SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ નિરર્થક પ્રયત્ન કર્યો, છતાં પામવાને બદલે ગુમાવી દીધું.. સુખની પ્રાપ્તિનું સાધન સુકૃત્ય છે એ સાબિત થયું. શ્રીપાળ અને ગુણસુંદરી ત્રણ સરિતાઓના સંગમની જેમ ત્રણ રાજકન્યાએ અન્યેાન્ય સભાવવાળી હતી. આથી શ્રીપાળ રાજા પણ ત્રણે રાણીએ સાથે નિષ્કંટકપણે સંસારમાં દૈવી સુખ ભાગવતાં હતાં. એક દિવસ શ્રીપાળ રાણીએ અને રાજપરિવાર સહિત રાજઉદ્યાનમાં જવા નીકળ્યા. ત્યાં માર્ગમાં એક ઘણી ઋદ્ધિવાળા સાથે તેમણે જોયા. તેટલામાં સાર્થપતિ પોતે જ ભેટ લઈને તેમની સમક્ષ ઉપસ્થિત થયેા. શ્રીપાળરાજાએ સાર્થપતિનું અભિવાદન કર્યુ. પછી તેઓ કયાંથી આવ્યા છે, અને મામાં શું નવીનતા જોઈ તે પૂછતાં, સાર્થપતિએ કહ્યું કે અમે એક આશ્ચર્ય જોયું તે સાંભળે. કુંડલપુર નામનું એક સમૃદ્ધ નગર છે. તેમાં મકરકેતુ નામનેા પરાક્રમી રાજા છે. તેને કતિલકા નામે સદ્ગુણી રાણી છે. તેને થાનામ ગુણસુંદરી કન્યા છૅ. તે અત્યંત રૂપવાન અને કલાનિપુણ છે. સવિશેષ તે વીણાવાદનમાં અજોડ છે. આ ગુણસુંદરીએ એક પ્રતિજ્ઞા કરી છે કે જે મને વીણાવાદનમાં જીતશે તે જ મારા પતિ થશે. કુંવરીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004907
Book TitleMaynasundari ane Shripal Raja
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy