઓ માનવજન્મ પામ્યા પણ મુનિને કરેલા ઉપસર્ગના ફળરૂપે તે સર્વે કુષ્ઠરેગી થયા અને મહાદુઃખ પામ્યા.
શ્રીકાંતરાજાએ શેષ જીવન નવપદની આરાધનામાં વ્ય
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૮
તીત કર્યું હતું. પ્રાયશ્ચિત્તથી પાપને હળવું કર્યું હતું. ને ત્યાંથી મૃત્યુ પામીને તું શ્રીપાળ થયે અને શ્રીમતીરાણ મયણાસુંદરી થઈ. મુનિને ઉપસર્ગ કરવાથી તમારે આ જન્મમાં દુઃખો ભેગવવાં પડ્યાં. અને શ્રીમતીરાણઃ ધર્મયુક્ત હતી તેથી જન્મથી જ ધર્મ પાળતી હતી. પરંતુ તમારા પ્રત્યે અનુરાગથી તેનાં લગ્ન તમારી સાથે થયાં.
સિંહરાજા તે હું અજિતસેન રાજા થયે. તે સમયે તે મારું રાજ્ય પડાવી લીધું હતું. તેના પરિણામે મેં બાળપણમાં તારું રાજય લઈ લીધું.
હે શ્રીપાળ! આ પ્રકારે જીવે કરેલા શુભાશુભ કર્મને પરિણામે જીવને દુઃખે ભેગવવાં પડે છે.
મુનિના મુખેથી પિતાના પૂર્વભવને જાણીને શ્રીપાળને. વૈરાગ્ય ઉત્પન્ન થયું. તેમણે કહ્યું –
હે મુનિ મહાત્મા! મારામાં હમણાં ચારિત્ર લેવાનું, બળ નથી પણ મને યોગ્ય ધર્મ-આરાધના બતાવે, જેથી અપભવી થાઉં. મુનિએ પણ પિતાના જ્ઞાનબળથી જાણ્યું. અને સૂચવ્યું કે હે શ્રીપાળ! તારું ભેગકર્મ બાકી હેવાથી, તે આ ભવમાં ચારિત્રની પ્રાપ્તિ કરી શકીશ નહિ, પણ નવપદજીની ઉત્તમ પ્રકારે આરાધના કરવાથી અનુક્રમે નવમ. ભવે મોક્ષ પામીશ.
આ કથનનું શ્રવણ કરીને શ્રીપાળ અત્યંત પ્રસન્ન. થયા. પરિભ્રમણથી મુક્તિ મળશે તેવું નિશ્ચિત વચન સુથીને. તેઓ વિશેષ ધર્મપરાયણ થયા.
Page #82
--------------------------------------------------------------------------
________________
નવપદની ઉત્તમ પ્રકારે આરાધના કરવા ઉપરાંત તેઓ બારવ્રતનું પાલન કરતા હતા. સંસાર સુખની અભિલાવાને ત્યાગ કર્યો હતે. તેમની સાથે પુણ્યવંતી રાણીઓ પણ ધર્મઆરાધના કરતી હતી.
વળી પુત્રાદિને રાજ્યકારભાર સંપી જીવનના શેષ કાળે શ્રીપાળ અને નવ રાણીઓ પૂર્ણપણે નવપદજીની વિશેષ આરાધનમાં ગાળતાં, અનુકમે આયુષ્ય પૂર્ણ થતાં
સ્વર્ગલેક પામ્યાં. દેશનાને અંતે ગૌતમસ્વામી કહેવા • લાગ્યા કે હે શ્રેણિક રાજ! નવપદજીના એક એક પદની - ભક્તિ કરવાથી જીવ સર્વથા દુઃખમુક્ત થાય છે. તે
એક સમ્યક્ત્વ પદની ભક્તિના પ્રભાવે તીર્થંકર પદ પામીને સિદ્ધ થઈશ.
ગૌતમસ્વામીના શ્રીમુખે આવી ધર્મવાર્તાનું શ્રવણ કરી શ્રેણિક હર્ષ પામ્યા, અને સ્વથાને વિદાય થયા.
