Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 53
________________ ૩૫ કાયાના ૧૨ દોષ (૧) અયોગ્ય આસન દોષ: પગ ઉપર પગ ચડાવીને બેસવું વગેરે. (૨) અસ્થિરાસન દોષ : જ્યાંથી ઊઠવું પડે એવા સ્થાને અથવા ચલાયમાન આસને બેસવું. (૩) ચલદૃષ્ટિ દોષ: નવરા બેસીને ચારે બાજુ નજર ફેરવ્યા કરવી. (૪) સાવધક્રિયા દોષ : ઘર-દુકાન આદિનાં સાવદ્ય (પાપ) કાર્યો સંબંધી ઇશારા કરવા. (૫) આલંબન દોષ : ભીંત, થાંભલો વગેરેના ટેકે બેસવું. (૬) આકુંચન-પ્રસારણ દોષ : હાથ-પગને લાંબા-ટૂંકા કર્યા કરવા. (૭) આલસ દોષ : આળસ કરવી, આળસ મરોડવી. (૮) મોટન દોષ : આંગળીના ટાચકા(ટચાકા) ફોડવા, શરીર મરડવું. (૯) મલ દોષ : શરીર પરથી મેલ ઉતારવો. (૧૦) વિમાસણ દોષ : એદીની જેમ બેસી રહેવું. (૧૧) નિદ્રા દોષ : ઊંઘવું, ઝોકાં ખાવાં. (૧૨) વસ્ત્રસંકોચન દોષ : ઢાંકી રાખવા લાયક અંગ ઉઘાડાં મૂકવાં. આ ઉચ્ચારણ-શુદ્ધિ-માર્ગદર્શન અદ્ભુત, અભૂતપૂર્વ, ખૂબ ચોક્સાઈભર્યું, અતિ આવશ્યક અને ઉપાસક આત્માઓ માટે કલ્યાણકારક છે. - ડૉ. નારાયણ કંસારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76