Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 157
________________ ૧૫૦ વિવિધા હિયડે ચિતે રાજુલ નારી, કીશાં કરમ કીધાં કિરતાર, કે મેં જલમાં નાખ્યા જાલ, કે મેં માય વિછોડ્યાં બાલ, કે મેં સતીને ચડાવ્યાં આલ, કે મેં ભાખી બિરૂઈ ગાલ, કે મેં વન દાવાનલ દીયા, કે મેં પરધન વંચી લીયા ! કે મેં શીલખંડના કરી, તો મુજને નેમે પરહરી ! ભરતરાજા દીક્ષા લે છે ત્યારે તેની રાણીઓ વિલાપ કરે છે, ત્યાં પણ આવા જ મર્મવિદારક કરુણનું આલેખન છે : નારી વનની રે વેલડી, જલ વિણ તેહ સુકાય રે, તમો જળ સરીખા રે નાથજી, જાતાં વેલડી કરમાય રે, જળ વિના ન રહે માછલી, સૂકે પોયણપાન રે, તુમ વિણ વિણસે રે યૌવનું, કંઠ વિના જિમ ગાન રે, ઈમ વળવળતી રે પ્રેમદા આંસુડાં લુહે તે હાથ રે, તુમ વિણ વાસર કિમ જશે, તુમ વિણ દોહિલી રાત રે. આગળ વધતાં કવિ કહે છે : પોપટ ઝૂરે રે પાંજરે, વનમાં ઝૂરે તે મોર રે, ખાણ ન ખાય રે વૃષભો વારી, ગવરી કરે બહુ સોર રે. ભરતરાજાની વિદાયથી તેમના પ્રત્યેક અંતેવાસી પણ આવી જ હૃદયવિદારક વેદનાની અનુભૂતિ કરે છે. કવિની ભાષા સરળ પણ રસાત્મક છે. લાંબાં વર્ણનોની જેમ ઉક્તિનું લાઘવ અને બળ પણ કવિની સિદ્ધિરૂપ બન્યાં છે. જૂજ શબ્દોમાં પોતાના કથયિતવ્યને સચોટ રીતે આલેખતી પંક્તિઓ પણ નોંધપાત્ર છે. તેમાં લોકઅનુભવ અને માનવમનની ભીતરની સૃષ્ટિ ઝીલાઈ છે, જેમકે કુવચન દીધાં ન ફાઈ, સાલઈ હઈડા માંહિ માનસરોવર ઝીલીઓ, કાગ ન થાઈ હંસ. શામળનું સ્મરણ કરાવતી આવી અનેક પંક્તિઓ ઋષભદાસનાં કાવ્યોમાંથી મળે છે. જનજીવનના બહોળા અભ્યાસ અને સૂક્ષ્મ નિરીક્ષણોને આધારે તારવેલા સત્યને ક્યારેક સુભાષિત રૂપે નિરૂપ્યું છે. સરિખા દિન સરિખા વલી, નોહઈ સુર, નર, ઇંદ્ર, જીહાં સંપદ તિહાં આપદા, ચઢત પડત રવિ ચંદ. દૂધે સીંચ્યો લીમડો તોહે ન મીઠો થાય, અહિનઈં અમૃત પાઈઈ, તો સહી વિષ નવી જાય. સાયર સંદેશો મોકલે, ચંદા ! પુત્ર જુહાર ! ચઢ્યો કલંક ન ઊતરે, તુઝ પંપણષ મુઝ ખાર. તો કેટલીક બોધક પંક્તિઓ પણ મળે છે : Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194