________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ તો બાલ્યકાળથી મારો જિદ્દી સ્વભાવ જાણો છો તોફાનોની સામે જવામાં મને મઝા આવે છે! સંકટોનો પ્રાણના ભોગે મુકાબલો કરવાનો મને ગમે છે! આંતરશત્રુઓ સામે ઘણું ઝઝૂમ્યો! પ્રાણ હોડમાં મૂક્યા. પરંતુ ભવિતવ્યતાને કોઈ મિથ્યા નથી કરી શકતું અને એક દિવસ મારું પતન થયું..”
હે મહામુનિ! એ પતનમાં પણ આપ રોજ ૧૦૧૦ મનુષ્યોનું ધાર્મિક ઉત્થાન કરતા હતા ને! રોજ ૧૦૧૦.મનુષ્યોને ભગવાન પાસે મોકલતા હતા, ને તેઓ દીક્ષા લેતા હતા! મુનિરાજ, આપનો આત્મા તો ત્યાં પતનના કૂવામાં ય જાગ્રત હતો! નહીંતર આવો ભવ્ય પુરુષાર્થ થઈ જ ન શકે ને? છેવટે વિજય તો આપનો જ થયો!'
મહામંત્રી! હું ત્યાં વેશ્યાગૃહમાં રાહ જોતો હતો...રાહ જોવાનો પણ મારો આનંદ હતો! જ્યારે હું ૧૦ પુરુષોને, કામી-વિકારી પુરુષોને પ્રતિબોધ કરતો ત્યારે મારું અંતઃકરણ આનંદ આનંદ અનુભવતું હતું. વહી જતી પવનની લહેરખીઓમાંથી મધુરતા પ્રગટતી હતી. પ્રભાતના અજવાળાથી. હું ત્યાં દ્વાર પાસે બેસતો. હું જાણતો હતો કે કોઈ સુખદ પળે, અચાનક જ હું કંઈક કરી લઈશ! મને મારા ઉજ્વળ ભવિષ્યના પડઘા સંભળાતા હતા. પરમ ગુરુદેવ ભગવાન મહાવીર મારા સ્મૃતિપટ પર હતા! તેઓએ જ કદાચ પેલા દશમા પુરુષ સોનીને પ્રતિબોધ પામવા નહીં દીધો હોય.. જેથી દશમ હું જ પુનઃ ગુરુદેવના ચરણે પહોંચી જાઉં!” સુલસા બોલી ઊઠી :
હે મારા સ્વામી! હે વીર પ્રભુ! હું તમારું ક્યું સ્વરૂપ સંભારું ને કહ્યું ન સંભારું? જ્યારે મારું હૃદય કઠોર અને શૂન્ય બને છે ત્યારે તમે દયાના દેવરૂપે પ્રગટો છો! જેવી રીતે મહામુનિ નંદીષેણની સામે પ્રગટ્યા! આપ તો સોનીનું રૂપ કરીને નહોતા ગયા ને?
જ્યારે જ્યારે જીવનમાંથી હું રસ ખોઈ બેસું છું ત્યારે તમે કોઈ મધુર ગીતાવલિના સરોદરૂપે મારા અંતરને ભીંજવી જાઓ છો. જ્યારે કામની અસંખ્ય ધમાલોથી હું આકુળ-વ્યાકુળ બની જાઉં છું ત્યારે તમે મારા નાથ! મારી પાંપણ પર બેસી જરાક નિદ્રાઘેનની મોહિની બંસી છેડી મને આરામ આપી જાઓ છો. કોઈ વખત મારું ભીરુ કંગાળ હૃદય કોઈ એક અંધારખૂણામાં રાંકની
૮૮
સુલતા
For Private And Personal Use Only