Book Title: Shrimad Rajchandra Jivan Kala
Author(s): Govardhanbhai K patel
Publisher: Prasthan Karyalaya Ahmedabad

View full book text
Previous | Next

Page 228
________________ શ્રીમદુની શિક્ષા ૨૧૩ સ્વપણે માને છે. અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તે જ છે; તે જ જન્મ છે, મરણ છે; અને તે જ દેહ છે, દેહના વિકાર છે; તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે. અને તે સાધન પણ જીવ જે પિતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલો જ સંક્ષેપ છવમાં પરિણામ પામે છે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, જ્ઞાન આદિ કરી છૂટે. એમાં કંઈ સંશય નથી.” બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંતબેધ અને બીજે તે સિદ્ધાંતબોધ થવાને કારણભૂત એ ઉપદેશબેધ. જે ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન ઉપદેશબંધ અને થ ન હોય, તે સિદ્ધાંતોનું માત્ર તેને સિદ્ધાંતબેધ " શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંતબોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છેજ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે, તે જે પ્રકારથી વાણદ્વારા જણાવાય તેમ જણાવ્યું છે–એ જે બેધ છે તે સિદ્ધાંતબોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યસંભાવને પામેલી એવી બુદ્ધિ છે કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે. તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે; અને એવાં જે જે સાધન જીવન સંસારભય દઢ કરાવે છે તે તે સાધન સંબંધી જે ઉપદેશ કહ્યું છે, તે ઉપદેશબધ છે. ગૃહ કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતે એ જે કષાય (ક્રોધ, માન, માયા, લેભ) – કલેશ તેનું મંદ થવું તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256