નવપદજીની આરાધનાની પાત્રતા નવપદજીના આરાધકે આરાધનાની યથાર્થ ફલશ્રુતિ માટે પ્રથમ તે શ્રીપાળ-મયણાની જેમ અંતરંગના વિષય અને કષાયને ત્યાગ કરે અને દરેક પરિસ્થિતિમાં સમ• તામાં રહેવું. પરદેવદર્શન, નિંદા, વિકથાને ત્યાગ કરે.
આ તપની આરાધનાના દિવસોમાં બાહાપ્રવૃત્તિને સંક્ષેપ કરી, આરંભ-પરિગ્રહના દોષે ઘટાડવા. તેવા પ્રકા“રેમાં જવું નહિ. અન્ય દિવસો કરતાં આ દિવસોમાં
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૦
અહિંસાનું વિશેષપણે પાલન કરવું.
સત્યઃ વચન સત્ય બોલવાં, શક્ય તેટલું મૌન પાળવું..
અચૌર્ય : આ દિવસેમાં ખાસ પ્રયજન વગર વસ્તુ, ગ્રહણ કરવી કે ખરીદવી નહિ.
- બ્રહ્મચર્યઃ નવ વાડથી બ્રહ્મચર્યનું પાલન કરવું. આ નવ દિવસમાં અત્યંત જાગૃતિપૂર્વક મન, વચન, કાયાના ચોગની શુદ્ધિ જાળવવી.
પરિચડની મૂછ ઘટાડવી.
શક્ય હોય ત્યાં સુધી નિવૃત્તિસ્થાનમાં જઈને આરધના કરવી. સંસારની વાતચીત કરવી નહિ, નિઃસંશય અને નિસ્પૃહભાવે આરાધના કરનાર આરાધક શ્રીપાળમયણાની જેમ નવમા ભાવે મોક્ષ પામે કે છેવટે સમક્તિ પામી સમીપ મુક્તિગામી અવશ્ય થઈ શકે. અને આ જગતનાં સુખને પણ પ્રાપ્ત કરે છે.
વાસ્તવમાં આ નવપદ આત્મસ્વરૂપ છે. અરિહંત પદ આત્મામાં પ્રગટ થાય છે. સિદ્ધપદ-આત્મા સિદ્ધરૂપ છે, આત્મા સ્વરૂપાચરણરૂપ આચાર્યરૂપે છે. આત્મા આરાધક હેવાથી ઉપાધ્યાય, આત્મા સાધક હોવાથી સાધુ છે. આત્મા. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપસ્વરૂપ હોવાથી આ ચારે. પદ આત્માને પ્રગટ કરનારાં છે. અર્થાત્ નવપદ તે આત્માનાં છે.
નવપદજીની આરાધનાને કમ નવપદજીની આરાધનના ક્રમમાં સાધન અને સાધકની. શુદ્ધિ આવશ્યક છે. સાધ્ય તે શુદ્ધ છે. ત્રણેની એકતાથી. શ્રીપાળરાજાને પ્રથમ દિવસે જ તેને પ્રભાવ પ્રગટ થયેલ.
Page #84
--------------------------------------------------------------------------
________________
૭ હિતે. સાધનની શુદ્ધિ કે પ્રજનની રક્ષા ન થાય અને સાધકનું મન આરાધનામાં તદ્રુપ ન હોય તે પૂરી જિંદગી જાય, તે પણ આત્મશ્રેય ન થાય. શુદ્ધિપૂર્વક કરેલા આ તપથી રેગ, શોક અને સંતાપ દૂર થાય છે. સંસારનાં સુખની પ્રાપિત થાય છે. અંતમાં જીવ શાશ્વત સુખ પામે છે.
વહેલી સવારે ઉપગપૂર્વક પાપના પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિકમણ, તે પ્રમાણે સંધ્યા પ્રતિક્રમણ કરવું. પદની સંખ્યાને યોગ્ય કાઉસગ્ગ અને ખમાસમણું. તે પ્રમાણે સ્વસ્તિક આદિ યથાશક્તિ કરવાં. પદને વીસ નવકારવાળી ગણવી. આ દિવસોમાં સામાયિક કરી શ્રીપાળ-મયણના ચરિત્રનું શ્રવણ કરવું.
