Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 126
________________ જૈનદર્શનમાં કર્મસિદ્ધાંત ૧૧૯ અન્તરાય કર્મનો વિપાક :- જીવનો નૈતિક અને આધ્યાત્મિક વિકાસ કરે એવાં કલ્યાણ મય કાર્યો કરવામાં આ પ્રકારનું કર્મ, માનસિક સંઘર્ષો ઉત્પન્ન કરીને એક જાતની અનિશ્ચિતતા ઊભી કરે છે. આ પાંચ પ્રકારના અવરોધક કર્મો પુણ્ય કે મુક્તિના કર્મો કરવામાંથી વ્યક્તિને અવરોધે છે. ૧. તેઓ દાનમાં કાંઈક દ્રવ્ય આપવા ઈચ્છતા હોય પણ કોઈક લાગણી કે વિચાર તેમને આ ઇચ્છાનો અમલ કરતાં રોકે છે. મન નિશ્ચય કરી શકાતું નથી અને તેની ઢીલને પરિણામે દાન કરવાનો નિર્ણય પડતો મુકવો પડે છે. ૨. તેમને પોતે કગરેલા લાભ કે નફાને ભોગવતાં રોકે છે.૩. માણસ પાસે આ વસ્તુઓ હોય છે અને તે આ વસ્તુઓનો ઉપયોગ તેમ જ ઉપભોગ કરવા પણ ઇચ્છતો હોય છે. પણ આ કર્મ ઉપભોગમાં અવરોધક થાય છે. ઘણી વાર એવું પણ બને છે કે માણસે વસ્તુ ભેગી કરી હોય પણ કોઈ અજ્ઞાત કારણ તેને સંગ્રહેલી વસ્તુનો ઉપભોગ કરવા દેતું નથી. તેમાં આ પ્રકારનું કર્મ જ કારણભૂત હોય છે. ૪. જીવના શુભ અને કલ્યાણકારક પ્રાપ્તિના પ્રયાસોને અટકાવે છે. આ રૂકાવટ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં હોઈ શકે તેમ સાંસારિક સફળતા પ્રાપ્ત કરવામાં પણ હોઈ શકે. અન્તરાય કર્મ પાંચ પ્રકારના છે. ૧. દાનાન્તરાય - દાનની ઇચ્છા પર પણ દાન ન કરી શકાય, ૨. લાભાન્તરાય કોઈ પ્રાપ્તિ થવાની હોય પણ કોઈ કારણથી એ પ્રાપ્ત ન થાય, ૩. ભોગાન્તરાય - ભાગમાં અડચણ ઉભી થવી જેમ વ્યક્તિ સમ્પન્ન હોય, ભોજનગૃહમાં સારું સ્વાદવાળું ભોજન પણ બન્યું હોય પરંતુ અસ્વસ્થાના કારણે એણે માત્ર ખીચડી જ ખાવી પડે. ૪. ઉપભોક્તાન્તરાય - ઉપભોગની સામગ્રી હોવા છતાં પણ ઉપભોગ કરવામાં અસમર્થતા, ૫. વીર્યાન્તરાય - શક્ત હોવા છતાં પણ પુરુષાર્થમાં એનો ઉપયોગ ન કરી શકાય. કર્મબંધ અને કર્મના ક્ષય વિશેની પ્રક્રિયાને પરિભાષાઓ દ્વારા સમજી શકાય. આસ્રવ - જે કારણોથી આત્માનો કર્મ સાથે સંબંધ બંધાય છે તેને આગ્નરવ કહે છે. બંધ -- કર્મોનો આત્મા સાથે દૂધ પાણી જેવો સંબંધ થવો કે આત્મા સાથે બંધાઈ જવું તેને બંધ કહે છે. સંવર - આત્મા પોતાના શુદ્ધ પરિણામ વડે કર્મોને આવતાં રોકે તેને સંવર કહે છે. નિર્જરા - આત્મા સાથે બદ્ધ થયેલાં અથવા સત્તાગત કર્મોનું ખરી પડવું તેને નિર્જરા કહે છે, કર્મોનાં આવરણો ખસી જતાં આત્મા ઉજ્જવલ રૂપે પ્રકાશમાન થાય છે. કર્મ સિદ્ધાન્તને સમજવાથી વ્યક્તિ પાપકર્મો કરતાં અટકે છે અને પુણ્યકર્મ કરવા પ્રેરાય છે. મનુષ્યજીવનની પ્રત્યેક પરિસ્થિતિ પૂર્વે કરેલાં કર્મ પર આધારિત હોવાનું જ્ઞાન પ્રાપ્ત થતાં, હવે પછીના જીવનમાં સુખ અને શાંતિ મેળવવા વ્યક્તિ શુભ કર્મો કરવા પ્રેરાય છે. તેનાથી તેનું પોતાનું જીવન સુસંવાદી અને સુવ્યવસ્થિત બને છે અને સમાજને પણ તેનો લાભ મળે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194