________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“તો પછી ઈશ્વર શું કરે?' ઈશ્વર સૃષ્ટિને બતાવે! બનાવે નહીં.' કેવી રીતે બતાવે?'
એમના કેવળજ્ઞાનમાં ચરાચર વિશ્વ દેખાય છે. જેવું દેખાય છે તેવું તેઓ જીવોને બતાવે, સમજાવે...'
શું ભગવાન મહાવીર એ રીતે સૃષ્ટિદર્શન કરાવે છે?' “હા, તેઓ સમગ્ર સૃષ્ટિનું સંપૂર્ણ દર્શન કરાવે છે.' સુલસાએ કહ્યું. આગળ વધતાં તેણે સમજાવ્યું :
“પ્રભુ વિર તો આ નિઃસાર દુઃખપૂર્ણ, દુઃખરૂપ અને દુ:ખદાયી સંસારમાંથી જીવોને મુક્ત કરવાના ઉપાયો બતાવે છે...આવું દુ:ખદાયી સર્જન ઈશ્વરનું હોય જ નહીં. આવી દુ:ખપૂર્ણ દુનિયાની રચના જો ઈશ્વરે કરી હોય તો એવા ઈશ્વરને સજા થવી જોઈએ! માટે તમે ઈન્દ્રજાલમાં ફસાઓ નહીં. આ બધી ઇન્દ્રજાલની વાતો છે.'
પણ તુલસા, સાચું કહેજે, તને બ્રહ્માનું રૂપ જોવાનું પણ મન નથી થતું? ભલે તું એમનો સિદ્ધાંત ન માને, પણ એક સ્ત્રી તરીકે તને તેમનું અદ્ભુત રૂપ જોવાની ઇચ્છા નથી થતી?'
મારી બહેનો, મને પહેલું ગમ્યું હતું પતિનું રૂપ, બીજું ગમ્યું જગપતિનું રૂપ! બસ, ધરાઈ ગઈ છે. હવે બીજાં રૂપો જોવાની કોઈ ઇચ્છા રહી નથી.”
પણ જોવામાં પાપ તો ન લાગે ને?' એક સખી બોલી. જોઈને મોહ જાગે તો પાપ લાગે, જોઈને વેષ જાગે તો પાપ લાગે!” “તો તો આંખો બંધ રાખીને જ જીવવાનું ને?'
ના, આંખો ખુલ્લી રાખીને અને હૃદયને સંભાળીને જીવવાનું જે દેવો પત્નીને સાથે રાખે છે, તેઓ ક્યો ઉપદેશ આપી શકે? રાગ-દ્વેષ અને મોહ ઉપર વિજય મેળવ્યા વિના કોઈ આત્મા પરમાત્મા બની શકતો નથી.
ખેર, એ કેવા છે ને શું કહે છે, એની સાથે મારે બહુ સંબંધ નથી. હું મન-વચન-કાયાથી પ્રભુ વીર સાથે પ્રીત બાંધીને બેઠી છું. મારી આ પ્રીતિ ગુણાતીત છે, મૂલ્યાતીત છે. મને પ્રભુ ગમી ગયા છે. મને એમના તરફથી કોઈ અપેક્ષાઓ નથી, કામનાઓ નથી. લાભની લાલચ નથી, લોભનાં હવાતિયાં નથી. પ્રેમની પ્રેમલ જ્યોત પ્રગટે એટલે પછી લાભ ને લોભ ટકી શકતા નથી. પ્રભુ સાથેના આ પ્રેમમાં હવે મને પરમાત્મા અને
૨૧૨
સુલાસા
For Private And Personal Use Only