આયંબિલમાં યથાશક્તિ દ્રવ્યાદિને ત્યાગ કરે. નિત્ય સિદ્ધચકજીનું ભાવ સહિત વિધિપૂર્વક પૂજન કરવું. અને પવિત્ર ભાવના દ્વારા તે તે પદમાં લીન થવું. સાકર દૂધમાં ઓગળે તેમ નવપદમાં લય પામવાથી આરાધનાનું પરિણામ અનુભવમાં આવે છે.
ઉપર જણાવેલા પ્રકાર સામાન્ય છે. પૂર્ણ વિધિ શાસ્ત્રમાંથી જાણીને કે એગ્ય અધિકારીની નિશ્રામાં કરવી.
આ નવ દિવસ પૂર્ણ આરાધનાના છે. ત્યાર પછી પણ જીવનમાં નવપદજીની આરાધનાને વણી લેવી. તેમાં નિત્ય સિદ્ધચક્રજીનું યથાશક્તિ પૂજન કરવું.
નવપદની નવમળાને જાપ કર. યથાશક્તિ તપ કરવું.
Page #85
--------------------------------------------------------------------------
________________
૭ર
અનંતલબ્ધિના ભંડાર ગુરુ ગણધર શ્રી ગૌતમ સ્વામીએ મગધના સમ્રાટ શ્રેણિકને શ્રીપાળ તથા મયણુંસુંદરીની અદ્દભુત ધર્મકથાનું રસપાન કરાવી તેનું માહા
મ્ય સમજાવ્યું. તે કથાના શ્રવણનું પાન કરીને શ્રેણિક અત્યંત પુલકિત થયા હતા. ત્યાં શુભ સમાચાર મળ્યા કે ભગવાન મહાવીર પધાર્યા છે. ગણધર તથા શ્રેણિક આદિ સૌ ભગવાન સમીપે પહોંચી, વંદન કરી ચગ્ય સ્થાને બેઠા – દેવેરચતિ સમવસરણમાં પધારી ભગયાન શ્રી મહાવીર દેશના આપવા લાગ્યા :
હે શ્રેણિક! નવપદજીની આરાધનાનું મૂળ કારણ આત્મભાવ છે, તેથી નવપદ તે આત્મા છે, અને નવપદમાં જ આત્મા છે. આ નવપદને સેવવાથી ઘણું પ્રાણીઓ સંસારસાગર તરી જાય છે.
નવપદનું માહાસ્ય અને સ્વરૂપ પ્રથમ પદ અરિહંત ઃ વર્ણ – વેત, ગુણ – ૧૨
જે ભવ્યાત્મા અરિહંત પદને દ્રવ્યથી શુદ્ધ જાણે છે, ગુણોથી શુદ્ધ જાણે છે અને પરમાત્માની પર્યાય-અવસ્થાને શુદ્ધ જાણે છે. અર્થાત્ અરિહંતને દ્રવ્ય, ગુણ, પર્યાયથી શુદ્ધ જાણી તેનું ધ્યાન ધરે છે, તેમાં લીન થાય છે તે પિતાનું સ્વરૂપ અને અરિહંતનું સ્વરૂપ અભેદપણે અનુભવી અરિહંત થાય છે.
દ્રવ્ય : અરિહંતને આત્માનું ધ્યાન કરનારે આત્મા.
ગુણ: અરિહંતના જ્ઞાનાદિ ગુણે - ધ્યાન કરનાર ખામાના ગુણ
Page #86
--------------------------------------------------------------------------
________________
૭૩ પર્યાયઃ અરિહંતની દશા શુદ્ધ છે. ધ્યાન કરનારનું સત્તાગત્ સ્વરૂપ શુદ્ધ છે.
દ્રવ્ય ગુણ અને પર્યાયથી અરિહંતનું ધ્યાન કરનાર - સાધક અરિહંત પદને પામે છે.
અરિહંત તે તીર્થંકર છે. ધર્મતીર્થને પ્રવર્તાવી જગત - ઉપર મહાન ઉપકાર કરનારા છે. તેથી નમસ્કાર મહામંત્રમાં
તેમનું સ્થાન પ્રથમ છે. તેઓ મહાન ઉપદેષ્ટા હેવાથી - સર્વ જીવેના ઉદ્ધારક છે.
અરિહંત બાર ગુણેથી વિભૂષિત છે.
