________________
આ ઉપરાંત એગ્ય વિધિ બતાવી. અને કહ્યું કે, “આ તપ પૂર્ણ થયે સલિલ્લાસ ઊજમણું કરવું. નિષ્કામપણે કરેલી નવપદની આરાધનાથી તમારા સર્વ દુઃખ-સંતાપને નાશ થશે. શ્રદ્ધાપૂર્વક આરાધના કરનારનાં મનવાંછિત પૂર્ણ થાય છે. સર્વ કર્મને નાશ થાય તેવું સામર્થ્ય આ પદની આરા. ધનામાં રહેલું છે.”
ગાનુયોગે આ પર્વના દિવસે નજીક આવતા હતા. વળી તે સમયે ઉપાશ્રયે આવેલા કેઈ ગૃહસ્થને સદ્ભાવના થતાં આ બંનેને પિતાના નિવાસે લઈ જઈ, વ્રત-આરાધના માટે ઉત્તમ સુવિધા કરી આપી.
મયણના હૃદયમાં 'ઉમંગ છે. તપશ્ચર્યાને મહિમા અને શ્રદ્ધા ભરપૂર છે, ગુરુની કૃપા છે, ઉપદેશનું અમૃત છે. ગુરુએ દર્શાવેલી વિધિને પૂર્ણ પણે લક્ષમાં રાખીને સાધનશુદ્ધિ અને ભાવશુદ્ધિ સહિત તપશ્ચર્યાને મંગળ પ્રારંભ થશે. ઉત્તરોઉત્તર આરાધનામાં ભાવ નિર્મળ થતા ગયા.
પ્રથમ દિવસે શરીરની બળતરા શમી. બીજા દિવસે ખરાબ ચામડી ઊતરવા લાગી. ત્રીજા દિવસે પરુ નીકળતું બંધ થયું. ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવમે દિવસે તે શ્રીપાલની કાયા
શુદ્ધપણે અસલરૂપે પ્રગટ થઈ. માયણ અને શ્રીપાળે નવપદની આરાધના નિસ્પૃહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org