Book Title: Tapagaccha Pattavali
Author(s): Kalyanvijay Gani
Publisher: Vijaynitisurishwarji Jain Library

View full book text
Previous | Next

Page 270
________________ પટ્ટાવલી ]. : ૨૧૯ :- શ્રી આણદવિમળસૂરિ લાખે ટંકના વ્યયપૂર્વક પ્રતિષ્ઠા મહેસે કરાવીને હજારે જિનપ્રતિમાઓની સ્થાપના કરી હતી. તેઓના વિહારમાં યુગપ્રધાનની માફક અનેક પ્રકારના અતિશયે–ચમત્કાર પણ થતા હતા. આ ઉપરાંત અમદાવાદ નગરમાં હુંકામતના સ્વામી મેઘજી નામના ઋષિ પિતાના મતને દુર્ગતિના કારણરૂપ માનીને, તે મતનો ધૂળની માફક ત્યાગ કરીને સમ્રાટ અકબ્બરની આજ્ઞાપૂર્વક તેમણે આપેલા બેંડવાજા વિગેરે વાજીંત્રોદ્વારા મહોત્સવપૂર્વક પચીશ મુનિઓ સાથે શુદ્ધ સંવેગી દીક્ષા સ્વીકારીને શ્રી હીરવિજયસૂરીશ્વરના ચરણકમળની સેવા કરનાર-ઉપાસક બન્યા હતા. આવી પ્રભાવશાલી હકીકત કોઈપણ આચાર્યના સંબંધમાં સાંભળવામાં આવી નથી. વળી સમરત સંવેગી સાધુઓના મુકુટ સમાન તે શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી હજારે હાથી અને લાખે અશ્વોના આધપતિ, ગુર્જર, માળવા, બિહાર, અથા, પ્રયાગ, ફતેપુર, દિલ્હી, લાહેર, મુલતાન, કાબુલ, અજમેર અને બંગાળ વિગેરે અનેક દેશોના બાર સૂબાઓના પણ સ્વામી મહારાજાધિરાજ પાદશાહ શ્રીઅકબરે પોતાના સમગ્ર પ્રદેશમાં છ મહિના સુધી “અમારી પ્રવર્તાવીને તેમજ “જીજીયા' નામને કર માફ કરીને સમસ્ત વિશ્વભરમાં પ્રગટપ્રભાવિક શ્રી જૈન શાસનનો પ્રભાવ વિસ્તાર્યો હતો. આને લગતો વિસ્તૃત હેવાલ હીરસૌભાગ્યકાવ્ય વિગેરે ગ્રંથિથી જાણું લેવો. સંક્ષેપથી ટૂંક હેવાલ નીચે પ્રમાણે છે – કોઈએક વખતે પોતાના પ્રધાન પુરુષોના મુખથી શ્રી હીરવિજયસૂરીશ્વરના અદ્ભુત શમ, દમ, સંવેગ, વૈરાગ્ય વિગેરે ગુણે સાંભળવાથી ચમત્કાર પામેલા અકબર બાદશાહે રાજમુદ્રાવાળું ફરમાન મોકલીને દિલ્હી દેશમાં આગ્રાની નજીક આવેલ ફતેપુર શહેરમાં દર્શન કરવાના નિમિત્તે ગંધાર બંદરથી મહોત્સવપૂર્વક લાવ્યા. એટલે રસ્તામાં અનેક ભવ્યરૂપી ક્ષેત્રમાં સમતિરૂપ બીજનું આરોપણ કરતાં શ્રી હીરવિજ્યસૂરિ અનુક્રમે વિહાર કરતાં કરતાં વિ. સ. ૧૬૩૯ના જેઠ માસની વદિ તેરશે ત્યાં આવી પહોંચ્યા. પછી તે જ દિવસે ઉપાધ્યાય શ્રી વિમળહર્ષ ગણિ આદિ અનેક મુનિસમૂહથી પરિવરેલા ગુરુશ્રી, બાદશાહને મંત્રીવર અબુલફજલ શેખદ્વારા બાદશાહ અકબરને મળ્યા, એટલે તે સમયે સમ્રાટ અકબરે તેમની સુખશાતા પૂછીને, પિતાના સભામંડપમાં બેસારીને પરમેશ્વરનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ કેવું હોય તેમજ પરમાત્મા -પદની પ્રાતિ કઈ રીતે થઈ શકે વિગેરે ધર્મ સંબંધી વિચારે પૂછવા લાગ્યા. એટલે ગુરુમહારાજે અમૃતમય વાણીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354