Book Title: Sambodhi 2006 Vol 30
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 188
________________ 182 બંસીધર ભટ્ટ SAMBODHI નિતાંત તત્ત્વજ્ઞાન-પૂર્ણ વિવેચનોમાં, બૃ. ઉપ. ગ્રંથના કોઈ શબ્દ પદ કે પાઠનો યોગ્ય સંબંધ પણ ન હોય તેવાં સ્થળોએ, નામ-નિર્દેશ વિનાના કોઈ પૂર્વપક્ષકારોને આ બૃ. ઉપ.ના (પ્રાચીન) ભાષ્યકાર તરીકે માની ન લેવાય. એ સિવાય શંકરે પોતાના બૃ. ઉપ. ભાષ્યમાં કેટલાક (પ્રાચીન) વિવેચકોના મતોનો (નામ-નિર્દેશ વિના) ઉલ્લેખ કર્યો છે; આ મતો | વિવેચકો કાલ્પનિક લાગતા નથી. આવાં ૧-૩૧ સ્થળો નીચે દર્શાવવામાં આવે છે. (૧) ૧.૪.૨.(૯૮:૨૬), (૧૬) ૩.૪.૨ (૪૪૫:૨૦), (૨) ૧.૪.૭. (૧૩૧:૨૪), (૧૭) ૩.૫.૧ (૪૪૯:૧૪)*, (૩) ૧.૪.૮ (૧૪૭:૧૨), (૧૮) ૩.૫.૧ (૪૫૫૬), (૪) ૧.૪.૧૦ (૧૫૧:૮), (૧૯) ૪.૩.૭ (૫૬૦ઃ૩), (૫) ૧.૪.૧૦ (૧૫૧:૧૯), (૨૦) ૪.૩.૧૭ (૫૯૭૪) (૬) ૧.૪.૧૫ (૧૮૭:૧૬)*, (૨૧) ૪.૩.૨૨ (૬૧૪:૬)*, (૭) ૧.૪.૧૫ (૧૯૦૧૬)*, (૨૨) ૪.૩.૨૨ (૬૧૬:૧૯)*, (૮) ૧.૫.૨ (૨૦૭:૨૫), (૨૩) ૪.૩.૨૪.૩૦ (૬૨૨:૧૯), (૯) ૧.૫.૧૮ (૨૩૬:૧૫)*, (૨૪) ૪.૩.૨૪.૩૦ (૬૨૫:૧૨), (૧૦) ૨.૧.૨૦ (૨૯૩૪ અને (૨૫) ૪.૪.૭ (૬૭૦:૧૬), ૬૧૬:૧૫, ૨૩)*, (૨૬) ૪.૪.૯ (૬૭૪:૩ અને ૬૭૫ઃ૧), (૧૧) ૨.૨.૧ (૩૧૫:૧૯), (૨૭) ૪.૪.૨૨ (૬૮૮:૨૫), (૧૨) ૨.૩.૩ (૩૨૩:૨૪), (૨૮) ૫.૧.૧ (૭૩૧:૯), (૧૩) ૨.૩.૬ (૩૨૮:૪), (૨૯) ૫.૨.૩ (૭૪૪:૧), (૧૪) ૨.૫.૧ (૩૬૪:૧૭), (૩૦) ૫.૨.૩ (૭૪૪:૧૫), (૧૫) ૩.૨.૧૩ (૪૧૬:૧૭), (૩૧) ૬.૧.૧૪ (૭૮૯:૧૩). ઉપર દર્શાવેલાં ૧.૩૧ સ્થળોમાં જયાં જયાં તારક (૪) જેવાં ચિહ્નો કર્યા છે તે તે સ્થળો ઉપરની આનંદજ્ઞાનની (=આનંદગિરિની) ટીકા જણાવે છે કે તે સ્થળોએ શંકરે ઉલ્લેખેલાં મંતવ્યો ભર્તપ્રપંચનાં છે. ભર્તૃપ્રપંચે માધ્યદિન-શાખાના બૃ. ઉપ. ઉપર એક ભાષ્ય રચ્યું હતું. એ ભાષ્ય શંકરના આ બૃ. ઉપ. (કાવ-શાખા) ઉપરના ભાષ્ય કરતાંય ઘણું વિસ્તૃત હતું એવી માહિતી પણ આનંદશાને પૂરી પાડી છે (જુઓ આનંદજ્ઞાન, બૃ. ઉપ. ૨.૭; ૫૦). શંકરને માધ્યદિન-શાખાના બૃ. ઉપ. નો પરિચય કદાચ ભર્તપ્રપંચના એ ભાષ્યમાંથી થયો હોય.

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256