Book Title: Sulsa
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 262
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બેસવા માટેનું કાષ્ઠાસન, ૬. છ નાળચાનું કાષ્ઠપાત્ર, ૭. દેવાર્શન માટે વૃક્ષ પરથી પુષ્ય ઉતારવાનું સાધન અંકુશ, ૮, ભૂમિપ્રમાર્જન માટેનું વસ્ત્ર, ૯. પવિત્ર તામ્રપાત્ર, ૧૦. હાથે પહેરવાનું સ્વર્ણકંકણ, ૧૧. છત્ર, ૧૨. ચાખડી, ૧૩. પાદુકા અને ૧૪. ભગવા વસ્ત્ર. આ ચૌદ વસ્તુઓ ત્યાગીને પવિત્ર ગંગાની સામે પાર જઈએ.' બધાંજ-૭૦૦ તાપસીએ વાત સ્વીકારી. દરેકે પોતપોતાની ૧૪-૧૪ વસ્તુઓ ત્યજી દીધી. મમત્વ છોડી દીધું, અને ગંગાના કિનારે આવી ઊભા. સૌ નિશ્ચલ અને શાંત હતા. શ્વેત શુભ્ર આકાશ ટમટમતા તારાઓથી ખીચોખીચ હતું. વાયુની ઠંડી લહેર દેહને વીંટળાઈ વળતી હતી. નદીનાં ઊછળતાં પાણીનો વિશાળ પટ અતિશય શાંત અને ગંભીર લાગતો હતો. દિવસે આકાશને આંબતો આ વિશાળ પટ અંધકારના સામ્રાજ્યમાં એકદમ લીન થઈ ગયો હતો. કિનારા પરના પથ્થર અને રેતી સાથે અફળાતાં મોજાના ધ્વનિ માત્ર સંભળાતા હતા. આ ધ્વનિઓથી ત્યાંનું વાતાવરણ અતિ ગંભીર બની ગયું હતું. ત્યાં ઊભા રહીને અંબડ અને એના શિષ્યો ગંભીર શાંતિને માણવા લાગ્યા, પૂર્વ દિશામાં પ્રભાતનું વ્હો ફાડ્યું. અંધકારનું સામ્રાજ્ય દૂર થતાં ગંગા નદીનો પટ જાણે ફરી નીલ આકાશના કરમાં સોંપીને ઊભો હતો. ધીરે ધીરે અંકુર ફૂટે તેમ દૂર ગંગામાતાના ઉદરમાંથી સૂર્યદેવ જાણે ઉપર આવતા હતા. એ વખતે સાતસો તાપસો સાથે અંબડે ગંગાને પાર કરી. સામે કિનારે પહોંચ્યા. સૌને ચાર આહારનો ત્યાગ કરાવી અંબડે કહ્યું : “હવે અહીં આપણે આ ગંગાની પવિત્ર રજનો સંથારો બિછાવી, કપાઈને પડેલા વૃક્ષની જેમ નિચ્ચેષ્ટ બનીને, મૃત્યુની ઇચ્છા વિના સૂઈ જવાનું છે.” ક, સહુ પર્યકાસને બેસી ગયા. જ ન હાલવાનું, ન ચાલવાનું, ન બોલવાનું! કોઈ શારીરિક ક્રિયા નહીં. * તેઓ આંખો બંધ કરી મસ્તકે અંજલિ જોડી બોલ્યા : ‘णमोत्थु णं अहिरंताणं जाव संपत्ताणं ।' । 'समणस्स भगवओ महावीरस्स जाव संपाविउकामस्स नमोथ्यु णं।' મુક્તિને પ્રાપ્ત કરેલા શ્રી અર્હત પ્રભુને અમારા નમસ્કાર હો. ઉપર સુલાસા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267