________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જોતજોતામાં બાળકો આઠ વર્ષનાં થઈ ગયાં.
અરણ્યની નદીઓએ એમને એ પાઠ શીખવ્યો કે માનવીનું જીવન સતત વહેતું હોવું જોઈએ. સ્વાર્થી અને સંકુચિત જીવનનો તેમને સ્પર્શ પણ થયો ન હતો. રાજગૃહીના પાંચ પહાડોનાં ઊંચાં ઊંચાં શિખરો એમને ઊંચા બનવાનું શીખવતાં હતાં. ઉપર નીલગગન એમને નિર્મળ હૃદયવાળા થવાની શિખામણ દેતું હતું. જાતજાતનાં પ્રાણીઓ અને છાંયડો દેતાં વૃક્ષો એમને જનતા માટે મરી મીટવાનો સંદેશો આપતાં હતાં. પક્ષીઓનું ઉન્નત ઉડ્ડયન એમને સાહસિક બનવા પ્રોત્સાહિત કરતું હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પુત્રો સ્વેચ્છાથી વનોમાં વિહરતા હતા. વાવડીઓમાં નહાવા પડતા હતા. નદીમાં તરણ-સ્પર્ધા કરતા હતા.
-
મારા પહેલા પાંચ પુત્રો - અગ્નિજિત, વાયુજિત, પૃથ્વીજિત, ઇન્દ્રજિત અને શત્રુજિત રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યા. એમના વિદ્યાગુરુના માર્ગદર્શન નીચે તેઓ પ્રગતિ કરવા લાગ્યા. તે પછીના પાંચ પુત્રો દેવદત્ત, ઇન્દ્રદત્ત, પ્રભુદત્ત, પુષ્પદંત અને કમલદંત, અશ્વારોહણમાં અને ગદાયુદ્ધમાં શિક્ષણ લેવા લાગ્યા. તે પછીના પાંચ પુત્રો કમલ, વિમલ, અતુલ, અનંત અને અક્ષય તલવારબાજી અને ભાલાફેંકનો અભ્યાસ કરવા લાગ્યા.
તે પછીના પાંચ પુત્રો - સુધર્મા, સુરુચિ, સંયમ, સાગર અને સુનિધિ ધર્મશાસ્ત્રોના અધ્યયનમાં વિશેષ રુચિ લેવા લાગ્યા. મેં એમને નવ તત્ત્વો સમજાવા માંડ્યાં. વિશ્વ વ્યવસ્થા બતાવવા માંડી...તેઓ મનની એકાગ્રતાથી સમજાવવાનો પ્રયત્ન કરતા હતા.
તે પછીના પાંચ પુત્રો - કુલીન, અકલંક, માણેક, રત્નાંશુ અને સુરમ્ય કાવ્યરચના, નાટક, કથા વગેરે કળાઓ શીખવા લાગ્યા. સાથે સાથે શસ્ત્રકળાતો એમને મળતી જ હતી,
તે પછીના પાંચ પુત્રો - વિશ્વબંધુ, વિશ્વમિત્ર, વિશ્વાનંદ, વિશ્વરત્ન અને વિશ્વાસ હાથીઓ ઉપર સવારી કરી, શત્રુદળ ઉપર કેવી રીતે આક્રમણ કરવું તેની તાલીમ લેવા લાગ્યા, જેથી ભવિષ્યમાં તેઓ હસ્તીદળના સેનાપતિ બની શકે.
છેલ્લા બે પુત્રો અનલ અને આદિત્ય ભીમ જેવા પરાક્રમી હતા. તેમને ગદાયુદ્ધમાં અને શરીરબળમાં સજ્જ કરવામાં આવતા હતા.
સુલસા
For Private And Personal Use Only
૪૭