Book Title: Upmiti Bhav Prapancha Katha Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 343
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કેવલ સતત આ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રય ઉત્તરોત્તર ક્રમથી વિશિષ્ટ-વિશિષ્ટતર, વિશિષ્ટતમ તારા વડે યત્નથી સેવન કરવું જોઈએ. આ રીતે=પૂર્વમાં ગુરુએ કહ્યું એ રીતે, આચરતા તને રાગાદિ રોગો ઉપશમ થશે અર્થાત્ સર્વવિરતિના પાલનને અનુકૂળ મહાબલસંચયમાં વિઘ્નકારી એવા રાગાદિ રોગોનો ઉપશમ થશે, અન્યથા નહીં થાય=જો પૂર્વમાં કહ્યું એ પ્રમાણે યત્ન કરીશ નહીં અને મને જ્ઞાન, દર્શન, મળ્યું છે તેમ માનીને સ્વભૂમિકાનુસાર સ્વીકારાયેલા દેશવિરતિના સેવનમાત્રમાં સંતોષથી રહીશ તો રાગાદિ રોગનો ઉપશમ થશે નહીં, અને જે આ આવા પ્રકારની સઉપદેશના દાનના વિષયમાં પ્રવર્તતા ભગવાન એવા સદ્ધર્મગુરુઓની આ જીવ ઉપર દયા છે તે જ પરમાર્થથી આની દેશવિરતિને પાળનાર શ્રાવકની, પરિપાલનમાં સમર્થ પરિચારિકા જાણવી. ત્યારપછી આ જીવ તે ગુરુનું વચન સ્વીકારે છે= ગુરુએ જે કહ્યું તે સ્વીકાર કરે છે, યાવજ્જીવ મારા વડે આ=ગુરુએ કહ્યું એ, એ પ્રમાણે કરવું જોઈએ એમ નિશ્ચય કરે છે. દેશવિરતિવાળો કેટલોક કાલ આ ભગવંતના મતરૂપી મંદિરમાં રહે છે. ધન, વિષય, કુટુંબઆદિના આધારભૂત ભિક્ષાના પાત્ર જેવું જીવિતવ્યનું પાલન કરે છે. धर्मोत्साहमान्द्यम् ૩૨૦ तस्मिन्नवसरे एवं च तिष्ठतस्तस्य यो वृत्तान्तः संपन्नः सोऽधुना प्रतिपाद्यते । तत्र यदुक्तं यदुतसा तद्दया ददाति तस्मै तत्त्रितयमहर्निशं केवलं तत्र कदन्नेऽतिमूर्च्छितस्य वनीपकस्य न तस्मिन्नादर इति तदिहापि तुल्यमेवावसेयं, तथाहि - गुरोः सम्बन्धिनी दया सम्पादयत्येवास्य जीवस्यानारतं विशेषतो ज्ञानादीनि, तथापि कर्मपरतन्त्रतया धनादिषु मूर्च्छितचित्तोऽयं न तानि सम्यग् बहुमन्यते, अन्यच्च यथा 'असौ कथानकोक्तो मोहवशेन तत् कुभोजनं भूरि भुङ्क्ते, तद्दयादत्तं पुनः परमान्नमुपदंशकल्पं कल्पयति तथाऽयमपि जीवो महामोहाध्यातमानसो धनोपार्जनविषयोपभोगादिषु गाढमाद्रियते, गुरुदययोपनीतं तु व्रतनियमादिकमनादरेणाऽन्तराऽन्तरा सेवते वा न वा । यथा - असौ तद्दयोपरोधेन तदञ्जनं क्वचिदेव नेत्रयोर्निधत्ते तथाऽयमपि जीवः सद्गुरुभिरनुकम्पया प्रेर्यमाणोऽपि यदि परं तदनुरोधेनैव प्रवर्त्तते तथा ज्ञानमभ्यस्यति तदपि क्वचिदेव, न सर्वदा, यथा च- 'असौ तत्तीर्थोदकं पातुं तद्वचनेनैव प्रवर्त्तते' तथाऽयमपि जीवः प्रमादपरायत्ततयाऽनुकम्पापरगुरुचोदनयैव सम्यग्दर्शनमुत्तरोत्तरविशेषैरुद्दीपयति न स्वोत्साहेनेति । ધર્મના ઉત્સાહની મંદતા અને તે અવસરમાં=સદ્ગુરુના હિતચિંતાના ઉપદેશને સાંભળીને તેમના વચનાનુસાર યાવવ મારે કરવું જોઈએ એમ સંકલ્પ કરીને આ જીવ તે રાજમંદિરમાં રહે છે તે અવસરમાં, અને આ રીતે રહેતા=પૂર્વમાં કહ્યા પ્રમાણે ગુરુના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરતા, એવા તેનો વૃત્તાંત પ્રાપ્ત થયો તે હવે કહેવાય છે=કથાનકમાં કહેવાય છે. ત્યાં=કથાનકમાં, જે કહેવાયું, શું કહેવાયું ? તે

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396