________________
- સમવસરણ છે. भामण्डलं दुन्दुभिरातपत्रं સત્રાતિહાર્યા વિનેશ્વરમ્ | R
उप० तरं०, पृ० २३४, (य० वि० ग्रं०) અશોકવૃક્ષ, દેવાથી કરાતી પુષ્પવૃષ્ટિ, દિવ્ય-ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને આતપત્ર-છત્ર આ આઠ જિનેશ્વરેનાં પ્રાતિહાર્યો છે. પ. બાર પર્ષદા – मुणि वेमाणिणि समणी, सभवणजोइवणदेविदेवति। कप्पसुरनरिस्थितियं, ठंतिग्गेयाइविदिसासु ॥६॥
સમવસરળ૦, . ૧. - અગ્નિ આદિક વિદિશાઓને વિષે પર્ષદાઓ બેસે છે, તે આ પ્રમાણેઃ–પહેલાં સાધુઓ, પછી વૈમાનિકની દેવીઓ અને પછી સાધ્વીઓ એ ત્રણ પર્ષદા પૂર્વ દિશાના દ્વારે પ્રવેશ કરી અગ્નિ ખૂણામાં અનુક્રમે બેસે છે. ભવનપતિની દેવીએ,
જ્યોતિષ્કની દેવીઓ અને વાનભંતરની દેવીઓ એ ત્રણ પર્ષદાઓ દક્ષિણ દિશાના દ્વારે પ્રવેશ કરી નૈઋત્ય ખૂણામાં અનુક્રમે બેસે છે. ભવનપતિ, તિષ્ક અને વાનવ્યંતર દેવે આ ત્રણ પર્ષદાઓ પશ્ચિમ દિશાના દ્વારે પ્રવેશ કરી વાયવ્ય ખૂણામાં અનુક્રમે બેસે છે. તથા વૈમાનિકદે, પુરુષ અને સ્ત્રીઓ, એ ત્રણ પર્ષદા ઉત્તર દિશાના દ્વારે પ્રવેશ કરી ઈશાન ખૂણામાં અનુક્રમે બેસે છે. ૬.