Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 170
________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન વગેરે રાજાઓ દઢ રીતે સંયમ ધર્મનું પાલન કરતા મોક્ષ પામે છે. મલ્લી અધ્યયનમાં મલ્લી તીર્થંકર પોતાના સ્વરૂપ જેવી જ સુવર્ણપુતળી બનાવીને તેમાં પ્રતિદિન એક કવલ જેટલું અન્ન નાખે છે. અને મોહાસક્ત થયેલા જિતશંત્રિ આદિ રાજાઓને બહા૨થી સુંદર જણાતી કાર્યાની અશુદ્ધિઓ, અશુચિ અને મલિનતાનો પ્રત્યક્ષ ખ્યાલ આપે છે. ઉદક અધ્યયનમાં જિતશત્રુ રાજાનો અમાત્ય સુબુદ્ધિ કાદવવાળા પાણીને પરિશુદ્ધ કરાવીને, પુદ્ગલોના પરિણમનરૂપ તથા વિતથ વગેરે અર્થો રાજાને સમજાવે છે. ૧૬૩ તુંબક અધ્યયનમાં આઠ કર્મપ્રકૃતિના આવરણથી બુદ્ધ અને મુક્ત જીવની ગતિનો યથાતથ પ્રતિબોધ અપાયો છે. હૂંબક ઉપર લાગેલો માટીનો લેપ ધોવાઈ જતા હળવું બનીને તે તરીને પાણીની ઉપર આવી જાય છે તેમ સાધક પ્રાણાતિપાત વિસ્મણ યાવત મિથ્યાદર્શનશલ્યવિસ્મણથી ક્રમશઃ આઠ કર્મપ્રકૃતિઓને ખપાવીને આકાશતલની તરફ જઇને લોકાગ્રભાગમાં સ્થિત થઈ જાય છે. વૈકિય સમુદ્ધાતનો ઉલ્લેખ પણ અનેકવાર આવે છે. સત્તરમાં અધ્યયનમાં સમુદ્રી અશ્વનાં દૃષ્ટાન્તમાં માધ્યમથી સમજાવ્યું છે કે શબ્દ, રૂપ આદિ વિષયોમાં મુગ્ધ માનવી સમુદ્રી અશ્વની જેમ પરાધીન બને છે અને વિષયોથી વિરક્ત બનેલા સ્વાધીન થઈ આત્મસુખના અધિકારી બને છે. લોકરંજક કથાઓના માધ્યમથી સત્કર્મમાં પ્રવૃત્તિ અને અસત્કર્મમાંથી નિવૃત્તિનો સદ્બોધ અહીં અપાયો છે. કથાનાયકો અને નાયિકાઓનો વર્તમાન ભવ અને પૂર્વભવોના વર્ણન દ્વારા કર્મપરિણિત-કર્મફળનું અપરિહાર્ય મહત્ત્વ દર્શાવાયું છે. જ્ઞાતાધર્મકથાનું નિર્દિષ્ટ ધ્યેય મહાવીરસ્વામી પ્રરુપિત જ્ઞાનદર્શનનાં પ્રતિબોધ આપવાનું છે. લોકરંજક કથાઓના માધ્યમથી સત્કર્મમાં પ્રવૃત્તિ અને અરાત્કર્મોમાંથી નિવૃત્તિ-તેનું મુખ્ય લક્ષ્ય છે. કથાનાયકો અને નાયિકાઓના વર્તમાન ભય અને પૂર્વ ભવોના વર્ણન દ્વારા કર્મપરિણતિ-કર્મેપળનું અપરિહાર્ય મહત્ત્વ દર્શાવ્યું છે. કર્મો જ જીવમાત્રના ભૂત, ભવિષ્ય અને વર્તમાનાં નિશ્ચય કરે છે. પૂર્વજન્મકૃત કર્મને કારણે જ મનુષ્ય કર્મપરિણત નિર્ધારિત ગતિ-યોનિને પ્રાપ્ત કરે છે. મેઘકુમાર પ્રવજ્યા માટે માતાપિતાની અનુમતિ અનિવાર્ય હતી. પણ જ્ઞાતાધર્મકથા અનુસાર આ અનુમતિ સહજપણે મળતી હતી. પ્રજા અને રાજાનો ધર્મમાં અનુરાગ હતો. ગૃહત્યાગ કરીને દીક્ષા લેનારનું સ્થાન ગૌરવભર્યું હતું. દીક્ષાનો મહોત્સવ ધામધુમથી ઉજવાતો. ચાવચ્ચાપુત્રની દીક્ષા વખતે કૃષ્ણમહારાજા નગરના લોકોને ઘોષણા કરીને જણાવે છે કે જેને પ્રવજ્યા લેવાની ઇચ્છા હોય તેની કૌટુંબિક જવાબદારી પોતે ઉપાડી લેશે. અર્થાત્ દીક્ષા લેવા માટે અનુમોદન આપે છે. ધાર્મિક પરિસ્થિતિઃ પાંચમા અધ્યનમાં શુકપરિવ્રાજકની કથા છે. તે પોતાના ધર્મને શોર્યપ્રધાન માને છે. તે ઋગ્વેદાદિ ચારે વેદનો અને ષષ્ટિમંત્ર, સાંખ્યમત વગેરેનો જ્ઞાતા હતો. પાંચ યમ અને પાંચ મિયનથી યુક્ત શૌચમૂલક દસ પ્રકારના ધર્મનું તે નિરૂપણ કરતો હતો. ત્રિદંડ, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194