Book Title: Sulsa
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 221
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરવર સરિતા રહે ઊભરાતાં બેઉ કાંઠે નીર પણ ઝંખે વર્ષો બિન્દુને ચાતકની આ કેવી પર...મનમાં. મેળા ને ટોળાથી ભર્યા આ જગમાં મારે એક તું દૂરીની મજબૂરી ચૂરી...મળો મહાવીર રૂબરૂ...મનમાં. ત્યાં બ્રહ્માજીનો એક ઉપાસક આવી ચડ્યો. તેણે સુલતાને કહ્યું : “સુલસા, તું બ્રહ્માજીને ઓળખે છે? આ સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્માજીએ કરી છે!” કેમ?' સુલસાએ પૂછ્યું : એમને ઇચ્છા થઈ. માટે....' કેવી ઇચ્છા થઈ?” જોડ$ વહુરચા- હું એક છું, અનેક થાઉં?' શા માટે?” ઇચ્છા એટલે ઇચ્છા. સહજ રીતે ઇચ્છા પ્રગટી.” ઈશ્વરને ઇચ્છા હોય? અને ઇચ્છા હોય તે ઈશ્વર કહેવાય? ઇચ્છા તો. અપૂર્ણતાની નિશાની છે. ઇચ્છા અપૂર્ણ જીવને થાય. તમારો ઈશ્વર અપૂર્ણ છે કે પૂર્ણ?' અરે, બ્રહ્માજી તો સર્વશક્તિમાન છે. તેમને કંઈ અસાધ્ય નથી.” તુલસાએ કહ્યું : “બ્રહ્માજી સર્વશક્તિમાન હોય, તો તેમણે આવી દુ:ખપૂર્ણ, યાતનાપૂર્ણ, વેદનાપૂર્ણ સૃષ્ટિ કેમ રચી?' સુખ-દુઃખ તો જીવ જેવાં કર્મ કરે તે પ્રમાણે પામે..” “જો જીવોને બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા હોય તો પાપકર્મ કરનારા માણસ કેમ પેદા કર્યા? પુણ્યકર્મ કરનારા જીવો ઉત્પન્ન કરવા જોઈએ ને? ખોટાં કામ કરનારા જીવોને ઉત્પન્ન કરનાર સર્વશક્તિમાન ન કહેવાય.' “તો પછી આ સૃષ્ટિ કોણે ઉત્પન્ન કરી?' કોઈએ નહીં! એટલે?” આ સૃષ્ટિ અનાદિકાળથી છે. એની ક્યારેય ઉત્પત્તિ નથી થઈ! એને કોઈએ ઉત્પન્ન નથી કરી!' શું ભગવાન મહાવીર આ પ્રમાણે કહે છે?' હા, પ્રભુ વીર આ સૃષ્ટિને અનાદિ કહે છે અને અનંત કહે છે. સૃષ્ટિને આદિ નથી કે અંત નથી...!” સુલાસા ૨૧૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267