________________
Shri Mahavir Jain Aradhana Kendra
SHRUTSAGAR
www.kobatirth.org
5
દેહસ્થ આત્માની પરમાત્માવસ્થાનું સ્મરણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
MAY-JUNE-2015
(રાગ : તાર હો તાર પ્રભુ)
સમજી લે ભવ્ય તું સમજી લે ભવ્ય તું, ખીલવજે આત્મશક્તિ પ્રભુની આત્મ સામર્થ્યથી સર્વ કર્મો ટળે, શક્તિ હૃદયે ધરો ચિત્ વિભુની. ૧
આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી
આત્મમાં રમણતા ધ્યાન દૃષ્ટિ થકી, દુઃખનાં કારણો સર્વ નાશે શરીર વ્યાપી રહ્યો દેહ ભિન્ન જ લહ્યો, જ્ઞાન સામર્થ્યથી સહુ પ્રકાશે. ૨
50
સ્વાશ્રયી થઇ રહો સત્યશાંતિ લહો, કરણી જેવી તથા કાર્ય થાવે ચિતના દોષ વારો મહાશક્તિથી, પરમ આનંદ પદ ભવ્ય પાવે. ૩
B
શુદ્ધ નિર્ભય પ્રભુ કૃષ્ણ રહેમાન્ તું, સૂર્યને વિષ્ણુ તું પ્રભુ સવાયો તેજનો પાર નહિ વાણી ગોચર નહિ, ધ્યાનીના ધ્યાનમાં તું જ આયો. ૪
ઝળહળે જ્યોતિ આત્મપ્રભુની સદા, દુઃખની ભ્રાંતિયો દૂર નાસે વીર વિશ્વેશ તું પિંડ વસતાં છતાં, યોગીઓના હૃદયને પ્રકાશે. પ
તેજનું તેજ તું દેવનો દેવ તું, જ્ઞાનસાગર પ્રભુ તું મજાનો દૃશ્ય દૃષ્ટા તું હિ વચન સાપેક્ષથી, પરમ ધ્યાને રહે પ્રભુ ન છાનો. ૬ અલખ નિર્ભય પ્રભુ વિષ્ણુને બુદ્ધ તું, શુદ્ધજ્ઞાને પ્રભુ થા પ્રકાશી દેવ વીતરાગ તું શુદ્ધ સત્તા ગ્રહે, વ્યક્તિથી થા પ્રભો ધર્મવાસી. ૭ સારમાં સાર તું પૂજ્યમાં પૂજ્ય તું, જાગતો દેવ તું દેઇ દીઠો બુદ્ધિસાગર નમું જ્ઞાનદાતારને, રોમ રોમે અહો નિત્ય મીઠો. ૮
For Private and Personal Use Only