________________
શ્રાસંગિક
જૈનશાસનમાં સિદ્ધચક્રજી-નવપદજીનો અત્યંત મહિમા ગવાતો રહ્યો છે. સર્વ તપોમાં આ નવપદજીની આરાધનાને મંગળકારી માની છે.
નવપદ એટલે અરિહંત, સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પંચ પરમેષ્ટિ સ્વરૂપે છે; અને દર્શન, જ્ઞાન, ચરિત્ર તથા તપ ધર્મસ્વરૂપે આરાધવા યોગ્ય છે અર્થાત્ શ્રેષ્ઠ અવલબન છે.
શીલસંપન શ્રીપાળ અને મંગળમયી મયણાસુંદરી શ્રી નવપદજીની આરાધના કરી શાશ્વત સુખ પામ્યાં હતાં. તેની કથા અનંતલિધ્વનિધાન ગુરુ શ્રી ગૌતમ ગણધરે સ્વમુખે શ્રેણિક રાજાને કહી હતી.
આ કથાનું હાર્દ અનુપમેય છે. આત્માર્થીઓને આરાધના કરવાનું શ્રેષ્ઠ અવલંબન છે. મુમુક્ષુઓને મુક્તિપ્રાપ્તિ માટે શ્રેષ્ઠ સાધન છે. રોગીને નિરોગી થઈ જવા ધર્મમાર્ગે જવા પ્રેરકબળ છે. રાગીને વીતરાગતા પ્રગટાવનારું પાથેય છે. પરિભ્રમણરૂપ ભવરોગ ટાળવાનો ઉત્તમ માર્ગ છે.
વાસ્તવમાં આ કથા નવપદજીની આરાધનાની સરળતાથી સામગ્રી પૂરી પાડે છે. તેનું આરાધન કરીને ભવ્ય જીવો દુ:ખમુક્ત થઈ શકે તેવો તેનો પ્રભાવ છે. તેના બાહ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org