SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ આચાર્ય ભગવંત દીપક સમાન હોવાથી, અને દીપશીખા પીળી હેવાથી આચાર્ય પીળા વર્ણવાળા છે. પંચ મહાવ્રતધારી આચાર્યની પીળા વર્ણથી આરાધના કરવાની કહી છે. આ પદની આરાધના કરનારે આચાર્ય ભગવંતની પ્રત્યક્ષ ભક્તિ, વૈયાવચ્ચ કરવા નિત્ય વંદન કરવું. ચેથું પદ ઉપાધ્યાયઃ વણું – નીલ; ગુણ પચીસ. ઉપાધ્યાય પિતે ભણે, બીજાને ભણવે. રત્નત્રના આરાધક છે. સર્વરચિત ધર્મસૂત્રનું અધ્યયન કરવામાં ઉત્સુક છે. બાર અંગના સ્વાધ્યાય કરનાર છે. આચાર્ય ભગવંત અર્થને ભણાવે છે. ઉપાધ્યાય સૂત્રપાઠ કરાવે છે. શિષ્યનું ઘડતર કરે છે. ભવિષ્યમાં આચાર્ય પદને ધારણ કરી ગચ્છનું રક્ષણ કરવાવાળા છે. નીલમણિ શાંત અને મનોરમ્ય હોય છે. તેમ ઉપાધ્યાય ભગવંતની ક્રાંતિ શાંત અને મનોરમ્ય હોય છે. જ્ઞાનમાર્ગને અંતરાય દૂર કરનારા ઉપાધ્યાયજી નીલવર્ણથી આરાધાય છે.. તેમની ભક્તિ, વૈયાવચ્ચ કરવાં. પાંચમું પદ સાધુપદ વર્ણ – શ્યામ (કાળે), ગુણ સત્તાવીસ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ જે નિરંતર ચારે પ્રકારે અપ્રમત્તપણે મોક્ષમાર્ગનું આરાધન કરે છે. પાંચ ઇંદ્રિય અને મનને જેણે વશ કર્યા છે, ચાર કષાયને જેણે પરાજિત કર્યા છે, છકાય જીવની જે રક્ષા કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004907
Book TitleMaynasundari ane Shripal Raja
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy