________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકરત્વની ભેટ આપી પ્રભુ મને એની સાથે જ જે મિત્રોને હું ઓળખતી જ ન હતી તે મિત્રોની સાથે તેં મારી પિછાન કરાવી દીધી! “જિત્તિ મે રધ્ધ ભૂરતુ' ને ચરિતાર્થ કરવાનું કાર્ય સોંપ્યું. મારું પોતાનું ન હતું એવું ઘરેઘર મારું ઘર બની ગયું. પ્રભુ! તેં દૂરનાને નજીક આસ્થા અને અણઓળખીતાઓને મારા પોતાના મિત્રો બનાવ્યા!”
પ્રાણનાથ! હવે તું જ મારો જનમોજનમનો પથપ્રદર્શક છે. તું જ મારી અનંત જીવનયાત્રાનો મિત્ર છે. તારે જ મારા હૃદયને કરુણા અને પ્રેમનાં બંધનોથી અપરિચિતો જોડે મને જોડવાની છે.
મહારાજા શ્રેણિકની એક આંખમાં હર્ષનાં આંસુ હતાં, તો બીજી આંખ ઘોર વિષાદથી ઘેરાઈ ગઈ હતી. તેણે ભગવંતને પૂછયું : “મારા નાથ, મારે નરકમાં ન જવું પડે, શું એવો કોઈ ઉપાય નથી?
છે રાજનું, કાલસૌરિક કસાઈ પાસે કસાઈનું કામ છોડાવી દે અને કપિલા નામની દાસી પાસે સાધુઓને ભિક્ષા અપાવી શકે, તો તારે નરકમાં ન જવું પડે...”
શ્રેણિક રાજા હતો. સત્તાધીશ હવો. મગધદેશનો સર્વેસર્વા હતો. ભગવાને બતાવેલા બે ઉપાયો એને સરળ લાગ્યા. તેણે મહેલમાં જઈને પહેલું કામ આ કર્યું. કપિલાને બોલાવીને તેને કહ્યું : “તું સાધુઓને શ્રદ્ધાથી ભિક્ષા આપ. હું તને ખૂબ ધન આપીશ.”
કપિલાએ કહ્યું : “મહારાજા, મને સોનાથી મઢી દો અથવા મારી નાખો, પણ હું સાધુઓને ભિક્ષા આપવાનું દુષ્કૃત્ય નહીં કરું, નહીં જ કરું.”
રાજાએ કપિલાને કાઢી મૂકી. કાલસૌરિક કસાઈને બોલાવીને કહ્યું : “જો તું કસાઈનો ધંધો છોડી દે તો હું તને ઘણું ધન આપું.”
કાલસૌકરિ કે કહ્યું : “મહારાજા, કસાઈના ધંધામાં શો દોષ છે? એનાથી તો અનેક માણસો જીવે છે, માટે હું કસાઈનો ધંધો નહીં છોડું.'
રાજાએ કસાઈને એક કૂવામાં લટકાવી દીધો. દિવસ ને રાત તેને લટકાવી રાખ્યો અને કહ્યું : “હવે તું કસાઈનો ધંધો કેવી રીતે કરીશ?' રાજા પ્રભુ વીર પાસે ગયો અને કહ્યું : “હે પ્રભો! મેં કસાઈને એક દિવસ-રાત કૂવામાં લટકાવી દીધો છે. તેથી- કસાઈનું કામ તેણે કર્યું નથી.' પ્રભુએ કહ્યું : “રાજનું, કૂવામાં પણ માટીના પાંચસો પાડા બનાવીને એણે
૧૭૨
સુલાસા
For Private And Personal Use Only