Book Title: Ram ane Krishna
Author(s): Kishorlal Ghanshyamlal Mashruwala
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ લેખકની પ્રસ્તાવના આ નાનકડી પુસ્તકમાળામાં જુદી જુદી પ્રજાઓમાં અતિશય પૂજાયેલા કેટલાક મહાપુરુષોને ટૂંકે જીવનપરિચય કરાવવા ધાયું છે. આ પરિચય કરાવવામાં જે દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખ્યું છે એ વિષે બે શબ્દ લખવા આવશ્યક છે. આપણે હિંદુઓ માનીએ છીએ કે જ્યારે પૃથ્વી પરથી ધર્મને લેપ થાય છે, અધર્મ વધી પડે છે, અસુરના ઉપદ્રવથી સમાજ પીડાય છે, સાધુતાને તિરસ્કાર થાય છે, નિર્બળનું રક્ષણ થતું નથી, ત્યારે પરમાત્માના અવતારો કેવી રીતે પ્રકટ થાય છે, એ પ્રકટ થાય ત્યારે એમને કેવે લક્ષણે ઓળખવા અને એમને ઓળખીને અથવા એમની ભક્તિ કરીને આપણું જીવનમાં કેવા ફેરફાર કરવા એ જાણવું જરૂરનું છે. | સર્વત્ર એક પરમાત્માની શક્તિ – સત્તા – જ કાર્ય કરી રહી છે. મારામાં તમારામાં-સર્વેમાં એક જ પ્રભુ વ્યાપી રહ્યો છે. એની જ શક્તિથી સર્વેનું હલન-ચલન-વલણ છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશું વગેરેમાં પણ એ જ પરમાત્માની શકિત હતી. ત્યારે આપણામાં અને રામકૃષ્ણાદિકમાં શું ફેર ? એ પણ મારાતમારા જેવા જ મનુષ્યો દેખાતા હતા; એમને પણ મારી-તમારી માફક દુખે વાં પડ્યાં હતાં અને પુરુષાર્થ કરવો પડ્યો હતો; છતાં આપણે એમને અવતાર શા માટે કહીએ છીએ ? હજાર વર્ષ વીતી ગયાં છતાં શું કામ આપણે એમને પૂજીએ છીએ? આત્મા સત્યકામ-સત્યસંકલ્પ છે” એવું વેદવચન છે. જે આપણે ધારીએ, ઈચ્છીએ તે પ્રાપ્ત કરી શકીએ એ એને અર્થ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 152