________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુવાણી
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી આચાર્યશ્રીની અમૃતવાણી કાનને સાઉન્ડપ્રક કરો અને દિમાગને એરકન્ડીશન બનાવો. આ દેહનું મકાન તો આત્મારાભાઈએ લીઝ પર લીધેલું છે. એ મકાનને એરકન્ડીશનમાં રાખવાને બદલે દિમાગને એરકન્ડીશનમાં રાખો.
આપણે સાધુઓ તો આધ્યાત્મિક હૉસ્પિટલ ચલાવીએ છીએ. ઉપાશ્રય એ ઇમર્જન્સી વોર્ડ” કહેવાય. કોઈ ઘાયલ થઈને ગમે ત્યારે આવે, પણ આપણું કામ તો એને સંતોષની સારવાર અને ચિત્તની સ્વસ્થતા આપવાનું છે.
આ ભવે જીભનો દુરુપયોગ કરીએ તો જીભ નહીં મળે. કાનનો દુરુપયોગ કરીએ તો કાન નહીં મળે. પરભવમાં આ બધી વસ્તુ દુર્લભ બની જશે.
જો તમારે ગુણની આરાધના કરવી હોય તો તીર્થંકર પરમાત્માની કરશે. પ્રભુની ભક્તિ કરો, અમારી નહીં. સાધુને માટે પ્રસંસા ઝેર સમાન છે.
જ્ઞાતા-દષ્ટ ભાવ જે જેમ કેળવીએ તેમ તેમ સમભાવ આવે છે. રાગ-દ્વેષ જીતવાનો ઉપાય સાક્ષીભાવથી રહેવું એ જ છે.
ગુરુની જેટલી સેવા કરીએ તેટલી ઓછી. એમના આશીર્વાદ અને સેવાથી જ વિદ્યા ફળે.
સાધુના દ્વાર સદાય ખુલ્લા જ હોય છે.
સહન કરવું, ક્ષમા કરવી અને સેવા કરવી એ જ છે જીવનમંત્ર.
For Private and Personal Use Only