________________
પોતે કરેલાં અપકૃત્યને અફસેસ, રૂપસુંદરીની ગેરહાજરીને
ભ, આવી મૂંઝવણ અનુભવતા પ્રજાપાળને દૂરથી જોતાં માયણ હિંડોળા પરથી સહસા ઊભી થઈ અને વિનયપૂર્વક પિતાને પ્રણામ કર્યા. શ્રીપાળે પણ સસરાને ઓળખ્યા અને તે મયણાને અનુસર્યા.
- રાજાને પિતાના આવેગન, સત્તાના મદની ભૂલ સમજાઈ હતી. આથી તેનાં નયને સજળ થયાં અને મયણાસુંદરીને પ્રેમસહિત કહેવા લાગ્યા કે, હે પુત્રી ! તારી વાત સત્ય. હતી. આજે મને જૈન ધર્મના અચિંત્ય પ્રભાવનું સાચું દર્શન, થયું કે વ્યક્તિ કેઈને સુખ કે દુઃખ આપી શકતી નથી. દરેક જણ પિતાના પ્રારબ્ધથી જ સુખી કે દુઃખી થાય છે. કથંચિત તેમાં નિમિત્તને ભેગ બને છે ત્યારે વ્યક્તિ અજ્ઞાનવશ અહંભાવથી એમ માને છે કે હું કેઈને સુખી કે દુઃખી કરી શકું છું.”
- મયણાસુંદરીઃ “પિતાજી ! આપ આવા વિકલ્પ કરી. દુઃખી ન થાવ. જે બન્યું તે મારા શુભાશુભ ચેગથી જ બન્યું છે.”
પુણ્યપાળે પિતાની બહેનને ખબર આપીને બોલાવી લીધી હતી. આમ દરેકના મને ભાવમાં સમાન પ્રસન્નતા. પ્રાપ્ત થઈ. દુઃખદ ક્ષણે વીતી ગઈ અને નવી ક્ષણે સુખદપણે પરિણમી.
ત્યાર પછી પ્રજા પાળ રાજાએ આખા નગરમાં ઉત્સવ. જાહેર કર્યો. ગૃહેથુહ સજાવવામાં આવ્યાં. ચોરે ને ચૌટે જૈનધર્મને તપાદિના પ્રભાવની સુખદ ચર્ચાઓ થવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org