Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 141
________________ ૧૩૪ વિવિધા અને નિયુક્તિઓમાં ઉલ્લેખિત અન્ય નિયુક્તિઓનાં નામ વગેરેને આધારે એમ કહી શકાય કે નિયુક્તિઓનો રચનાક્રમ પણ આ જ હશે. રચનાપદ્ધતિ સામાન્ય રીતે નિર્યુક્તિમાં મૂળ ગ્રંથના પ્રત્યેક પદ વિશે વિસ્તારથી સમજૂતી આપવામાં આવતી નથી, પણ પારિભાષિક શબ્દો વિશે અર્થવિસ્તાર કરવામાં આવે છે. નર્યુક્તિની વ્યાખ્યાનશૈલી નિક્ષેપ પદ્ધતિના રૂપમાં પ્રસિદ્ધ છે. આ પદ્ધતિમાં કોઈ એક પદના સંભવિત અનેક અર્થ આપ્યા પછી એમાંથી અપ્રસ્તુત અર્થોનો નિષેધ કરીને પ્રસ્તુત અર્થને ગ્રહણ કરવામાં આવે છે. જૈન ન્યાયશાસ્ત્ર પણ આ પદ્ધતિનું ઘણું મહત્ત્વ છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુએ નિર્યુક્તિનું પ્રયોજન દર્શાવીને આ પદ્ધતિને જ નિર્યુક્તિ માટે ઉપર્યુક્ત હોવાનું જણાવ્યું છે. અન્ય દૃષ્ટિએ જોઈએ તો નિક્ષેપ-પદ્ધતિને આધારે કરેલા શબ્દાર્થના નિર્ણય-નિશ્ચિયનું નામ જ નિર્યુક્તિ છે. આચાર્ય ભદ્રબાહુએ આવશ્યકતુર્યક્તિમાં સ્પષ્ટ જણાવ્યું છે કે णिज्जुत्ता ते अत्था जं बद्धा तेण होइ णिज्जुत्ती । तहविय इच्छावेइ विभासिउं सुत्तपरिवाडी ॥८८॥ એક શબ્દના અનેક અર્થ હોઈ શકે છે, પણ કયો અર્થ કયા સંદર્ભમાં ઉપર્યુક્ત છે, ભગવાન મહાવીરના ઉપદેશના સમયે કયા શબ્દ સાથે કયો અર્થ સંબદ્ધ હશે, તે હકીકતને દૃષ્ટિ સમક્ષ રાખીને જ સમ્યકરૂપથી અર્થનિર્ણય કરવો અને અર્થનો મૂળ સૂત્રના શબ્દો સાથે સંબંધ સ્થાપિત કરવો તે જ નિયુક્તિનું પ્રયોજન છે. આવશ્યકનિર્યુક્તિ આવશ્યક નિર્યુક્તિ આચાર્ય ભદ્રબાહુની પ્રથમ નિર્યુક્તિ છે, વિષયવૈવિધ્યની દૃષ્ટિએ અન્ય નિર્યુક્તિઓની અપેક્ષાએ વધારે મહત્ત્વપૂર્ણ છે. આવશ્યકનિયુક્તિ એ આવશ્યકસૂત્રના સામાયિક આદિ છ અધ્યયનો વિશેની પ્રાકૃત ભાષામાં લખાયેલી - પ્રાચીન પદ્ય ટીકા છે. તેના વિશે જિનભદ્ર, જિનદાસગણિ, હરિભદ્ર, કોટ્યાચાર્ય, મલયગિરિ, મલધારી હેમચંદ્ર, માણિજ્યશેખર વગેરે આચાર્યોએ વિવિધ વ્યાખ્યાઓ પણ રચી છે. આવશ્યક નિર્યુક્તિના આરંભમાં ઉપોદૂધાત છે, ત્યારબાદ નમસ્કાર, ચતુર્વિશતિસ્તવન, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રાયશ્ચિ. ધ્યાન, પ્રત્યાખ્યાન વગેરે વિશે નિક્ષેપ પદ્ધતિથી વ્યાખ્યા કરવામાં આવી છે. આ નિર્યુક્તિની ગાથા-સંખ્યા વિશે મતભેદ પ્રવર્તે છે. વૃત્તિકાર હરિભદ્રસૂરિએ કુલ સંખ્યા ૨૩૮૬ બતાવીને તેમાંથી ૨૫૬ ભાષ્યની અને ૪૫૦ પ્રક્ષિપ્ત ગાથાઓ હોવાનું બતાવીને તે બાદ રતાં ગાથાની મૂળ સંખ્યા ૧૬૨૩ હોવાનું જણાવ્યું છે. માણિજ્યશેખરકૃત' આવશ્યકનિયુક્તિદીપિકા'માં નિર્યુક્તિની ૧૬૧૫ ગાથાઓ છે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194