________________
મોક્ષમાળા-બાલાવબેધ
* ૨૭.
અધીરા સ્વભાવથી અકળાશે એમ પિતાને સમજાયાથી પચાસ પાનાંનું એક નવું પુસ્તક રચી “ભાવના બેધ' નામે પ્રથમ પ્રસિદ્ધ કરી અગાઉથી મદદ કરનાર ગ્રાહકોને ભેટ તરીકે આપ્યું. સોળસત્તર વર્ષની ઉમ્મરમાં કેટલી કાર્યકુશળતા તથા જવાબદારીનું ભાન તેમને હતું તેને આ અચૂક પુરાવો છે.
શાળાનાં પાઠયપુસ્તક તરીકે વાંચી જવાનું કે ભણી જવાનું આ પુસ્તક નથી. પણ પરીક્ષા જીવન ઉપર અસર કરે છે તેથી વિશેષ મહત્ત્વનું અને જીવનની સફળતાનું સાધન હોવાથી, તેનું મનન નિદિધ્યાસન કરી પિતાના દોષ દેખી તે દોષ ટાળવામાં આ પુસ્તક દ્વારા શી મદદ મળી શકે એમ છે તે વિચારી જીવન સુધારવાના સાધન તરીકે વાપરવાની ભલામણ આપતાં જે “શિક્ષણપદ્ધતિ અને મુખમુદ્રા ” નામ રાખી પ્રથમ પ્રસ્તાવના લખી છે, તે શિક્ષકોએ, માબાપે એ અને વિચારવાન અભ્યાસીઓએ બહુ વિચારવાયેગ્ય છેઃ
“મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ બેધવાને ઉદ્દેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાને હેતુ ઊછરતા બાળ યુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાને પણ છે. બહુ ઊંડા ઊતરતાં આ મોક્ષમાળા મેક્ષના કારણરૂપ થઈ પડશે.
પાઠક અને વાચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે શિક્ષા પાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા, તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતા હોય તેમણે જ્ઞાતા શિક્ષક કે મુનિઓથી સમજવા, અને એ જોગવાઈ ન હોય તો પાંચસાત વખત તે પાઠે વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું ? તે તાત્પર્યમાંથી હેય (તજવાયેગ્ય), રોય (જાણવા યોગ્ય) અને ઉપાદેય (આદરવા ગ્ય) શું છે? એમ કરવાથી આખો ગ્રંથ સમજી શકાશે, હદય કોમળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org