Book Title: Sulsa
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 251
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોત નહીં માનવીનો છેલ્લો મુકામ જાવું જ્યાં છે પૂરણ કેરાં ધામ પગને જો ફૂટે પાંખો તો જાવું છે ત્યાં અમૃત ઝરે જ્યાં જિનનાં અખંડ પીવા તે અમૃતના પ્યાલા નિશદિન કર્મોનાં બંધન થાયે ખંડ-ખંડ પ્રભુને પિછાણ્યા મેં તો પ્રેમથી નાની આ જિંદગી બની કિલ્લોલ, મૃત્યુ અને પ્રભુ પામવા સોપાન સમતા-સમાધિ મળે અણમોલ! મોતને ન માનું શોકનું ટાણું એને તો ઉત્સવરૂપ જ માણું! હવે કરવો છે મુક્તિમાં આરામ મોત નહીં માનવીનો છેલ્લો મુકામ. અનશન કરવા માટેની પૂર્વતૈયારી મેં કરી લીધી છે. ઇન્દ્રિયવિજય અને કષાયજય મેં પ્રાપ્ત કર્યો છે. અંતિમ આરાધના કરીને મારે સમાધિમય અનશન કરવું છે. મને મારા પ્રભુની અનુજ્ઞા મળી ગઈ છે. આ જીવનની વિદાયવેળા આવી ગઈ છે. હવે તો વિદાયવેળાનાં ગીત ગાવાનાં છે. સુલસાની ઉગ્ર તપશ્ચર્યાની વાત રાજગૃહીના ઘરેઘરે પહોંચી ગઈ છે. સુલસાની કુશળ પૃચ્છા કરવા સ્ત્રી-પુરુષોની સતત અવર-જવર ચાલુ થઈ ગઈ છે. સુલતાના તન-મનને જરા ય શ્રમ ન પહોંચે એ રીતે નગરજનો દર્શન કરી, અનુમોદના કરીને જાય છે. સલસાની સખીઓ સુલસાની વૈિયાવૃત્યમાં તત્પર છે. રાજગૃહીમાં પધારેલાં સાધ્વીજી પણ સુલસાને ધર્મલાભ” ના આશીર્વાદ આપવા આવે છે. સુલતાની હવેલી સ્ત્રી-પુરુષોથી ભરાયેલી છે. સુલસી સુખાસન પર બેઠી છે. તપનું તેજ છે. સૌમ્યતાનો શીતલ પ્રકાશ છે. પ્રેમ અને ભક્તિનો પ્રવાહ સ્ત્રી-પુરુષનાં હૃદયમાંથી સુલસા તરફ વહી રહ્યો છે. રાજગૃહીમાં સુલસાની લોકપ્રિયતા ચારેય દિશામાં ફેલાયેલી હતી. એના અવિરત દાનધર્મે એને લોકોના હૃદયમાં સ્થાપિત કરી હતી. એના પ્રભુપ્રેમે રાજગૃહીને ગાંડી કરી દીધી હતી. એના શીલધર્મની ઉત્કૃષ્ટ સુવાસ વ્યાપક બનાવી હતી. એની સુલતા ૨૪૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267