અરિહંતનો વર્ણ વેત છે. દરેક વર્ણમાં વેત વર્ણ પ્રધાન હેવાથી પ્રથમ પદયુક્ત અરિહંતને વર્ણ વેત છે. અરિહંત ભગવાન શુકલધ્યાનની મધ્યમાં બિરાજતા હેવાથી, તેમની અંતરવૃત્તિઓ શુદ્ધ હવાથી, તેમને વર્ણ શુકલ – શ્રત છે. આથી પ્રથમ પદની આરાધના શુક્લ વર્ણથી કરવી તેમ કહ્યું છે.
આ પદમાં આરાધકે અરિહંતની પૂજા કરવી, ભક્તિ કરવી, જીર્ણોદ્ધાર કરવા અને પ્રતિમાજીનું સ્થાપન કરવું. - બીજું પદ સિદ્ધ ભગવંતઃ
વર્ણ લાલ – ગુણ આઠે.
સિદ્ધ ભગવતે રૂપાતીત, અશરીરી છે. કેવળજ્ઞાન, અને કેવળદશન સહિત છે. અનંત અવ્યાબાધ સુખવાળા છે. અનંત લબ્ધિવાળા છે.
નિર્મળ ટિક રનના જેવી સિદ્ધશીલાની ઉપર છેલ્લા ભાગમાં લેકને અને આદિ-અનંતકાળ સમાધિ
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૪
સુખમાં રહેવાવાળા છે.
ચૈતન્ય – આત્મા સિદ્ધસ્વરૂપ છે. ભવ્યાત્માઓએ સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરી તેમાં તદ્રુપ થઈ પેાતાના સિદ્ધ સ્વરૂપનું ધ્યાન ધરવું. જેથી સર્વ પ્રકારે આત્માના અશ્વની પ્રાપ્તિ થાય.
સિદ્ધ પરમાત્મા આઠ કર્મના નષ્ટ થવાથી આઠ મહા ગુણના ધારક છે.
સિદ્ધ પરમાત્માના વણુ લાલ છે. તપ દ્વારા આત્માને શુદ્ધ કર્યાં છે. આથી તે તપાવેલા શુદ્ધ સુત્રના લાલ વણુ જેવા છે,
વળી નિરાગી મનુષ્ય લાલ વધુ જેવા હોય છે. સિદ્ધ પરમાત્મા કર્મરોગથી રહિત લાલ વર્ણવાળા હોય છે.
તેથી સિદ્ધ ભગવ'તની આરાધનાને પણ લાલ કહેવામાં આવ્યા છે. સિદ્ધ ભગવાનની પ્રતિમાનું સ્થાપન કરી તેમના પદરૂપ થવાની ભાવના કરવી. ત્રી. આચાય પદ:
વધુ પીત – પીળા; ગુણુ છત્રીસ.
આચાર્ય ભગવંત પચાચારના પાલન માટે દક્ષ હાય . છે. તેઓ અન્યને આચારનું પાલન કરાવે છે. તે અપ્રમાદપણે ધર્મના બોધ આપે છે. સમતારસથી ભાવિત છે. તેઓ ધીરજવાળા છે અને વિકથાથી મુક્ત હાય છે. તીર્થંકર પરમાત્માના નિર્વાણ પછી તેએ ધમી જીવને આધારભૂત છે. છત્રીસ વિશેષ ગુણ્ણાના ધારક છે. વાદીએથી વિજયી છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૫
આચાર્ય ભગવંત દીપક સમાન હોવાથી, અને દીપશીખા પીળી હેવાથી આચાર્ય પીળા વર્ણવાળા છે.
પંચ મહાવ્રતધારી આચાર્યની પીળા વર્ણથી આરાધના કરવાની કહી છે. આ પદની આરાધના કરનારે આચાર્ય ભગવંતની પ્રત્યક્ષ ભક્તિ, વૈયાવચ્ચ કરવા નિત્ય વંદન
કરવું.
ચેથું પદ ઉપાધ્યાયઃ
વણું – નીલ; ગુણ પચીસ.
ઉપાધ્યાય પિતે ભણે, બીજાને ભણવે. રત્નત્રના આરાધક છે. સર્વરચિત ધર્મસૂત્રનું અધ્યયન કરવામાં ઉત્સુક છે. બાર અંગના સ્વાધ્યાય કરનાર છે. આચાર્ય ભગવંત અર્થને ભણાવે છે. ઉપાધ્યાય સૂત્રપાઠ કરાવે છે. શિષ્યનું ઘડતર કરે છે. ભવિષ્યમાં આચાર્ય પદને ધારણ કરી ગચ્છનું રક્ષણ કરવાવાળા છે.
