Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 52
________________ વચનના ૧૦ દોષ (૧) કુવચન દોષ : કટુ, અપ્રિય, અસત્ય, અહિતકર, અનુચિત વચન બોલવું. (૨) સહસાકાર દોષ : વગર વિચાર્યે એકાએક અનુચિત બોલવું. (૩) સ્વચ્છંદ દોષ : શાસ્ત્રવચનની દરકાર રાખ્યા વિના બોલવું. (૪) સંક્ષેપ દોષ : સામાયિક લેતી વખતે એની વિધિના પાઠ વચમાં શબ્દ કે અક્ષરો રહી જાય એવી રીતે બોલવા અથવા સ્વાધ્યાય દરમિયાન કોઈ પણ સૂત્ર - સિદ્ધાંતના પાઠ ટૂંકાણમાં બોલવા. (૫) કલહ દોષ : સામાયિક દરમિયાન કોઈની પણ સાથે કલહકારી વચન બોલવું. (૬) વિકથા દોષ : સ્ત્રીકથા, દેશકથા, રાજકથા, ભોજનથા – કોઈની પણ સાથે આ ચાર વિકથા સંબંધી વાતો કરવી. (૭) હાસ્ય દોષ : સામાયિકમાં હસવું - હાંસીમજાક કરવી. (૮) અશુદ્ધ દોષ : સામાયિકની વિધિનાં સૂત્રો બોલતી વખતે અને સામાયિક દરમિયાન સ્વાધ્યાય કરતી વખતે સૂત્રપાઠમાં કાનો, માત્રા અનુસ્વાર(મીંડું) આદિ ચૂનાધિક (વધારે-ઓછાં) બોલવાં. (૯) નિરપેક્ષ દોષ : “હું આમ કરીશ જ' વગેરે કારપૂર્વકનાં નિશ્ચયાત્મક વચન બોલવાં. (૧૦) મુણમુણ દોષ : સામાયિકમાં ગણગણ્યા કરવું, સૂત્રપાઠી ગરબડિયા બોલવા વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76