________________
૨૦
આથી ચતુરગી સેનાને તૈયાર કરી રાજપરિવાર ઠાઠમાઠથી તૈયાર થયે. નગારાં, વાજા અને વાજિંત્રે ગાજી ઊઠયાં.. કુતૂહલપ્રિય પ્રજાજને તેમાં જોડાયા. વાજતેગાજતે સાજન સ્થાને પહયું... જય શ્રીપાળ-મયણાને વાસ હતા.
પુણ્યપાળ પુણ્યશાળી દંપતીને મળ્યા. પુયપાળે અત્યંત આદર અને પ્રેમપૂર્વક શ્રીપાળને આલિંગન આપ્યું. મયણાસુંદરીએ મામાને ઓળખી લીધા. મામાને સત્કારને માન આપી બને સાજન સાથે મામાને ત્યાં પહોંચ્યાં. પુણ્યપાળ રાજાએ શ્રીપાળ અને માયણ માટે સુખસામગ્રીમાં કંઈ જ ખામી રહેવા ન દીધી. આમ, તેમના પુણ્યબળે સુખમાં દિવસો વ્યતીત થઈ રહ્યા હતા, પ્રજાપાલી રાજનો પશ્ચાત્તાપ
પ્રજા પાળ રાજાએ આવેશમાં એકવાર પગલું ભરી દીધું. પણ પછી પસ્તાવા લાગ્યા. વળી રૂપસુંદરી તેમને ત્યાગ કરી ગઈ હતી. આથી વ્યથિત મનવાળા રાજા એકવાર વનવિહારે ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં તે પુણ્યપાળના નિવાસ બાજુથી નીકળ્યા. તે સમયે તેમના શ્રવણે સુંદર વાજિત્રેના અવાજો સંભળાતા હતા. રાજાએ અવાજ તરફ જોયું તે ઝરૂખામાં એક સુંદર યુવાન અને રૂપવતી કન્યા બેઠાં હતાં. તેમની સમક્ષ નાટયારંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org