નીલમણિ શાંત અને મનોરમ્ય હોય છે. તેમ ઉપાધ્યાય ભગવંતની ક્રાંતિ શાંત અને મનોરમ્ય હોય છે. જ્ઞાનમાર્ગને અંતરાય દૂર કરનારા ઉપાધ્યાયજી નીલવર્ણથી આરાધાય છે.. તેમની ભક્તિ, વૈયાવચ્ચ કરવાં. પાંચમું પદ સાધુપદ
વર્ણ – શ્યામ (કાળે), ગુણ સત્તાવીસ.
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ જે નિરંતર ચારે પ્રકારે અપ્રમત્તપણે મોક્ષમાર્ગનું આરાધન કરે છે. પાંચ ઇંદ્રિય અને મનને જેણે વશ કર્યા છે, ચાર કષાયને જેણે પરાજિત કર્યા છે, છકાય જીવની જે રક્ષા કરે છે,
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૬
મનાદિ વૈગમાં અપ્રમત્ત છે તેવા સયમને ધારણ કર્યો છે તે સાધુભગવડત છે.
પાંચ મહાવ્રતના ધારક છે. નવ પ્રકારે બ્રહ્મચર્ય નુ પાલન કરે છે, સદા સમતામય જેની વૃત્તિ છે તે સાધુભગવંત સુત્રની જેમ કસેાટીમાંથી પસાર થયા પછી અનુક્રમે આચાર્ય પદવીને યોગ્ય થાય છે. સુવર્ણની કસાટીને પથ્થર કાળા હોય છે તેમ સાધુપદની શ્યામ વર્ણ આરાધના થાય છે. આરાધકે સાધુ-ભગવંતને નમન, આદર કરવાં, વસ્તીમાં, વસ્ત્ર-પાત્રાદિ ઔષધ વગેરે આપવાં,
દીક્ષાથી'ની અનુમાદના કરવી, અને સાધુપદ ગ્રહણ કરવાની ભાવના કરવી.
છઠ્ઠું પદ સમ્યગ્દર્શન પદ : વણુ - શુલ (વેત,) ભેદ – ૫૭.
ઉપશમ, સવેગ, નિવેદ, અનુકપા અને આસ્તિકયના ગુણે પ્રગટ થતાં મિથ્યાતત્વ મહનીયની સાત પ્રકૃતિના ક્ષય કે ઉપશમથી સ્વ-સ્વરૂપમય સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ગુણાની ઉજ્જવળતા શુદ્લ વથી આરાધાય છે. સર્વજ્ઞ કથિત જીવાદિ પદાર્થોથી યથાર્થ શ્રદ્ધા તથા સંજ્ઞ દેવ, નિ' ગુરુ અને દયારૂપ ધર્મોની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. આ પદ મેક્ષપદની પ્રાપ્તિનુ' બીજ છે. તેની 'પ્રાપ્તિથી સ’સારપરિભ્રમણ સક્ષિપ્ત થઈ ક્ષીણ થાય છે. માનવજીનનું શ્રેષ્ઠ કવ્ય સમ્યગ્દર્શન-પ્રાપ્તિનું છે. તેની પ્રાપ્તિ માટે તત્ત્વના અભ્યાસ કરવા, યથાર્થ શ્રદ્ધા કરવી.
થ
Page #90
--------------------------------------------------------------------------
________________
સાતમુ' પદ જ્ઞાનપદ :
વર્ણ – શુકલ ( વેત ), ભેદ – ૫૧.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે. સ્વયં જ્ઞાતા દ્રષ્ટાસ્વરૂપ છે. અનાદિથી કર્મસંયોગે જ્ઞાનવરણ સહિત છે. તે આવરણ ક્ષયેાપશ્ચમ કે ક્ષય પામે, અજ્ઞાન પણ ક્ષીણ થાય છે, અને આત્માનું જ્ઞાનસ્વરૂપ પ્રગટ થાય છે.
