Book Title: Sambodhi 2006 Vol 30
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 183
________________ Vol. XXX, 2006 “બૃહદારણ્યક-ઉપનિષદ અને શાંકરભાષ્ય.” 177 (“વિવેચનાત્મક આવૃત્તિના”) નામે સમગ્ર વિદ્વત–સમાજમાં તે તે ઉપનિષદોની પ્રાપ્ત હસ્તપ્રતોની, તથા તે ઉપરાંત; શંકરનાં તે તે ઉપનિષદો ઉપરનાં ભાષ્યમાં મળી આવતાં ઉપનિષદોના કોઈ કોઈ પાઠોની કે પાઠાન્તરોની આધારભૂતતા વિશે ઉપેક્ષા સેવવાની એક પ્રણાલી સર્જી છે ! (જુઓ. ભટ્ટ ૨૦૦૩). પ્રસ્તુત સંશોધન-લેખમાં બૃ. ઉપ. અને તે પરનું શાંકરભાષ્ય, આ બંને ગ્રંથના સંદર્ભોઅવતરણો, અને તેમની સાથે સાથે કૌંસમાં પાનાંના નંબર તથા લીટીઓના નંબર પણ “આનંદાશ્રમ–સંસ્કૃત-ગ્રંથાવલિ ૧૫”માંથી દર્શાવવામાં આવ્યા છે (જુઓ; પૂના-૧૯૫૩). વળી, જ્યાં શક્ય હોય ત્યાં આવાં અવતરણો, તેમની શાખા–ભેદે, તેમનાં સ્વરાંકનો (=સ્વરોચ્ચારણ-ચિહનો) સાથે નાગરી-લિપિમાં તથા રોમન-લિપિમાં આપવામાં આવ્યાં છે. તેમાં બુ. ઉપ. કાર્વ–શાખાનો સ્વરાંકન સાથેનો કોઈ ગ્રંથ નાગરી લિપિમાં હજી મળી આવ્યો નથી, પણ તેના ફક્ત અધ્યાય ૧ સુધીનો ગ્રંથ રોમન-લિપિમાં દીતેર માઉએના ૧૯૭૬માં શોધ-નિબંધ તરીકે પ્રાપ્ત થઈ શક્યો છે (જુઓ; માઉએ, અને પરિશિષ્ટ ૨). આથી બૃ. ઉપ. કાર્વ-શાખાના અધ્યાય ૧ સુધીનાં જ અવતરણો સ્વરાંકન સાથે, અને તે પણ રોમન-લિપિમાં જ આપવામાં આવ્યાં છે. જયારે, બૃ. ઉપ. માધ્યદિન-શાખાનો સ્વરાંકન સાથેનો ગ્રંથ નાગરી-લિપિમાં આ. વેબરે પ્રકાશિત કરેલા શતપથ-બ્રાહ્મણમાધ્યદિન-શાખામાંથી મળી આવે છે (જુઓ; શ. બા.). માધ્યદિન-શાખાનું ખૂ. ઉપ. સંપૂર્ણ શતપથબ્રાહ્મણ-માધ્યદિન-શાખામાં (૧૦.૬ ૪.૧ થી આગળ તથા ૧૪.૪.૧.૧થી ૧૪.૯.૪.૩૩ સુધી) સમાયેલું છે. બૃ. ઉપ. માધ્યદિન-શાખાનાં સ્વરાંકનો સાથેનો ગ્રંથ રોમન-લિપિમાં ઓટો વ્યોહતલિંક પ્રકાશિત કર્યો છે (જુઓ; વ્યોહતલિંક). આથી . ઉપ. માધ્યદિન-શાખાનાં બધાં અવતરણો સ્વરાંકનો સાથે નાગરી-લિપિમાં (શ. બ્રા.માંથી) અને તરત જ કૌંસમાં રોમન-લિપિમાં લખ્યોહતલિંકમાંથી) દર્શાવ્યાં છે. પરંતુ, અહીં એટલું ધ્યાનમાં લેવું આવશ્યક છે કે શંકરે પોતાની ભાષ્ય-રચના માટે ઉપયોગમાં લીધેલા (કાવ-શાખાના) બૃ. ઉપ.ના મૂળ ગ્રંથપાઠના ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત જેવા સ્વરાંકનોની ઉપેક્ષા કરી હોય એમ જણાય છે. ઉપરાંત, તેમના આ ભાષ્યમાં વિવરણાર્થે કોઈ કોઈ વાર કાવ-શાખાના કે માધ્યદિન-શાખાના બૃ. ઉપ.માંથી પ્રતીકરૂપે કે પાઠાન્તરરૂપે લીધેલા ગ્રંથપાઠમાં પણ શંકર સ્વરાંકનોને અનુસરતા હોય એમ લાગતું નથી. (જુઓ; આગળ I.૨). ટૂંકમાં, અહીં બૃ. ઉપ. માધ્યદિન-શાખામાંથી તથા બૃ. ઉપ. કાર્વ-શાખા-અધ્યાય ૧-માંથી આપેલાં અવતરણો પાછળ મૂળ આશય ફક્ત સ્વરાંકનો દર્શાવવા પૂરતો જ છે, તેમાં નાગરી-લિપિની સાથે સાથે અમે રોમન-લિપિ પણ ઉપયોગમાં લીધી છે. II શંકર અને કાર્વ-શાખાનું ખૂ. ઉપ. – (૧) શંકરે જે બૃ. ઉપ. ઉપર ભાષ્ય રચ્યું તે કાવ-શાખાને ઉપનિષદ્ હતું. તેમ છતાં, શંકરને અન્ય શાખાના બૃ. ઉપ. વિશે ખ્યાલ હતો. તેમણે તેમના આ બૃ. ઉ૫. ઉપરના ભાષ્યમાં

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256