________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨
સંપૂર્ણપણે રાજ્યાભિષેકને યોગ્ય હોવા છતાં પુરુષોત્તમ શ્રીરામને વનવાસમાં કેમ જવું પડ્યું?
અનેક રાણીઓ હોવા છતાં લંકાપતિ રાવણને સીતાજીનું અપહરણ કરવાનું કેમ સૂઝ્યું? હે દેવરાજ, આ બધા કર્મના ખેલ છે. હું શોક કરતી નથી, અને વિસ્મય પણ પામતી નથી. મને કોઈ હર્ષ-શોક નથી. મારી તો આપને એટલી જ વિનંતી છે કે મારી પેટપીડા જલદી દૂર કરો. મારાં કર્મ હું પોતે જ ભોગવીશ.' હરિણગમૈષી દેવે સુલસાની શરીર-પીડા દૂર કરી અને તેઓ પોતાના સ્થાને ચાલ્યા ગયા.
ધન, ઐશ્વર્ય, ક્ષમતા, યશ, આત્મીયજનો, સ્વજનો, પતિ, પુત્ર, કન્યા બધાંમાં માણસનો કોઈ એક તો સાથ આપનારો મિત્ર હોય તે જરૂરી છે. જે સુખમાં સુખ મેળવીને આનંદ સો ગણો કરી દે! દુઃખમાં ભાગ પાડીને વ્યથા ઓછી કરી દે. સાચે જ પ્રભુ વીર એક એવા મારા પ્રિય સખા છે. સખા પાસે મન ખોલવાથી હૃદય, આકાશ જેવું મુક્ત, ઉદાર અને પ્રકાશમય થઈ જાય છે. પણ પ્રભુ વીર તો મનના એવા પારખું છે કે એમની પાસે મન ખોલીને કાંઈ કહેવાની જરૂર જ નથી પડતી. એમને જોતાં જ સવા૨ના સૂર્યના સ્પર્શથી ફૂલની બધી પાંખડીઓ ખૂલી જાય એમ મન ખૂલી જાય છે. હૃદયમાં કાંઈ છૂપું નથી રહેતું. એમની દૃષ્ટિ સૂરજના પ્રકાશ જેવી હોય છે અને મન જાણે ખીલતું ફૂલ!
તેથી મનમાં વેદના જ્યારે અસહ્ય થાય છે ત્યારે મહાવીરનાં દર્શનની ઇચ્છા જાગે છે. એમના વિના મનની આટલી બધી વેદના બીજા કોઈ પાસે રજૂ કરી શકાય નહીં. સંસારની બધી વાતો ગમે તે કોઈની પાસે તો ૨જૂ કરી શકાય નહીં. પ્રભુ પાસે બધી ગોપનીયતા, બધી રુધામણ, કોણ જાણે કેમ, બધા અંતરાય દૂર થઈ જાય છે. એટલે એમને હું ખૂબ ચાહું છું.
મારા પ્રભો, હું કાંઈ ન જાણું. મૌનપણે તમને બસ, ચાહ્યા કરું... પ્રેમપયોધી! તમે કેવા પાવન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસો. તમે જાણે અષાઢી ઘન નખિશખ નીતરી નીતીને નહાયા કરું... સ્નેહસખા તમે સદા સુહાગી
For Private And Personal Use Only
સુલસા