Book Title: Shrutsagar 2015 05 06 Volume 01 12 13 Author(s): Hiren K Doshi Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુવાણી આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી આચાર્યશ્રીની અમૃતવાણી કાનને સાઉન્ડપ્રક કરો અને દિમાગને એરકન્ડીશન બનાવો. આ દેહનું મકાન તો આત્મારાભાઈએ લીઝ પર લીધેલું છે. એ મકાનને એરકન્ડીશનમાં રાખવાને બદલે દિમાગને એરકન્ડીશનમાં રાખો. આપણે સાધુઓ તો આધ્યાત્મિક હૉસ્પિટલ ચલાવીએ છીએ. ઉપાશ્રય એ ઇમર્જન્સી વોર્ડ” કહેવાય. કોઈ ઘાયલ થઈને ગમે ત્યારે આવે, પણ આપણું કામ તો એને સંતોષની સારવાર અને ચિત્તની સ્વસ્થતા આપવાનું છે. આ ભવે જીભનો દુરુપયોગ કરીએ તો જીભ નહીં મળે. કાનનો દુરુપયોગ કરીએ તો કાન નહીં મળે. પરભવમાં આ બધી વસ્તુ દુર્લભ બની જશે. જો તમારે ગુણની આરાધના કરવી હોય તો તીર્થંકર પરમાત્માની કરશે. પ્રભુની ભક્તિ કરો, અમારી નહીં. સાધુને માટે પ્રસંસા ઝેર સમાન છે. જ્ઞાતા-દષ્ટ ભાવ જે જેમ કેળવીએ તેમ તેમ સમભાવ આવે છે. રાગ-દ્વેષ જીતવાનો ઉપાય સાક્ષીભાવથી રહેવું એ જ છે. ગુરુની જેટલી સેવા કરીએ તેટલી ઓછી. એમના આશીર્વાદ અને સેવાથી જ વિદ્યા ફળે. સાધુના દ્વાર સદાય ખુલ્લા જ હોય છે. સહન કરવું, ક્ષમા કરવી અને સેવા કરવી એ જ છે જીવનમંત્ર. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 84