________________
૧
ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન શ્રી નમસ્કાર (પંચમંગલ) સૂત્ર
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિયાણં
નમો ઉવજ્ઝાયાણં
નમો લોએ સવ્વ-સાહૂણં
એસો પંચ નમુક્કારો સવ્વ-પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઇ મંગલં ॥ ૧ ॥
ધાર્મિક સૂત્રોના શુદ્ધ ઉચ્ચાર કેમ કરવા એ બાબત સ્પષ્ટપણે મુખ દ્વારા બોલીને સમજાવી શકાય એવી છે, લખીને સ્પષ્ટપણે સમજાવી શકાય નહિ. પ્રત્યક્ષ શીખવા ન આવી શકે એને માટે જ લખીને સમજાવાય છે.
ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન
૧. નમો અરિહંતાણં : પ્રથમ ‘નમો' પદ બોલ્યા પછી ‘અ'નો સ્પષ્ટ ઉચ્ચાર થાય એ રીતે ‘અરિ' બોલવું. ‘નમોરિ' એવો ખોટો ઉચ્ચાર ન થઈ જાય એની સાવધાની રાખવી.
Jain Education International
‘અરિ’ બોલ્યા પછી ‘હ’ ઉપર બરાબર ભાર દઈને ‘હંતાણં’ બોલવું. વર્ગીય વ્યંજન પૂર્વે તે તે વર્ગના અનુનાસિક વ્યંજન સ્પષ્ટ થાય એ રીતે શબ્દની અંદર રહેલા અનુસ્વાર ( • ) સ્પષ્ટ બોલવા. દા.ત., અરિહન્નાણું, પચ્ચ, મઙગલાણગ્ય. (જુઓ પાનું ૧૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org