SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ બગાડ કાણુ શકે?’ તે અજ્ઞાનના અંધકારમાં અટવાયેલા ધવળ કચાંથી જાણે ! શ્રીપાળની ઉદારતા તે જુએ ! શત્રુનું પશુ ભલું ઇચ્છનાર એ મહાત્માએ ધવળને મિત્રભાવે પાતાની નજીકમાં જ નિવાસ આપ્યા. શ્રીપાળથી વિપરીત માનસવાળા ધવળનું છતી લક્ષ્મીએ દિલ દરિદ્રી હતું. એણે છેલ્લા ઉપાય શોધી કાયો. તેણે વિચાયુ` કે હું ખાઈ તે। ન શકયો, પણ ઢાળી તા શકુ છું. જે શ્રીપાળને કાળને હવાલે કરી દઉં તા મારે જોવું નહિં અને ખળવું નહિ. અરે ધવળ ! એક વાર તું બાજી હારી ગયા છતાં હછ પુણ્ય-પાપનાં રહસ્યા સમજ્યેા નહિ? ધવળના પાપના ઘડા ભરાઈ ગયા હતા તેથી તે પણ શું કરે ! શ્રીપાળના સુખના રહસ્યને નહિ જાણનાર ધવળ દુ:ખથી આક્રાંત થઈ ઊઠયો. રાત્રે પથારીમાં પડયો હતા પણ પારકા સુખને નહિ જીરવનારી પેલી ઇષ્ટએ તેને ઊલે કરી દીધા. અંધારી રાતે ધવળ કટારી લઈને લપાતાછુપાતે શ્રીપાળતા મહેલના સાતમા માળે જવા સીડી ચઢે છે. આમ તે અંધારું ચારને સાથ આપે, પણ ધવળનું ચિત્ત ચાર કરતાં પણ વધુ મલિન હશે કે ગમે તેમ, સીડી પરથી તેને પગ લપસ્યા, અને સાતમે માળે જવાને બદલે પોતાની કટારી દ્વારા તે સાતમી નરકે પહોંચી ગયા. નવપદના ધ્યાની શ્રીપાળનું ભૌતિક પુણ્ય પણ કેવું ? ધવળના નધણિયાતાં સર્વ વહાણા, સૈન્ય, સામગ્રી અને સંપત્તિ શ્રીપાળના ચરણને ચૂમતાં રહ્યાં. જે મેળવા ધત્રળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004907
Book TitleMaynasundari ane Shripal Raja
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy