Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 65
________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર * ૪૭ ૩૬. સામાયિક લઈને ભણવાની શક્તિવાળાએ ભણવું જોઈએ, અથવા પાંચ પ્રકારનો સ્વાધ્યાય કે સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની પુષ્ટિ થાય એવું વાચન કરવું જોઈએ. જેની ભણવાની શક્તિ ન હોય તે નવકારવાળી ગણે અથવા જપ આદિ કરે. ૩૭. નવકારવાળી પવિત્ર ને ઉત્તમ દ્રવ્યોની બનાવેલી હોવી જોઈએ, તે પ્લાસ્ટિક અને એનાં જેવાં દ્રવ્યોની બનાવેલી રાખવી ઠીક નથી. નવકારવાળીને કટાસણા ઉપર મુકાય નહિ અને ચરવળામાં પણ ભરાવાય નહિ. ૩૮. ઠલ્લા-માત્રાની (ઝાડા-પેશાબની) નજીવી શંકા હોય તોપણ તે ટાળીને જ સામાયિક લેવું જોઈએ. સામાયિક લીધા પછી સામાયિકમાં હોઈએ ત્યાં સુધી ઠલ્લે-માત્રે જવાય નહિ. ઠલ્લા-માત્રાની શંકા ટાળીને સામાયિક લીધા પછી, એક સામાયિકનો સમય પૂરા થયા બાદ તેના ઉપર બીજું સામાયિક કરવાની ભાવના હોય ત્યારે ઠલ્લા-માત્રાની શંકા હોય તો સામાયિક પારી ઠલ્લા-માત્રાની શંકા ટાળીને જ બીજું સામાયિક લેવું જોઈએ. જો ઠલ્લા-માત્રાની જરા પણ શંકા કે પીડા ન હોય તો જ સામાયિક પાર્યા વિના બીજું સામાયિક લઈ શકાય. બીજા સામાયિકનો સમય પૂરો થયા પછી પણ ઉપરા-ઉપરી ત્રીજું સામાયિક કરવાની ભાવના હોય ત્યારે પણ ઠલ્લા-માત્રાની શંકાનો વિચાર અવશ્ય કરવો જોઈએ. શંકા હોય તો સામાયિક પારી શંકા ટાળીને જ ત્રીજું સામાયિક લેવું જોઈએ. ઠલ્લા-માત્રાની બિલકુલ શંકા ન હોય તો બીજું સામાયિક પણ પાર્યા વિના ત્રીજું સામાયિક લઈ શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76