પરમાત્માએ કહેલા નવતત્ત્વની શ્રદ્ધામાં દર્શનગુણ વિકસિત થાય છે, અને આ નવતત્ત્વમાં હેય, જ્ઞેય અને ઉપાદેયના આધથી વિવેક ઉત્પન્ન થાય છે. તે માટે શ્રુતજ્ઞાનના અવલંબનની આવશ્યકતા છે. તે શ્રુતના આધારે સાધક આત્મચિંતન કરે છે. અને પૂજ્ઞાન સ્વરૂપી પરમેષ્ઠિ પટ્ટમાં લીન થાય છે ત્યારે સ્વય′ અનુભવજ્ઞાન પ્રગટ થાય છે.
૭૭
જ્ઞાન અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરે છે. અંધકાર શ્યામ વર્ણવાળા છે. પ્રકાશ વેત છે. આથી જ્ઞાનપદની આરાધના શુક્લ વર્ણ થી આરાધાય છે. જ્ઞાનપદની આરાધના વડે જીવ સર્વજ્ઞ થાય છે.
જ્ઞાનપદના આરાધકે શાસ્ત્રો લખવાં-લખાવવાં. અન્યને ભજુવાની આવશ્યકતા પૂરી પાડવી, સાધનેાની શુદ્ધિ રાખવી, અને જ્ઞાન તથા જ્ઞાનીની ભક્તિ કરવી. જ્ઞાનનાં સાધનાની પ્રભાવના કરવી.
આટૅમ્' ચારિત્રપદ :
વણુ – શુક્લ (વેત), ભેદ – ૭૦,
જ્ઞાનાદિ ગુણેાની પ્રાપ્તિ થતાં જીવ પરપદામાં
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૮
પ્રવર્તતા નથી. જ્ઞાનાદિ ગુણાનું સામર્થ્ય એવું છે કે આત્મ જ્ઞાનગુણુમાં જ રમણતા કરે છે, જેને મેહરૂપી વલ્લીને છેદી નાંખી છે એવા શુદ્ધ ઉપાગરૂપ આત્મા જ સ્વયં..
ચારિત્ર છે.
અસારક્રિયાને ત્યાગ અને સારક્રિયામાં પ્રવૃત્તિ તે બાહ્ય ચારિત્ર છે. માહનીય કર્મના ક્ષીણ થવાથી વીતરાગતા પ્રગટ થાય છે તે અંતરંગ ચારિત્ર છે. એ ચારિત્રની અત્યંત નિર્મળતા થતાં કેવળજ્ઞાન-દર્શન પ્રગટ થાય છે. ચારિત્રની ઉજ્જવળતાને કારણે તેને વધુ શુ′′ મનાય છે. પરમાત્માના અભેદ ધ્યાન- દ્વારા સભ્યષ્ટિ આત્માસ્વરૂપ રમણતા પામે છે. અને તે દ્વારા સ્વય પરમાનન્દને પ્રાપ્ત થવું તે સચ્ચારિત્ર છે,
ચારિત્રપદના આરાધકે વ્રત, નિયમ, સયમ પાળવાં, આત્મસ્વરૂપનું લક્ષ્ય કરવું. તેને ઉપાસવા. ઉપયાગની સ્થિરતા માટે પ્રયત્ન કરવેશ. ચારિત્રમાર્ગના આદર કરવા. નવસુ' તપપદ : વણુ શુક્લ (વેત).
ઇચ્છા નિરાધને તપ કહે છે. સ`વરભાવથી ઇચ્છા તથા રાગાદિ ભાવે રાકાય છે તે સાધક સમતાયેાગના પરિણામવાળા આત્મગુણુમાં રમણતારૂપ તપને આરાધે છે. તપ દ્વારા આત્મા કમળના ક્ષય કરે છે. તપના પ્રકાશ માટે નિરાતત્ત્વની મુખ્યતા છે, જેના છ માહ્ય અને • છ અભ્યંતર ભેદ છે.
અનાદિકાળથી આમા સાંથે અન'ત પ્રકારનાં મલિન
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૯
કર્મો લાગેલાં છે. તે તપ દ્વારા તપ્યા પછી આત્મપ્રદેશથી છૂટાં પડે છે. માટે સમતાપૂર્વક કેઈપણ લૌકિક અપેક્ષા વગર તપ કરવાથી આત્મામાં શુદ્ધ દશા પ્રગટ થાય છે. તાપદના આરાધકે આ દિવસો ઉપરાંત નાનાં મોટાં તપ કરવાં. તપસ્વીઓની ભક્તિ–સેવા કરવી.
તપ દ્વારા આતમ ઉજજ્વળ થતું હોવાથી તપનું આરાધન શુક્લવર્ણથી કહ્યું છે. નવપદની આરાધના માટે શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધ્વીજને સૌને અધિકાર છે. છતાં તેમાં કેટલીક આવશ્યક્તાઓ લક્ષ્યમાં લેવા ગ્ય છે. દરેક પિતાની મર્યાદામાં આ તપની આરાધના કરે છે.
સવિશેષ શ્રાવક-શ્રાવિકા ગૃહસ્થધમનું પાલન કરતા હોવાથી તેઓએ આવા તપના નિમિત્તે સ્નાપૂજા, વિવિધ પૂજાના પ્રકાર, ઉજમણ, તીર્થોદ્ધાર વગેરેનું યથાશક્તિ આજન કરવું.
ધર્મ આરાધના રૂપ નવપદની આરાધનાના બળે શ્રીપાળ ભૌતિક સુખ પામ્યા તે સુખ ગૌણ હતું. અર્થાત્ મેક્ષને કાળ હજી દૂર હતા, તેથી વચમાં આવતે વિશ્રામ હતે. નવદપની આરાધનાનું સારું પરિણામ તે નવમા ભાવમાં શ્રીપાળે સંસારને ત્યાગ કરી, વૈરાગ્ય બળે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પામ્યા. અને અઢળક સુખસામગ્રી છતાં તેની મૂછ ન હતી તે તેમનું સાચું પુણ્ય અને ધર્મ ભાવના
હતાં.
Page #93
--------------------------------------------------------------------------
________________
નવપદના આરાધકે એકાગ્રતાપૂર્વક શાંત સ્થળે દરેક દિવસે તે તે પદથી ર૦ માળા ગણવી.
નવપદજીના નવ જાપ ૐ હં નમે અરિહંતાણું કે હૈ નમે સિદ્ધાણું
હૈ નમે આયરિયાણ હૈ નમે ઉવજઝાયાણું
ઠો નમો લોએ સવ્વ સાહૂણું ૩ હી ન દંસણસ કે હૈ નમો નાણસ મેં હૈ નમ ચારિત્તસ્સ હું નમે તવસ્સ.
ઇતિ શિવમ ચાર શરણું અરિહા શરણું સિદ્ધા શરણું, સાહુ શરણે વરીએ, ધમે શરણું પામી વિનયે, જિન આણું શિર ધરીએ. ૧ અરિહા શરણું મુજને હેજે, આતમ શુદ્ધિ કરવા,
સિદ્ધા શરણું મુજને હેજે, રાગદ્વેષને હણવા. ૨ સાદુ શરણું મુજને હેજે, સંયમ શૂરા બનવા,
ધમે શરણું મુજને હેજે, ભદધિથી તરવા. ૩ મંગલમય ચારનું શરણું સઘળી આપદા ટળે,
આ સેવકની ડૂબતી નૈયા ભવજલ પાર ઉતારે. ૪ અરિહા શરણું, સિદ્ધા શરણું સાહુ શરણે વરીએ, ધમૅ પામી શરણું વિનય, જિન આણું શિર ધરીએ. ૫.
[]
Page #94
--------------------------------------------------------------------------
________________ GOంతకంతకంతకంతకంతం સિદ્ધચકને ભજીએ રે, ભવજન ભાથ ધરી મઠ માળાને તજીએ મત દૂર કરી; સિદ્ધચક્રના દયાને રે સંકટ ભય ન આવે, 8છે ગૌતમ થાણાં રે અમૃત પ૮ પાળે છે? અંગૂઠે અમૃત વસે, ક્ષશ્વ તણા ભંડાર; શ્રી ગુર ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર -09- સંપાદક -29 સુનંદાબહેન 29- પ્રકાશક ૨૯હરસુખાભાઈ ભાયચંદ મહેતા 203, વાલકેશ્વર રોડ, પેનોરમા, મુંબઈ - 400 006 ફોન : 23690603 / 23690608 Coco CocoCoco XXXa539 o