SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કોંકણ તરફ ચાલ્યાં. જે પિતાની દાનતને ફેરવી ન શકયો તે પવનને કેવી. રીતે ફેરવી શકે ? વહણે ઠેકણ જઈને ઊભાં રહ્યા. ખરેખર કપટી. માણસો સ્વયં ફસાઈ જાય છે ! ધવળશેઠે બહુમૂલ્ય વસ્તુઓની ભેટ લઈને કેકણના મહારાજાના ચરણે ધરી દીધી, અને નમન કરી ઊભો રહ્યો. પણ આ શું? શેઠે બેચાર વાર આંખને બંધ-ઉઘાડ કરીને ખાત્રી. કરી લીધી કે પોતે સ્વપ્નમાં નથી ને? સાગરમાં પધરાવેલ આ શ્રીપાળ જીવતે કયાંથી? - શ્રીપાળને મહારાજાની બાજુના સિંહાસને બેઠેલા જોયા અને ધવળને હૃદયના ધબકારા વધી ગયા. ત્યાં વળી રાજાએ શ્રીપાળના હસ્તે તેમનું સ્વાગત કરાવ્યું. ધર્માત્મા કેવા ધીર-ગંભીર હોય છે? શ્રીપાળે ધવળશેઠને ઓળખી લીધા હતા, છતાં ઉદારચિત્તે તેમનું સન્માન કર્યું. અને જાણે ઓળખતા નથી તેમ શાંતિથી બેસી રહ્યા.. સમય થતાં સભા વિસર્જિત થઈ. લીમડાને સાકરના પાણીનું ખાતર નાંખો પણ લીંબેળી. કંઈ કડવાશ છેડે નહિ. સાકરનું પાણી પીને પણ લીમડાનું વૃક્ષ સર્વાગે કડવું જ ઉત્પન્ન થાય છે અને રહે છે. ધવળશેઠે કોઈ એક રાજસેવક પાસેથી સઘળી હકીકત જાણી લીધી, કે આ તે અમારા રાજાના માનવંતા જમાઈ છે. જગતમાં સૂતેલા અજાણ્યા મુસાફરને જગાડીને રાજયમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004907
Book TitleMaynasundari ane Shripal Raja
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy